૬(૨).૧૬

ગૉર્કી થી ગોસ્વામી, ઇન્દિરા

ગૉર્કી

ગૉર્કી : પ. રશિયાના ગૉર્કોવ્સ્કાયા વહીવટી વિભાગનું પાટનગર, આશરે 56° 20´ ઉ. અ. તથા 44° 00´ પૂ. રે. પર આવેલું છે. ઈ. સ. 1221માં વ્લાદીમિરના પ્રિન્સ સેવૉલૉડૉવિચે (Vsevolodovich) લશ્કરી થાણા તરીકે આ શહેર વસાવેલું અને તે વખતે તેનું નામ નિઝની નોવગોરોડ (Nizhny Novgorod) હતું. પણ તે પછી ત્યાં ઈ. સ.…

વધુ વાંચો >

ગૉર્કી, મૅક્સિમ

ગૉર્કી, મૅક્સિમ (જ. 28 માર્ચ 1868, નિઝની નોવગોરોડ ગામ, રશિયા; અ. 14 જૂન 1936, નિઝની નોવગોરાડ, રશિયા) : રૂસી લેખક. એમનું મૂળ નામ અલેક્સેઈ મૅક્સિમૉવિચ પેશ્કૉવ હતું. માતાપિતા મૃત્યુ પામતાં થોડો વખત એ દાદા પાસે રહ્યા અને નવ વરસની ઉંમરથી મજૂરીએ લાગ્યા. વહાણના તૂતક પર વાસણ માંજ્યાં, કોઈ બેકરીમાં પાંઉરોટી…

વધુ વાંચો >

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine)

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine) (જ. 20, નવેમ્બર, 1923, સ્પિંગ્સ, ગઉટૅન્ગ (Gauteng), દક્ષિણ આફ્રિકા; અ. 13 જુલાઈ, 2014 જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : વિશ્વવિખ્યાત દક્ષિણ આફ્રિકન નવલકથાકાર અને વાર્તાકાર. 1991માં સાહિત્યક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા બન્યાં. તેમના પિતા ઇસોડોરે ગોર્ડિમર (Isodore Gordimer) લિથુઆનિયા(જે યુરોપ મહાદ્વિપમાં આવેલો એક દેશ)થી સ્થળાંતર કરીને દક્ષિણ આફ્રિકામાં આવીને…

વધુ વાંચો >

ગોર્બાચૉવ, મિખાઈલ

ગોર્બાચૉવ, મિખાઈલ (જ. 2 માર્ચ 1931, પ્રિવોલેનોય, રશિયા; અ. 30 ઑગસ્ટ 2022, મોસ્કો, રશિયા) : 1917ની રશિયાની ક્રાંતિ દ્વારા સ્થપાયેલા સોવિયેત સંઘની આંતરિક તેમજ બાહ્ય નીતિમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર, (70 વર્ષના ગાળા બાદ) સમાજવાદી અભિગમના સ્થાને મુક્ત અર્થનીતિ અપનાવનાર, શસ્ત્રો અને લશ્કરી ખર્ચમાં ઘટાડો કરી પૂર્વ-પશ્ચિમ વચ્ચેના ઠંડા યુદ્ધને દેશવટો…

વધુ વાંચો >

ગોલક (sphere)

ગોલક (sphere) : એક સ્થિર બિંદુથી સમાન અંતરે રહેલાં અવકાશનાં તમામ બિંદુઓનો ગણ. સ્થિર બિંદુને ગોલકનું કેન્દ્ર (centre) અને અચલ અંતરને ગોલકની ત્રિજ્યા (radius) કહે છે. કેન્દ્રથી ગોલકના પૃષ્ઠ સુધી દોરેલા કોઈ પણ રેખાખંડને પણ ગોલકની ત્રિજ્યા કહે છે. કેન્દ્ર c અને r ત્રિજ્યાવાળા ગોલકને (c, r) વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >

ગોલકનાથ કેસ

ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક પાયાના પ્રશ્નોનો વિચાર કરી તેમનું ન્યાયનિર્ધારણ કરવામાં આવ્યું હતું. 11 ન્યાયમૂર્તિઓની બનેલી ફુલ બેંચ સમક્ષ સુનાવણી થયેલા આ કેસમાં બંધારણના સત્તરમા સુધારાની બંધારણીયતાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં બંધારણના…

વધુ વાંચો >

ગોલક વીજ

ગોલક વીજ (ball or globe lightning) : હવામાં કેટલાક સેન્ટિમીટર વ્યાસવાળા પ્રદીપ્ત (luminous) ગોળા-સ્વરૂપે ઉદભવતી એક ઘટના. સામાન્યત: તે ગાજવીજ સાથેના વાવાઝોડા (thunder-storm) દરમિયાન જમીનની નજીક ઉદભવે છે અને ગોળો લાલ, નારંગી કે પીળા રંગનો જણાય છે. ગોલક વીજ ઉદભવે ત્યારે ઘણી વાર તેની સાથે એક સિસકારો (hissing sound) તથા…

વધુ વાંચો >

ગોલકોંડા

ગોલકોંડા : હૈદરાબાદથી આશરે 11 કિમી. પશ્ચિમે આવેલું મધ્યકાળથી મહત્વનું અને સમૃદ્ધ ગણાતું ઐતિહાસિક નગર. માર્કો-પોલોએ પોતાની પ્રવાસનોંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. સોળમી અને સત્તરમી સદી(1512–1687)માં તે કુતુબશાહી સામ્રાજ્યનું પાટનગર અને દક્ષિણની મુસ્લિમ સલ્તનતોમાંનું એક શક્તિશાળી રાજ્ય ગણાતું. દક્ષિણની ગોદાવરી અને કૃષ્ણા નદીની ખીણના તથા તેની આસપાસના વિસ્તારમાં આ રાજ્યનો…

વધુ વાંચો >

ગોલગી સંકુલ

ગોલગી સંકુલ : જુઓ કોષ

વધુ વાંચો >

ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ

ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ (જ. 22 નવેમ્બર 1890, લીલ ફ્રાન્સ; અ. 9 નવેમ્બર 1970, કોલમ્બે) : વિખ્યાત ફ્રેન્ચ સેનાપતિ, રાજદ્વારી મુત્સદ્દી તથા પાંચમા ફ્રેન્ચ પ્રજાસત્તાકના સર્જક અને સર્વસત્તાધીશ નેતા. ઇતિહાસકારો અને સાહિત્યસર્જકોના મધ્યમવર્ગીય કૅથલિક કુટુંબમાં જન્મ. પિતા પૅરિસ ખાતેની જેસ્યુઇટ કૉલેજમાં તત્વજ્ઞાન અને સાહિત્યના પ્રોફેસર. પરંપરાગત શિક્ષણ પ્રાપ્ત કર્યા…

વધુ વાંચો >

ગોવર્ધનતીર્થ

Feb 16, 1994

ગોવર્ધનતીર્થ : મથુરાની પશ્ચિમે 24 કિમી. પર આવેલા ગોવર્ધન પર્વત પરનું શ્રી વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ. આ પર્વતની ઊંચાઈ આશરે 30.5 મીટર અને લંબાઈ 6.5થી 8 કિમી. જેટલી છે. દ્રોણાચલ પર્વતશૃંખલામાંથી તેનું નિર્માણ થયું છે તેવી એક માન્યતા છે. શ્રી રામદૂત હનુમાને દક્ષિણના સાગરતટ પર સેતુ બાંધવાના હેતુથી હિમાલય પર્વતનો…

વધુ વાંચો >

ગોવા

Feb 16, 1994

ગોવા : ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર ઉપર આવેલ સહેલાણીઓના સ્વર્ગરૂપ ટાપુ અને રાજ્ય. તે 14° 53´ અને 15° 48´ ઉ. અ. તથા 73° 45´ અને 74° 24´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 105 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 60 કિમી. છે. તે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની સરહદો…

વધુ વાંચો >

ગોવાનું સ્થાપત્ય

Feb 16, 1994

ગોવાનું સ્થાપત્ય : પોર્ટુગીઝ શાસકોની ભારતમાંની ત્રણ વસાહતોમાંથી મુખ્ય વસાહતનું સ્થાપત્ય. સોળમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ લોકોએ મલબાર કાંઠા પર વર્ચસ મેળવ્યા બાદ અસ્તિત્વમાં આવેલું ગોવા ભારતમાં પોર્ટુગીઝ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું અને તે દ્વારા આ સંસ્કૃતિ ભારતમાં પોર્ટુગીઝ અને કોંકણ-મરાઠીની મિશ્રિત અસર દ્વારા પ્રચલિત થઈ. સ્થાપત્યની ર્દષ્ટિએ ગોવાની ઇમારતો સોળમી સદી…

વધુ વાંચો >

ગોવા-મુક્તિસંગ્રામ

Feb 16, 1994

ગોવા-મુક્તિસંગ્રામ : ગોવામાંના પોર્ટુગીઝ શાસનને હઠાવી તેને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવા ખેલાયેલો મુક્તિસંગ્રામ. ગોવામાંથી પોર્ટુગીઝ સત્તાને હઠાવવા માટે ચાલેલું યુદ્ધ છેક સત્તરમી સદીથી આરંભાયું હતું. સૌપ્રથમ ઈ. સ. 1654માં કાસ્ત્રુ નામના ખ્રિસ્તી ધર્મગુરુએ હિંદુઓની મદદથી ગોવામાંથી પોર્ટુગીઝોને હાંકી કાઢવાની યોજના કરી હતી; પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. પછીથી 1787માં કૌતુ…

વધુ વાંચો >

ગોવારીકર, આશુતોષ

Feb 16, 1994

ગોવારીકર, આશુતોષ (જ. 15 ફેબ્રુઆરી 1968, મુંબઈ) : ચલચિત્ર તથા દૂરદર્શન શૃંખલાઓના અભિનેતા, નિર્દેશક, કથા અને પટકથા લેખક અને નિર્માતા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક કેતન મહેતાના જાણીતા ચલચિત્ર ‘હોલી’માં અભિનય કરીને તે ક્ષેત્રમાં ગોવારીકરે પદાર્પણ કર્યું. ત્યારબાદ ‘કચ્ચી ધૂપ’ (1987), ‘સરકસ’ (1989), ‘સી.આઇ.ડી’ (1999) જેવી દૂરદર્શન શૃંખલાઓ તથા ‘નામ’…

વધુ વાંચો >

ગોવિંદ ગુપ્ત

Feb 16, 1994

ગોવિંદ ગુપ્ત (પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો ધ્રુવસ્વામિનીદેવીથી ઉત્પન્ન થયેલો પુત્ર. એ ગુપ્ત સમ્રાટ હોવાનું મનાય છે. પિતાના સમયમાં એ યુવરાજપદે હતો અને ત્યારબાદ ઈ. સ. 412થી 415 દરમિયાન એનું અલ્પકાલીન શાસન પણ પ્રવર્ત્યું હતું. ‘વસુબંધુચરિત’માં એનો ‘કુમાર બાલાદિત્ય’ તરીકે નિર્દેશ થયો છે. એમાં નોંધાયા પ્રમાણે આ સમ્રાટે…

વધુ વાંચો >

ગોવિંદ 2જો

Feb 16, 1994

ગોવિંદ 2જો (લગભગ ઈ. સ. 773–780) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા, કૃષ્ણ 1લાનો જ્યેષ્ઠ પુત્ર અને ઉત્તરાધિકારી. એ ‘પ્રભૂતવર્ષ’ અને ‘વિક્રમાવલોક’ એવાં અપર-નામ ધરાવતો. એ યુવરાજ હતો ત્યારે એણે વેંગીના રાજા વિષ્ણુવર્ધન ચોથાને હરાવી પરાક્રમ દર્શાવેલું. એ કુશળ અશ્વારોહ હતો. રાજા થયા પછી એણે ગોવર્ધન(જિ. નાસિક)માં વિજય કરેલો; પરંતુ પછી…

વધુ વાંચો >

ગોવિંદ 3જો

Feb 16, 1994

ગોવિંદ 3જો (શાસનકાળ ઈ. સ. 793–814) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો સહુથી પ્રતાપી રાજવી. પિતા ધ્રુવે એને યુવરાજ નીમીને સ્વેચ્છાએ ગાદીત્યાગ કર્યો હતો. એના મોટા ભાઈ સ્તંભે સામંતો અને પડોશીઓની મદદ લઈ એની સામે બળવો કર્યો, પણ ગોવિંદે બળવો શમાવી દઈ એને વફાદારીની શરતે ગંગવાડીનો અધિકાર પુન: સુપરત કર્યો. ગોવિંદે ગંગ…

વધુ વાંચો >

ગોવિંદ 4થો

Feb 16, 1994

ગોવિંદ 4થો (શાસનકાળ 930–936) : રાષ્ટ્રકૂટ વંશની કર્ણાટક શાખાનો દશમો રાજવી અને ઇન્દ્રરાજ ત્રીજાનો પુત્ર. ઇતિહાસમાં સુવર્ણવર્ષ ગોવિંદરાજથી જાણીતો છે. પોતાના મોટા ભાઈ અમોઘવર્ષ બીજાને દગાથી મરાવી એણે ગાદી હાથ કરેલી (ઈ. સ. 930). આથી એનાં વિધવા ભાભી બિનસલામતીના ભયથી સગીર પુત્રને લઈ વેંગી ચાલ્યાં ગયેલાં. એની પ્રશસ્તિમાં એને દાનવીર,…

વધુ વાંચો >

ગોવિંદજી

Feb 16, 1994

ગોવિંદજી (જ. 24 ઑક્ટોબર 1933, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : વિશ્વવિખ્યાત જીવભૌતિકશાસ્ત્રી. તેમના પિતા વિશ્વેશ્વરપ્રસાદ પ્રસિદ્ધ કેળવણીકાર હતા. ગોવિંદજી બાળપણથી જ જિજ્ઞાસુ હતા. તેમને વિસ્તૃત ચર્ચાઓ કરવાનો પુષ્કળ શોખ હતો. તેમણે અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી. અને એમ.એસસી.ની ઉપાધિઓ સર્વપ્રથમ ક્રમે આવીને મેળવી હતી. તેમણે 1956માં ભારત છોડ્યું અને યુ.એસ.માં જઈ વસ્યા. હાલમાં તેઓ…

વધુ વાંચો >