૬(૨).૧૬

ગૉર્કી થી ગોસ્વામી, ઇન્દિરા

ગૉર્કી

ગૉર્કી : પ. રશિયાના ગૉર્કોવ્સ્કાયા વહીવટી વિભાગનું પાટનગર, આશરે 56° 20´ ઉ. અ. તથા 44° 00´ પૂ. રે. પર આવેલું છે. ઈ. સ. 1221માં વ્લાદીમિરના પ્રિન્સ સેવૉલૉડૉવિચે (Vsevolodovich) લશ્કરી થાણા તરીકે આ શહેર વસાવેલું અને તે વખતે તેનું નામ નિઝની નોવગોરોડ (Nizhny Novgorod) હતું. પણ તે પછી ત્યાં ઈ. સ.…

વધુ વાંચો >

ગૉર્કી, મૅક્સિમ

ગૉર્કી, મૅક્સિમ (જ. 28 માર્ચ 1868, નિઝની નોવગોરોડ ગામ, રશિયા; અ. 14 જૂન 1936, નિઝની નોવગોરાડ, રશિયા) : રૂસી લેખક. એમનું મૂળ નામ અલેક્સેઈ મૅક્સિમૉવિચ પેશ્કૉવ હતું. માતાપિતા મૃત્યુ પામતાં થોડો વખત એ દાદા પાસે રહ્યા અને નવ વરસની ઉંમરથી મજૂરીએ લાગ્યા. વહાણના તૂતક પર વાસણ માંજ્યાં, કોઈ બેકરીમાં પાંઉરોટી…

વધુ વાંચો >

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine)

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine) (જ. 20, નવેમ્બર, 1923, સ્પિંગ્સ, ગઉટૅન્ગ (Gauteng), દક્ષિણ આફ્રિકા; અ. 13 જુલાઈ, 2014 જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : વિશ્વવિખ્યાત દક્ષિણ આફ્રિકન નવલકથાકાર અને વાર્તાકાર. 1991માં સાહિત્યક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા બન્યાં. તેમના પિતા ઇસોડોરે ગોર્ડિમર (Isodore Gordimer) લિથુઆનિયા(જે યુરોપ મહાદ્વિપમાં આવેલો એક દેશ)થી સ્થળાંતર કરીને દક્ષિણ આફ્રિકામાં આવીને…

વધુ વાંચો >

ગોર્બાચૉવ, મિખાઈલ

ગોર્બાચૉવ, મિખાઈલ (જ. 2 માર્ચ 1931, પ્રિવોલેનોય, રશિયા; અ. 30 ઑગસ્ટ 2022, મોસ્કો, રશિયા) : 1917ની રશિયાની ક્રાંતિ દ્વારા સ્થપાયેલા સોવિયેત સંઘની આંતરિક તેમજ બાહ્ય નીતિમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર, (70 વર્ષના ગાળા બાદ) સમાજવાદી અભિગમના સ્થાને મુક્ત અર્થનીતિ અપનાવનાર, શસ્ત્રો અને લશ્કરી ખર્ચમાં ઘટાડો કરી પૂર્વ-પશ્ચિમ વચ્ચેના ઠંડા યુદ્ધને દેશવટો…

વધુ વાંચો >

ગોલક (sphere)

ગોલક (sphere) : એક સ્થિર બિંદુથી સમાન અંતરે રહેલાં અવકાશનાં તમામ બિંદુઓનો ગણ. સ્થિર બિંદુને ગોલકનું કેન્દ્ર (centre) અને અચલ અંતરને ગોલકની ત્રિજ્યા (radius) કહે છે. કેન્દ્રથી ગોલકના પૃષ્ઠ સુધી દોરેલા કોઈ પણ રેખાખંડને પણ ગોલકની ત્રિજ્યા કહે છે. કેન્દ્ર c અને r ત્રિજ્યાવાળા ગોલકને (c, r) વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >

ગોલકનાથ કેસ

ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક પાયાના પ્રશ્નોનો વિચાર કરી તેમનું ન્યાયનિર્ધારણ કરવામાં આવ્યું હતું. 11 ન્યાયમૂર્તિઓની બનેલી ફુલ બેંચ સમક્ષ સુનાવણી થયેલા આ કેસમાં બંધારણના સત્તરમા સુધારાની બંધારણીયતાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં બંધારણના…

વધુ વાંચો >

ગોલક વીજ

ગોલક વીજ (ball or globe lightning) : હવામાં કેટલાક સેન્ટિમીટર વ્યાસવાળા પ્રદીપ્ત (luminous) ગોળા-સ્વરૂપે ઉદભવતી એક ઘટના. સામાન્યત: તે ગાજવીજ સાથેના વાવાઝોડા (thunder-storm) દરમિયાન જમીનની નજીક ઉદભવે છે અને ગોળો લાલ, નારંગી કે પીળા રંગનો જણાય છે. ગોલક વીજ ઉદભવે ત્યારે ઘણી વાર તેની સાથે એક સિસકારો (hissing sound) તથા…

વધુ વાંચો >

ગોલકોંડા

ગોલકોંડા : હૈદરાબાદથી આશરે 11 કિમી. પશ્ચિમે આવેલું મધ્યકાળથી મહત્વનું અને સમૃદ્ધ ગણાતું ઐતિહાસિક નગર. માર્કો-પોલોએ પોતાની પ્રવાસનોંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. સોળમી અને સત્તરમી સદી(1512–1687)માં તે કુતુબશાહી સામ્રાજ્યનું પાટનગર અને દક્ષિણની મુસ્લિમ સલ્તનતોમાંનું એક શક્તિશાળી રાજ્ય ગણાતું. દક્ષિણની ગોદાવરી અને કૃષ્ણા નદીની ખીણના તથા તેની આસપાસના વિસ્તારમાં આ રાજ્યનો…

વધુ વાંચો >

ગોલગી સંકુલ

ગોલગી સંકુલ : જુઓ કોષ

વધુ વાંચો >

ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ

ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ (જ. 22 નવેમ્બર 1890, લીલ ફ્રાન્સ; અ. 9 નવેમ્બર 1970, કોલમ્બે) : વિખ્યાત ફ્રેન્ચ સેનાપતિ, રાજદ્વારી મુત્સદ્દી તથા પાંચમા ફ્રેન્ચ પ્રજાસત્તાકના સર્જક અને સર્વસત્તાધીશ નેતા. ઇતિહાસકારો અને સાહિત્યસર્જકોના મધ્યમવર્ગીય કૅથલિક કુટુંબમાં જન્મ. પિતા પૅરિસ ખાતેની જેસ્યુઇટ કૉલેજમાં તત્વજ્ઞાન અને સાહિત્યના પ્રોફેસર. પરંપરાગત શિક્ષણ પ્રાપ્ત કર્યા…

વધુ વાંચો >

ગોવિંદદાસ

Feb 16, 1994

ગોવિંદદાસ (જ. 1530, શ્રીખંડ, જિ. બર્ધમાન; અ. 1613) : સોળમી સદીના બંગાળી વૈષ્ણવ કવિ. તેમના પિતાનું નામ ચિરંજીવ સેન અને માતાનું નામ સુનંદા હતું. તેમના ભાઈ રામચંદ્ર શક્તિના ઉપાસક હતા. તેવી રીતે તેઓ પણ પહેલાં શક્તિના ઉપાસક હતા, પણ 1577 અને 1580માં તેમના વૈષ્ણવ ગુરુ શ્રીનિવાસ આચાર્ય પાસે તેમણે વૈષ્ણવ…

વધુ વાંચો >

ગોવિંદ દેવનું મંદિર

Feb 16, 1994

ગોવિંદ દેવનું મંદિર : સોળમી સદી દરમિયાન વૃંદાવનમાં બંધાયેલું મંદિર. તેમાં ભારતીય મંદિરોના શાસ્ત્રીય બાંધકામની કળા કરતાં એક જુદી જ શૈલીનો ઉપયોગ થયેલો જણાય છે. ખાસ કરીને મુઘલ શાસન દરમિયાન વિકસેલ મુઘલ સ્થાપત્ય પ્રત્યેનો ઉત્સાહ અને ભારતીય રૂઢિગત કળા પ્રત્યે ઉત્તર ભારતમાં ખાસ કરીને રાજપૂત રાજવીઓએ થોડી શિથિલતા દર્શાવેલી તેનું…

વધુ વાંચો >

ગોવિંદન્

Feb 16, 1994

ગોવિંદન્ (જ. 1919, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે ગંતુર નગરમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ લીધેલું. બી.એ.ની પરીક્ષામાં પાસ થતાં જ તેમણે સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધેલી અને એમાં આગળ વધતાં ઊંચી પાયરીએ પહોંચેલા. પણ નોકરી એમના સાહિત્યિક સર્જનમાં બાધારૂપ લાગતાં એમણે તે છોડીને પોતાનો બધો સમય લેખનપ્રવૃત્તિ માટે ફાળવ્યો. એમણે…

વધુ વાંચો >

ગોવિંદન્ નાયર, એમ. એન.

Feb 16, 1994

ગોવિંદન્ નાયર, એમ. એન. (જ. 10 ડિસેમ્બર 1910, પંડાલમ્, કેરળ; અ. 27 નવેમ્બર 1984, મુલમપુઝા, કેરળ) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી અને કેરળના રાજદ્વારી નેતા. મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ. પિતા ત્રાવણકોર દેશી રિયાસતમાં ન્યાયતંત્રની વહીવટી પાંખમાં નોકરી કરતા હતા. મૅટ્રિકની પરીક્ષા 1926માં તથા બી.એ.ની પરીક્ષા 1934માં પસાર કરી. 1929–32 દરમિયાન શિક્ષકની…

વધુ વાંચો >

ગોવિંદ ભટ્ટ

Feb 16, 1994

ગોવિંદ ભટ્ટ (ઈ. સ.ની ચૌદમી સદી) : વેદભાષ્યકાર. ગોવિંદ ભટ્ટે ઋગ્વેદના આઠમા અષ્ટક પર ‘શ્રુતિવિકાસ’ નામના ભાષ્યની રચના કરી છે. હજુ સુધી આ ભાષ્ય અમુદ્રિત છે એની નોંધ ‘વૈદિક વાઙમય કા ઇતિહાસ’માં પંડિત ભગવદદત્તે આપી છે. આની હસ્તપ્રત વારાણસીના સરસ્વતીભવનમાં છે. તેની પુષ્પિકા પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાષ્યની…

વધુ વાંચો >

ગોવિંદરાજ પ્રભૂતવર્ષ

Feb 16, 1994

ગોવિંદરાજ પ્રભૂતવર્ષ (નવમી સદી) : લાટમંડલની રાષ્ટ્રકૂટ શાખાનો શાસક. લાટેશ્વર ઇન્દ્રરાજ અને એના પુત્ર કર્કરાજ સુવર્ણવર્ષ ઈ. સ. 800થી 830ના અરસામાં તળ-ગુજરાત પર રાજ્ય કરતા હતા. કર્કરાજનાં દાનપત્ર શક વર્ષ 734થી 746નાં મળ્યાં છે ને એના નાના ભાઈ ગોવિંદરાજ પ્રભૂતવર્ષનાં દાનપત્ર શક વર્ષ 732, 735 (740) અને 749નાં પ્રાપ્ત થયાં…

વધુ વાંચો >

ગોવિંદસિંઘ, ગુરુ

Feb 16, 1994

ગોવિંદસિંઘ, ગુરુ (જ. 22 ડિસેમ્બર 1666, પટના, બિહાર; અ. 7 ઑક્ટોબર 1708, નાંદેડ, મહારાષ્ટ્ર) : શીખોના દસમા ગુરુ. તેમનું બચપણનું નામ ગોવિંદરાય હતું. તેમના પિતા તેગબહાદુર શીખોના નવમા ગુરુ હતા. તેમનાં માતાનું નામ ગુજરીજી હતું. 1675માં તેઓ આનંદપુર, જિ. હોશિયારપુર, પંજાબ મુકામે ગુરુ નાનકના સિંહાસન પર દસમા ગુરુ તરીકે બિરાજમાન…

વધુ વાંચો >

ગોવિંદાચાર્ય

Feb 16, 1994

ગોવિંદાચાર્ય : ગોંડપાદાચાર્યના શિષ્ય. કેવલાદ્વૈત મતની ગુરુશિષ્યપરંપરામાં નારાયણ, બ્રહ્મા, વસિષ્ઠ, શક્તિ, પરાશર, વ્યાસ, શુક, ગૌડપાદ, ગોવિંદ અને શંકરાચાર્ય – એ ક્રમમાં નામાવલિ છે. આ પરંપરામાં નારાયણ અને બ્રહ્મા દૈવ કોટિના ગુરુ છે. વસિષ્ઠ, શક્તિ, પરાશર અને વ્યાસ આર્ષ કોટિના છે. શુક, ગૌડપાદ અને ગોવિંદ સિદ્ધ કોટિના છે. આ પરંપરામાં આદ્ય…

વધુ વાંચો >

ગોસેન, હર્મન હેન્રિક

Feb 16, 1994

ગોસેન, હર્મન હેન્રિક (જ. 7 સપ્ટેમ્બર 1810, ડ્યૂરેન; અ. 13 ફેબ્રુઆરી 1858, કોલોન, જર્મની) : જર્મન અર્થશાસ્ત્રી. કાયદાના અભ્યાસ પછી સરકારી નોકરીમાં જોડાયા. 1847માં અર્થશાસ્ત્રના અધ્યયન તરફ વળ્યા. 1854માં તેમના ગ્રંથમાં તેમણે ગ્રાહકના વર્તન અંગેના ત્રણ સિદ્ધાંતોની રજૂઆત કરી છે : (1) પૂર્ણ તૃપ્તિના બિંદુ સુધીના ઉપભોગની પ્રક્રિયા દરમિયાન ગ્રાહક…

વધુ વાંચો >

ગોસ્પ્લાન

Feb 16, 1994

ગોસ્પ્લાન : વિસર્જિત સોવિયેત સંઘનું મધ્યસ્થ આયોજન મંડળ. સામ્યવાદી પક્ષ અને સરકારે નક્કી કરેલા આયોજનનાં ધ્યેયોને અનુરૂપ પંચવર્ષીય કે સાતવર્ષીય યોજનાઓ તેમજ લાંબા ગાળા માટે આયોજનનું માળખું ઘડવું, આયોજનનાં વિવિધ પાસાંઓના અમલ પર દેખરેખ રાખવી, રાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ યોજનાઓ ઘડવી વગેરે બાબતો તેના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી હતી. ફેબ્રુઆરી, 1921માં તેની…

વધુ વાંચો >