ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયા

Jan 9, 1992

કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયા : ભારતીય સંઘરાજ્ય તથા ઘટક રાજ્યોના હિસાબો રાખવાની પદ્ધતિ નિર્ધારિત કરવા તથા તેના પર સમગ્ર રીતે દેખરેખ રાખવા ખાસ નિમાયેલા સર્વોચ્ચ હિસાબ-અધિકારી. તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તેમનું તાટસ્થ્ય જળવાય અને કારોબારીના કોઈ પણ જાતના અંકુશ કે દબાણ વગર તે પોતાની…

વધુ વાંચો >

કમ્બરામાયણમ્

Jan 9, 1992

કમ્બરામાયણમ્ (ઈસવી સન નવમીથી બારમી સદી) : તમિળ ભાષામાં પદ્યરૂપે રચાયેલ રામાયણ. ‘કમ્બરામાયણમ્’ કંબનની સર્વશ્રેષ્ઠ રચના છે. કંબને આ કૃતિને ‘રામાવતાર’ નામ આપ્યું હતું; પણ પછીના સમયમાં એ ‘કમ્બરામાયણમ્’ નામે ઓળખાયું. ‘કમ્બરામાયણમ્’ બાલકાંડમ્, અયોધ્યાકાંડમ્, અરણ્યકાંડમ્, કિષ્કિંધાકાંડમ્, સુન્દરકાંડમ્ અને યુદ્ધકાંડમ્ નામના છ કાંડો અને 113 પડલમો(અધ્યાયો)માં વિભાજિત થયેલું છે. એમાં 4…

વધુ વાંચો >

કમ્બાઇન

Jan 9, 1992

કમ્બાઇન : ખેતીમાં લણવાની તથા અનાજના દાણા છૂટા પાડવાની એમ બે ક્રિયાઓ સંયુક્ત રીતે કરી આપતું યંત્ર. ઘોડાથી ખેંચાતું પ્રાથમિક પ્રકારનું આવું યંત્ર 1836માં ઉપયોગમાં આવેલું, પણ ટ્રૅક્ટરથી ખેંચાતાં કમ્બાઇન ઉપલબ્ધ થયાં ત્યાં સુધી (1930) આ યંત્રો સામાન્ય વપરાશમાં આવેલાં નહિ. સ્વચાલિત 2.5થી 5.5 મી.ના પટામાં કામ કરતાં કમ્બાઇન યંત્ર…

વધુ વાંચો >

કમ્બોજ

Jan 9, 1992

કમ્બોજ : ઈ.પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક રાજ્ય. કમ્બોજનો સમાવેશ ઉત્તરાપથમાં થતો હતો. પ્રાચીન સાહિત્ય અને અશોકના શિલાલેખોમાં તેને ગંધાર સાથે જોડવામાં આવ્યું છે. ત્યાંના લોકો કમ્બોજ કહેવાતા. તેમના કબજામાં રાજોરીની આસપાસનો પ્રદેશ અથવા પ્રાચીન રાજપુર, વાયવ્ય સરહદ પ્રાંતનો હજારા જિલ્લો અને તેનો વિસ્તાર ઘણુંખરું કાફિરિસ્તાન સુધી…

વધુ વાંચો >

કમ્બોડિયા

Jan 9, 1992

કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,67,18,965…

વધુ વાંચો >

કમ્મપયડી (કર્મપ્રકૃતિ)

Jan 9, 1992

કમ્મપયડી (કર્મપ્રકૃતિ) : જૈન કર્મસિદ્ધાંતનો પ્રાકૃત ભાષાનો પ્રાચીન ગ્રંથ. એના રચયિતા શિવશર્મસૂરિ છે. તે એક પ્રતિભાસંપન્ન અને બહુશ્રુત વિદ્વાન હતા. એમનું કર્મ વિષયનું જ્ઞાન અત્યંત ગહન હતું. ‘કર્મપ્રકૃતિ’ ઉપરાંત કર્મગ્રંથ ‘શતક’ પણ એમની જ કૃતિ મનાય છે. ‘કર્મપ્રકૃતિ’માં 475 ગાથાઓ છે. આ ગાથાઓ અગ્રાયણીય નામક દ્વિતીય પર્વના આધારે સંકલિત કરાઈ…

વધુ વાંચો >

કયર

Jan 9, 1992

કયર : મલયાળમ નવલકથા. તફઝી શિવશંકર પિલ્લૈ(જ. 1912)ની આ છેલ્લી અને બૃહદ નવલકથા છે. આ નવલકથાએ લેખકને આંતરરાષ્ટ્રીય કીર્તિ અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારનું સન્માન અપાવ્યાં છે. આ કથામાં કેરળના આલપ્પી જિલ્લાના કાથી-વણકરો તથા કારીગરોના જીવનની ત્રણ પેઢીની વિશાળ ભૂમિકા છે. એક કલાકૃતિ તરીકે ભલે તે લેખકની શ્રેષ્ઠ નવલકથા ન ગણાય,…

વધુ વાંચો >

કયાલ

Jan 9, 1992

કયાલ : નાનાં ખાડીસરોવરો. ભારતનો પશ્ચિમ દરિયાકિનારો પ્રમાણમાં એકધારો વ્યવસ્થિત છે અને તેમાં થોડીક જ ગણીગાંઠી ખાડીઓ, ખાંચાખૂંચી અને ભૂશિર જોવા મળે છે. ફક્ત મલબાર કિનારા પર જ નાનાંમોટાં અસંખ્ય સરોવરો અને ખાડીસરોવરો નજરે પડે છે, જે આ કિનારાનું નોંધપાત્ર લક્ષણ બની રહે છે. અહીં કિનારાને સમાંતર, ખાસ કરીને કેરળને…

વધુ વાંચો >

કરકરો

Jan 9, 1992

કરકરો (Demoiselle Small Crane) : કુંજની જેમ ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Anthropoides virgo. તેનું કદ 76 સેમી.નું હોય છે. તેનો Gruiformes વર્ગ અને Gruidae કુળમાં સમાવેશ થાય છે. આ પંખી દર વરસે ચોમાસા બાદ યુરોપ અને મધ્ય એશિયામાંથી ભારતમાં આવે છે. તે કુંજ કરતાં…

વધુ વાંચો >

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર)

Jan 9, 1992

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર) (ઈ. સ. 1009 આશરે) : અપભ્રંશ ભાષામાં રચાયેલું ધાર્મિક ચરિતકાવ્ય. લેખક મુનિ કનકામર. તે ચન્દ્રર્ષિગોત્રીય બ્રાહ્મણ હતા. ‘બુધ-મંગલદેવ’ તેમના ગુરુ હતા. વૈરાગ્ય ઉત્પન્ન થવાને લીધે કનકામર દિગંબર મુનિ બન્યા હતા. ‘કરકંડચરિઉ’ની રચના ‘આસાઈ’ (બુંદેલખંડ ?) નગરીમાં કરવામાં આવી હતી. તે 10 સંધિઓમાં વિભાજિત 198 કડવકોનું બનેલું છે. કરકંડ…

વધુ વાંચો >