ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

કારદાર, અબ્દુલ રશીદ

Jan 23, 1992

કારદાર, અબ્દુલ રશીદ (જ. ઑક્ટોબર 1904, લાહોર; અ. 22 નવેમ્બર 1989, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત નિર્માતા અને દિગ્દર્શક. બોલપટનો જમાનો શરૂ થયો તે પહેલાં તેમણે ઘણાં રોમાંચક મૂક ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. ‘હીર-રાંઝા’ એ તેમનું સર્વપ્રથમ ચલચિત્ર (1923). થોડાક સમય માટે તેમણે કોલકાતાની એક ચલચિત્રનિર્માણ કંપનીમાં કાર્ય કર્યું. તેમનું…

વધુ વાંચો >

કારનાપ રુડૉલ્ફ

Jan 23, 1992

કારનાપ રુડૉલ્ફ (જ. 18 મે 1891, રોન્સ ડૉર્ફ, પ્રુશિયા ; અ. 14 સપ્ટેમ્બર 1970, સાન્ટા મોનિકા, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ જર્મન તત્ત્વજ્ઞ. જર્મનીના રોન્સ ડૉર્ફમાં જન્મેલા કારનાપે 1910થી 1914 સુધી તત્ત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ જર્મનીની જેના અને ફ્રાઇબર્ગ યુનિવર્સિટીઓમાં કર્યો હતો. 1910, 1913 અને 1914માં જેનામાં ફ્રેગેના તેઓ વિદ્યાર્થી હતા.…

વધુ વાંચો >

કારમાન, થિયોડોર

Jan 23, 1992

કારમાન, થિયોડોર (જ. 11 મે 1881, બુડાપેસ્ટ; અ. 6 મે 1963, આચેન, પ. જર્મની) : હંગેરીમાં જન્મી યુ.એસ.ના નાગરિક બનનાર સંશોધક અને ઇજનેર. તેમણે ઉડ્ડયન વિજ્ઞાન અને અંતરીક્ષયાત્રાના ક્ષેત્રે મૂળભૂત વિજ્ઞાનમાં ગણિતશાસ્ત્રના ઉપયોગનું પાયાનું કાર્ય કર્યું છે. તેમનું કાર્યક્ષેત્ર પ્રથમ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેકનૉલોજી અને પછીથી જેટ વિમાનના સુધારાની પ્રયોગશાળા…

વધુ વાંચો >

કારર, પૉલ

Jan 23, 1992

કારર, પૉલ (જ. 21 એપ્રિલ 1889, મૉસ્કો; અ. 18 જૂન 1971, ઝુરિક) : કૅરોટિનોઇડ અને ફ્લેવિન સંયોજનો તથા વિટામિન A અને B2નાં બંધારણ અંગે સંશોધન કરનાર સ્વિસ રસાયણવિદ. આ સંશોધન માટે તેમને 1937ના વર્ષનો નોબેલ પુરસ્કાર ગ્રેટ બ્રિટનના સર વૉલ્ટેર હેવર્થ (Walter Haworth) સાથે સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો હતો. 1908માં…

વધુ વાંચો >

કારવણ (કાયાવરોહણ)

Jan 23, 1992

કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો…

વધુ વાંચો >

કારવાર

Jan 23, 1992

કારવાર : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનું વહીવટી મથક, મધ્યમ કક્ષાનું બંદર અને ભારતીય નૌસેનાનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 140 48’ ઉ. અ. અને 740 08’ પૂ. રે.. કારવારથી મુંબઈ 488 કિમી., બૅંગલોર 547 કિમી., પણજી 64 કિમી. અને મેંગલોર 273 કિમી. છે. કિનારા નજીક નાના ટાપુઓથી બંદર રક્ષાયેલું છે અને…

વધુ વાંચો >

કારંથ, બી. વી.

Jan 23, 1992

કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક; અ. 1 સપ્ટોમ્બર 2002 બેંગાલુરુ, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. પૂરૂં નામ બાબુકોડી વેંક્ટરામન કારંથ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા.…

વધુ વાંચો >

કારંથ, શિવરામ

Jan 23, 1992

કારંથ, શિવરામ (જ. 10 ઑક્ટોબર 1902, કોટા, કાનડા જિલ્લો, કર્ણાટક; અ. 9 ડિસેમ્બર 1997 મનીપાલ, કર્ણાટક) : કન્નડ લેખક. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમના ગામમાં જ લીધું અને પછી ધારવાડ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે દાખલ થયા. એ વખતે દેશભરમાં ગાંધીજીના અસહકાર આંદોલનથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. એ સમયે એ ઇન્ટરમાં…

વધુ વાંચો >

કારા, કાર્લો

Jan 23, 1992

કારા, કાર્લો (જ. 11 ફેબ્રુઆરી 1881, કાર્ગાનેન્તો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1966, મિલાન, ઇટાલી) : ફ્યૂચુરિસ્ટિક ચિત્રશૈલીમાં સર્જન કરવા માટે જાણીતા આધુનિક ઇટાલિયન ચિત્રકાર. કલાનો પ્રારંભિક અભ્યાસ બ્રેરા નગરમાં કર્યો. 1915 સુધી તેમણે ઘનવાદી શૈલીમાં ચિત્રો ચીતર્યાં. 1912થી 1915 સુધી તેમનાં ઘનવાદી ચિત્રોનો મુખ્ય વિષય નગ્ન મહિલાઓ હતો. પછીથી તેઓ…

વધુ વાંચો >

કારાકાસ

Jan 23, 1992

કારાકાસ : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા રાજ્યનું પાટનગર અને દક્ષિણ અમેરિકાના મુક્તિદાતા સાયમન-દ-બોલીવારનું જન્મસ્થળ. ભૌગોલિક સ્થાન : 100 30’ ઉ. અ. અને 660 56’ પ. રે.. તુર્કમેન ભાષામાં અહીંના રણને ‘ગારાગુમ’ કહે છે. તેનો અર્થ ‘કાળી રેતી’ એવો થાય છે. તે ઉત્તર મધ્ય કૅરિબિયન સમુદ્રના કિનારાથી 11 કિમી. દૂર 960 મી.ની…

વધુ વાંચો >