ખંડ ૪
ઔરંગાથી કાંસું
ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >કાંટાળાં વન
કાંટાળાં વન : બ્રશ કે છાંછાળાં (bristle) તેમજ સીમિત વૃદ્ધિવાળાં વૃક્ષ કે ક્ષુપ(shrub)ના વનસ્પતિ-સમૂહના વિસ્તારો. આવાં વનનાં વૃક્ષ કે ક્ષુપ કંટકમય હોય તે સામાન્ય બાબત હોવાથી વ્યાપક અર્થમાં કાંટાળાં વનમાં અંગ્રેજીમાં જેને ‘થૉર્ન ફૉરેસ્ટ’ તેમજ ‘સ્ક્રબલૅન્ડ’ કહે છે તે બંનેનો સમાવેશ થઈ જાય છે. આબોહવા : કાંટાળાં વનો શીતોષ્ણ કટિબંધ…
વધુ વાંચો >કાંટી (કાંટાવાળાં) ગોખરુ
કાંટી (કાંટાવાળાં) ગોખરુ : દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાયલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tribulus terrestris Linn. (સં. વનશૃંગાટક, ઇક્ષુગંધા; હિં. છોટે ગોખરુ, બં, ગોક્ષુરી, છોટ ગોખુરી; ક. – તે. ચિરિપિલેરૂ; તા. નેરંજીલ; મલા. નેરિનિલ; અં. લૅન્ડ કેલ્ટ્રોપ્સ, પંક્ચર વાઇન) છે. તેના સહસભ્યોમાં ધમાસો, જવાસો, પંગણી, સીતાનિયા, પટલાણી અને અથેલીનો…
વધુ વાંચો >કાંડભંગ (fracture) અસ્થિભંગ
કાંડભંગ (fracture) અસ્થિભંગ : આયુર્વેદની પરિભાષામાં શરીરના કોઈ પણ હાડકાનું તૂટવું તે. આયુર્વેદમાં ‘સુશ્રુત સંહિતા’ના નિદાનસ્થાનમાં પંદરમા અધ્યાયમાં ‘કાંડભંગ’ વિશે વિસ્તૃત વર્ણન આપેલ છે. મૂળ ગ્રંથમાં ‘ભંગ’ના બે પ્રકારો બતાવેલા છે – (1) સંધિભંગ (મચકોડ) અને (2) કાંડભંગ (અસ્થિભંગ). ઉપરથી નીચે પડવાથી, ભારે વસ્તુના દબાણમાં આવવાથી, પ્રહાર (માર) થવાથી, હિંસક…
વધુ વાંચો >કાંપ (alluvium)
કાંપ (alluvium) : અર્વાચીન નદીઓની રચનાત્મક ક્રિયા દ્વારા ઉદભવતા જતા કણજન્ય નિક્ષેપો માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય પર્યાય. આ પર્યાય હેઠળ નદીતળ, પૂરનાં મેદાનો, મુખત્રિકોણ, સરોવર, પહાડી પ્રદેશોના ઢોળાવના તળેટી વિસ્તારો તેમજ નદીનાળ પ્રદેશોમાં એકત્રિત થતા નિક્ષેપોનો સમાવેશ કરી શકાય. રેતી, માટી અને સિલ્ટ જેવા સૂક્ષ્મ કણોથી બનેલો સ્વચ્છ જળજન્ય નિક્ષેપ…
વધુ વાંચો >કાંપિલ્ય
કાંપિલ્ય : ઉત્તર પ્રદેશમાં ફરૂખાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાં મળે છે. પહેલાં તે ગંગાને કાંઠે વસેલું હતું. હવે એની નીચેના ભાગમાંથી ‘બૂઢી ગંગા’ નામની ધારા વહે છે. એ દક્ષિણ પાંચાલના રાજા દ્રુપદનું પાટનગર હતું. અહીં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો. અહીંના એક ઊંચા ટેકરાને દ્રુપદનો કોટ કહે…
વધુ વાંચો >કાંપિલ્યવિહાર
કાંપિલ્યવિહાર : દક્ષિણ ગુજરાત(લાટ)માં આવેલું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર. કાંપિલ્યવિહાર કે કાંપિલ્યતીર્થનો રાષ્ટ્રકૂટ રાજાઓ અપરિમિતવર્ષ દંતીદુર્ગના ઈ.સ. 867 તથા ધ્રુવ રાજાના ઈ.સ. 884ના ભૂમિદાનનાં તામ્રપત્રોમાં ઉલ્લેખ મળે છે. સામાન્ય રીતે રાષ્ટ્રકૂટ રાજાઓનાં તામ્રપત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોની સ્તુતિ હોય છે તેને બદલે અહીં બુદ્ધની સ્તુતિ છે. આ મહાવિહાર કાંપિલ્ય મુનિએ બંધાવ્યો…
વધુ વાંચો >કાંબળે જી.
કાંબળે, જી. (જ. 23 જુલાઈ 1918, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 21 જુલાઈ 2002, કોલ્હાપુર) : ‘પોસ્ટર પેઇન્ટિંગના બાદશાહ’ના નામથી જાણીતા પોર્ટ્રેટ ચિત્રકાર. આખું નામ ગોપાળ બળવંત કાંબળે. કારમી ગરીબીને લીધે શાળા-કૉલેજનું ઔપચારિક શિક્ષણ તથા ચિત્રકલાનું વિધિસર શિક્ષણ મેળવી શક્યા નહીં, અને માનવંતા ચિત્રકારના માર્ગદર્શનથી પણ તેઓ વંચિત રહેલા. પોતાની પ્રતિભાનું સંમાર્જન…
વધુ વાંચો >કાંશીરામ
કાંશીરામ (જ. 15 માર્ચ 1934, ખાવસપુર, રોપર જિલ્લો, પંજાબ; અ. 8 ઑક્ટોબર 2006, દિલ્હી) : અગ્રિમ રાજકારણી દલિત નેતા, અને બહુજનસમાજ પક્ષ(BSP)ના સ્થાપક. પંજાબી ચમારમાંથી રૈદાસી શીખ બન્યા ત્યારે તેઓ સામાન્ય ભારતીયજન તરીકે સરકારી નોકરી કરતા હતા. ડૉ. આંબેડકર જયંતીની જાહેર રજા નાબૂદ કરવાના મુદ્દે દલિત કર્મચારીઓએ શરૂ કરેલી લડતમાં…
વધુ વાંચો >કાંસકી
કાંસકી : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abutilon indicum (Linn) Sweet. (સં. અતિબલા; હિં. કંગઈ, કકહિયા, પેટારી; બં. પેટારી; મ. પેટારી, મુદ્રાવળ, મુદ્રિકા, કાસલી; ગુ. કાંસકી, ડાબલી, પેટારી, અં. કન્ટ્રી મૅલો) છે. તેના સહસભ્યોમાં ગુલખેસ, પારસપીપળો, જાસૂદ, બલા વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં તેની 18…
વધુ વાંચો >કાંસિયા
કાંસિયા (blister beetles) : માણસની ચામડી સાથે ઘસાતાં તરત જ પોતાના પગના સાંધામાંથી ઝરતા પ્રવાહી દ્વારા શરીર પર ફોલ્લા ઉપસાવનાર ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Meliodae કુળના કીટક. પુખ્ત કાંસિયા બાજરી, મકાઈ, જુવાર વગેરેનાં જીંડવાંમાંથી થૂલ ખાઈને જીવે છે, તેથી છોડ પર દાણા બેસતા નથી. કેટલાક કાંસિયા શાકભાજી, કઠોળ અને ગુલાબફૂલ વગેરેને…
વધુ વાંચો >