ખંડ ૬(૧)
ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ક્રિયા
ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રિયા-વિભવ (action potential)
ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિયેટિનીન, સીરમ-સપાટી
ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રિસૅન્થમમ પ્રજાતિ
ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >ખરીદ-વેચાણ ભૂગોળ
ખરીદ-વેચાણ ભૂગોળ : પ્રકૃતિએ બક્ષેલી તથા માનવશ્રમ દ્વારા સર્જેલી ચીજવસ્તુઓ અને સેવાઓના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ અસર કરતાં ભૌગોલિક પરિબળોનું વિશ્લેષણ કરતી ભૂગોળ. વસ્તુઓના ઉત્પાદનની માફક ઉત્પાદિત વસ્તુઓને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો અસર કરતાં હોય છે. ચીજવસ્તુઓના ઉત્પાદનની જેમ તેના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો…
વધુ વાંચો >ખરીદવેરો
ખરીદવેરો (purchase tax) : પરોક્ષ કરવેરાનો એક પ્રકાર. તે વેચાણપાત્ર વસ્તુની જથ્થાબંધ કિંમતોને આધારે આકારવામાં આવે છે. જુદી જુદી વસ્તુઓ પર તે જુદા જુદા દરે લાદવામાં આવે છે. વસ્તુના મૂલ્યની રકમ પર ખરીદવેરાના દર મુખ્યત્વે ટકાવારીના ધોરણે નિર્ધારિત કરવામાં આવે છે. ખરીદવેરો એ પરોક્ષવેરો હોવાથી તે હ્રીયમાન (regressive) હોય છે,…
વધુ વાંચો >ખરે, નારાયણ ભાસ્કર
ખરે, નારાયણ ભાસ્કર (જ. 16 માર્ચ 1882, નેરે, કોલાબા જિલ્લો; અ. 1969, નાગપુર) : ભારતના અગ્રણી રાજદ્વારી નેતા અને સામાજિક કાર્યકર. 1896 સુધી મુંબઈમાં અને ત્યાર બાદ જબલપુરમાં અભ્યાસ કરી 1897માં મૅટ્રિક અને 1902માં બી.એ. થયા. તે પછી સરકારની શિષ્યવૃત્તિ મેળવી. 1907માં લાહોર મેડિકલ કૉલેજમાંથી એમ.બી.ની પરીક્ષામાં સુવર્ણચંદ્રક સાથે પ્રથમ…
વધુ વાંચો >ખરે, પં. નારાયણ મોરેશ્વર
ખરે, પં. નારાયણ મોરેશ્વર (જ. 1889, તાસગાંવ, જિ. સતારા; અ. 6 ફેબ્રુઆરી 1938, હરિપુરા) : ગાંધીજીના અંતેવાસી અને જાણીતા શાસ્ત્રીય સંગીતકાર. પિતા સાધારણ સ્થિતિના ગૃહસ્થ બ્રાહ્મણ હતા અને તેમને કુલ ચાર સંતાન હતાં. નારાયણના નાના એક પ્રસિદ્ધ ગાયક હતા. તેમની માતા પણ મધુર કંઠ ધરાવતાં હતાં. તેમનામાં બાળપણથી જ સંગીતના…
વધુ વાંચો >ખરે, વાસુદેવ શાસ્ત્રી
ખરે, વાસુદેવ શાસ્ત્રી (જ. 5 ઑગસ્ટ 1858, ગુહાગર, રત્નાગિરિ જિલ્લો; અ. 11 જૂન 1924, મિરજ) : વિખ્યાત ઇતિહાસસંશોધક તથા મરાઠી ગ્રંથકાર. પરંપરાગત પદ્ધતિ દ્વારા સતારાના અનંત શાસ્ત્રી ગજેન્દ્રગડકરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ. 1878માં પુણે આવ્યા અને જૂના ગ્રંથોના જીર્ણોદ્ધારના કાર્યને સમર્પિત સામયિક ‘કાવ્યેતિહાસસંગ્રહ’ના સંસ્કૃત વિભાગના સંપાદનકાર્યમાં જોડાયા.…
વધુ વાંચો >ખરોષ્ટી
ખરોષ્ટી : જુઓ લિપિ
વધુ વાંચો >ખર્ચ
ખર્ચ : ઇચ્છિત હેતુની પરિપૂર્તિ માટે વિનિયોગ કે વ્યય દ્વારા વપરાયેલું નાણું. આવકની જેમ ખર્ચ એ પણ એક આર્થિક સંકલ્પના છે. આવક અને ખર્ચ પરસ્પરાવલંબી છે. ખાનગી અને જાહેર વિત્તવ્યવસ્થામાં મૂળભૂત તફાવત એ છે કે ખાનગી વિત્તવ્યવસ્થામાં વાસ્તવિક અથવા અપેક્ષિત આવકની મર્યાદામાં રહીને ખર્ચની જોગવાઈ કરવી પડે છે; એટલે કે,…
વધુ વાંચો >ખર્ચનું મૂડીકરણ
ખર્ચનું મૂડીકરણ : મહેસૂલી ખર્ચને હિસાબી ચોપડામાં મૂડીખર્ચ તરીકે દર્શાવવાની પ્રક્રિયા. ધંધાની કમાવાની શક્તિ ટકાવી રાખવા માટે અથવા ધંધાની મિલકતને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા માટે વારંવાર કરવો પડતો ખર્ચ મહેસૂલી કે ચાલુ ખર્ચ કહેવાય છે અને હિસાબોની નોંધ રાખવામાં તેને લગતા ખાતાની બાકીને નફાનુકસાન અથવા ઊપજખર્ચ ખાતે લઈ જઈને મહેસૂલી ખર્ચખાતું…
વધુ વાંચો >ખર્ચવેરો
ખર્ચવેરો (expenditure tax) : સામાન્ય રીતે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વપરાશી ખર્ચ પર આકારવામાં આવતો પ્રત્યક્ષ કર. તેનો મુખ્ય ઉદ્દેશ બિનજરૂરી તથા ઊડીને આંખે વળગે તેવો (conspicuous) વપરાશી ખર્ચ પર કાપ મૂકવાનો અને તે દ્વારા બચત અને ઉત્પાદકીય મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવાનો હોય છે. લગભગ ત્રણ શતક પહેલાં સર્વપ્રથમ હૉબ્ઝ નામના…
વધુ વાંચો >ખલજી વંશ
ખલજી વંશ : ઈ.સ. 1290માં જલાલુદ્દીન ફિરોજશાહે દિલ્હીમાં સ્થાપેલો વંશ. ખલજી લોકો હેલમંડ નદીના બંને કાંઠે વસતા હતા. મધ્ય એશિયામાંથી તેમને મૉંગલોના આક્રમણને કારણે સ્થળાંતર કરીને અફઘાનિસ્તાનમાં ખલ્જ પ્રદેશમાં વસવું પડ્યું હતું. આથી તેમનો વંશ ખલજી વંશ કહેવાયો. તેઓ મૂળ તુર્ક જાતિના હતા પણ અફઘાનિસ્તાનમાંના લાંબા વસવાટને કારણે તેમણે અફઘાન…
વધુ વાંચો >