ખંડ ૪
ઔરંગાથી કાંસું
ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >કાણેકર, અનંત આત્મારામ
કાણેકર, અનંત આત્મારામ (જ. 2 ડિસેમ્બર 1905, મુંબઈ; અ. 4 મે 1980, મુંબઈ) : મરાઠીના કવિ, લઘુનિબંધકાર, નાટ્યકાર અને પત્રકાર. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1925માં બી.એ. થયા. 1930માં કાયદાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે પછી 3થી 4 વર્ષ સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1941માં મુંબઈની ખાલસા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે…
વધુ વાંચો >કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’)
કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’) (જ. 7 મે 1880, પોધેમ; અ. 18 એપ્રિલ 1972, મુંબઈ) : અગ્રણી પ્રાચ્યવિદ્યાવિશારદ અને સમર્થ કાયદાવિદ. અન્નાસાહેબ કાણે તરીકે ઓળખાતા. રત્નાગિરિ જિલ્લાના ચિપ્પુણ તાલુકાના પોધેમ (પરશુરામ) ગામમાં સામાન્ય મધ્યમ વર્ગના કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ત્રણ બહેનો અને છ ભાઈઓમાં તે બીજા હતા. પત્નીનું નામ સુભદ્રા. તેમણે…
વધુ વાંચો >કાતન્ત્ર વ્યાકરણ
કાતન્ત્ર વ્યાકરણ (ઈ.પૂ. 200 ?) : સંસ્કૃત ભાષાનું વ્યાકરણ. લેખક શર્વવર્મા (સર્વવર્મા). આ વ્યાકરણનાં ‘કલાપક’/‘કલાપ’ કે ‘કૌમાર’ એવાં નામાન્તરો પણ છે. કોઈક મોટા વ્યાકરણતન્ત્રનો, સંભવત: કાશકૃત્સ્નના ‘શબ્દકલાપ’ બૃહત્તન્ત્રનો તે સંક્ષેપ છે, માટે તેને ‘કાતન્ત્ર’ (= લઘુતન્ત્ર) કહે છે. આ ‘કાતન્ત્ર’માં અનુક્રમે સન્ધિ, ત્રણેય લિંગનાં સ્વરાન્ત અને વ્યંજનાન્ત નામપદોનાં સુબન્ત રૂપોની…
વધુ વાંચો >કાતરા
કાતરા : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Arctiidae કુળની, રૂંછાંવાળી ઇયળ (hairy caterpillar) તરીકે ઓળખાતી જીવાત. આ કાતરા 3થી 40 મિમી. લાંબા અને 5થી 6 મિમી. જાડા હોય છે. તેના શરીર ઉપર લાંબા, કાળા તેમજ ટૂંકા તપખીરિયા રંગના જથ્થાદાર વાળ હોય છે. આ જીવાતની ફૂદીનો રંગ સફેદ હોય છે. તેની પાંખની પહેલી…
વધુ વાંચો >કાતરિયું ગેપ
કાતરિયું ગેપ : અદી મર્ઝબાનનું લોકપ્રિય પારસી પ્રહસન. 1954ના અંતમાં અદી મર્ઝબાન અમેરિકાની કૅલિફૉર્નિયાની પેસેડેના અકાદમીમાં અભ્યાસ કરી પરત આવ્યા પછી ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રમાં નાટ્યવિભાગના વડા નિમાયા. ત્યારબાદ તેમણે રજૂ કરેલું ત્રીજું, સહુથી સરસ અને હેતુલક્ષી પ્રહસન હતું. કૉફમૅન હાર્ટનાં બે નાટકો ‘મિ. વૉશિંગ્ટન સ્લેપ્ટ હિયર વન નાઇટ’ના રૂપાંતર ‘પીરોજા…
વધુ વાંચો >કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ
કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ (જ. ઈ. પૂ. 84 ?; અ. ઈ. પૂ. 54 ?) : રોમન કવિ. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એક વાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં…
વધુ વાંચો >કાત્જુ, કૈલાસનાથ
કાત્જુ, કૈલાસનાથ (જ. 17 જૂન 1887, જાવરા; અ. 17 ફેબ્રુઆરી 1968, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અગ્રગણ્ય કાયદાશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. હાલના મધ્યપ્રદેશના માળવા પ્રદેશમાં સ્થાયી થયેલા મધ્યમ વર્ગના કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. 1905માં લાહોર યુનિવર્સિટીની વિનયનની પદવી મેળવી. 1906માં મૂર સેન્ટ્રલ કૉલેજમાંથી તેમણે વકીલની સનદી પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી…
વધુ વાંચો >કાત્યાયન
કાત્યાયન (ઈ. પૂ. 400થી ઈ. પૂ. 350) : પાણિનિ પછી વ્યાકરણશાસ્ત્રમાં બીજું મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર વાર્તિકકાર. અન્ય નામ વરરુચિ. જોકે તેમનાં જન્મ, જીવન અને કાર્યસ્થળ અંગે કોઈ પ્રમાણભૂત સામગ્રી મળતી નથી, છતાં તે અંગેની કેટલીક દન્તકથાઓ ‘કથાસરિત્સાગર’ જેવા ગ્રંથોમાં મળી આવે છે. કાત્યાયન એ ગોત્ર-નામ છે. દક્ષિણ ભારતના આ વિદ્વાને…
વધુ વાંચો >કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી
કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી : કાત્યાયને સંકલિત કરેલી ઋગ્વેદની શાકલશાખીય સંહિતાની સર્વગ્રાહી અનુક્રમણી. આ સર્વાનુક્રમણીના બે વિભાગ છે. બાર કંડિકાના પ્રથમ વિભાગમાં ગ્રંથપ્રયોજન અને ઋષિ, દેવતા અને છંદ અંગેના પારિભાષિક નિયમો આપ્યા છે. સૂક્તપ્રતીક, ઋક્સંખ્યા, ઋષિ, દેવતા, છંદ આદિ વિગતો એકત્ર આપી હોઈ તેનું ‘સર્વાનુક્રમણી’ નામ યથાર્થ છે. ઐતરેયાદિ બ્રાહ્મણ અને આરણ્યકો,…
વધુ વાંચો >કાત્યાયન શુલ્બસૂત્ર
કાત્યાયન શુલ્બસૂત્ર : ઘરમાં કે ઘર બહાર કરવાના યજ્ઞો માટે મંડપ, વિવિધ વેદિઓ, ચિતિઓ આદિના નિર્માણ માટેનું શાસ્ત્ર. વૈદિક ધર્માચરણ યજ્ઞપ્રધાન છેåå. શ્રૌત અને ગૃહ્ય કલ્પોમાં વિવિધ હવિર્યજ્ઞો અને પાકયજ્ઞોનાં નિરૂપણ છે. શુલ્બસૂત્ર કલ્પનું એક અંગ છે. કાત્યાયન શુલ્બસૂત્ર તેના શ્રૌતસૂત્ર સાથે સંબદ્ધ છે. તેમાં ભૂમિમાપન, તેનાં સાધનો અને તેમના…
વધુ વાંચો >