ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

કણશ: વિસ્થાપન

Jan 6, 1992

કણશ: વિસ્થાપન (metasomatism) : એક ઘટક બીજા ઘટક દ્વારા વિસ્થાપિત થતો હોય તેવી ભૂસ્તરીય પ્રક્રિયા. ભૂસ્તરશાસ્ત્રીય પરિભાષામાં વિસ્થાપન એ બહોળા અર્થ-વિસ્તારવાળો શબ્દ છે. નીચેની પ્રક્રિયાઓ વિસ્થાપનપ્રક્રિયાની સ્પષ્ટતા કરે છે : (1) એક આયન દ્વારા અન્ય આયનનું થતું વિસ્થાપન આણ્વિક રચનાને યથાવત્ રાખીને થાય; જેમ કે સિલિકેટ ખનિજોમાંનું Si||||, A1||| દ્વારા…

વધુ વાંચો >

કણસહજાત ખનિજો

Jan 6, 1992

કણસહજાત ખનિજો (authigenic minerals) : જળકૃત ખડકોની રચના દરમિયાન ઘનિષ્ઠ થતા જતા ઘટક કણોની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા બનતા નવા ખનિજો. જળકૃત ખડકોના અભ્યાસમાં તેમના બંધારણમાં રહેલાં ખનિજોની ઉત્પત્તિ અને તેનાં લક્ષણો આર્થિક, સ્તરવિદ્યાત્મક તેમજ પ્રાચીન ભૌગોલિક પર્યાવરણના સંદર્ભમાં મહત્વનાં બની રહે છે. જળકૃત ખડકોના બંધારણમાં રહેલા ખનિજોને બે વર્ગોમાં વિભાજિત…

વધુ વાંચો >

કણાદ

Jan 6, 1992

કણાદ (ઈ. પૂ. આ. છઠ્ઠી સદી) : વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ. તેમને કણભુક કે કણભક્ષ પણ કહેવામાં આવ્યા છે. ખેતરમાં લણ્યા પછી પડી રહેલા અનાજના કણનું જ તે ભોજન કરતા હતા તેથી અથવા પરમાણુ(કણ)નું અદન (એટલે કે નિરૂપણ) કરતા હતા તેથી તેમને કણાદ કહેવામાં આવ્યા હશે. શિવે…

વધુ વાંચો >

કણાભસૂત્રો

Jan 6, 1992

કણાભસૂત્રો : ચયાપચય ક્રિયાઓમાં અતિ મહત્વનો ભાગ ભજવતી બેવડા સ્તરવાળી કોષની અંગિકા. કણાભસૂત્રો સૌપ્રથમ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં તાંતણા જેવા ગોળ કે લંબગોળ ઘટક રૂપે કોષરસમાં જોવા મળ્યા. સ્રાવી કોષો કે ગ્રંથિ કોષો કે જેમાં ચયાપચય ક્રિયા ખૂબ સતેજ હોય છે ત્યાં તે મોટી સંખ્યામાં દેખાય છે. ફેઝ કૉન્ટ્રાસ્ટ કે ઇન્ટરફેરન્સ…

વધુ વાંચો >

કણિકાકોષ-અલ્પતા

Jan 6, 1992

કણિકાકોષ-અલ્પતા (granulocytopenia) : કણિકાકોષ (granulocytes) નામના લોહીમાંના શ્વેતકોષોની સંખ્યામાં ઘટાડો થવો તે. લોહીના શ્વેતકોષોનાં ત્રણ જૂથ છે : લસિકાકોષો (lymphocytes), એકકોષો (monocytes) અને કણિકાકોષો. કણિકાકોષોના પણ ત્રણ પ્રકાર છે : તટસ્થ શ્વેતકોષો અથવા સમરાગીકોષો (neutrophils), ઇયોસિનરાગીકોષો (eosinophils) અને બેઝોરાગીકોષો (basophils). સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિના 1 લિટર લોહીમાં શ્વેતકોષોની સંખ્યા…

વધુ વાંચો >

કણિકાયન

Jan 6, 1992

કણિકાયન (granulation) : સૂર્યની સપાટી (photosphere) પર આવેલી અને એકસરખી પ્રકાશિત નહિ તેવી સફેદ કણિકાઓનો સમૂહ. સોલર દૂરબીન વડે, યોગ્ય ન્યૂટ્રલ ડેન્સિટી ફિલ્ટર વાપરી, પ્રકાશની તીવ્રતા અનેકગણી ઘટાડીને અવલોકન કરતાં અથવા આવા દૂરબીન વડે ઉચ્ચ ક્ષમતા ધરાવતા ફોટોગ્રાફ લેતાં કણિકાઓના આ સમૂહને જોઈ શકાય છે. આવી કણિકાઓના સર્જન પાછળનું રહસ્ય,…

વધુ વાંચો >

કણિયા મધુકર હીરાલાલ

Jan 6, 1992

કણિયા, મધુકર હીરાલાલ (જ. 18 નવેમ્બર 1927, મુંબઈ) : ભારતના અગ્રગણ્ય ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (1991). મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક-કક્ષા સુધીનું શિક્ષણ લીધા પછી સરકારી લૉ કૉલેજમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી પ્રાપ્ત કરી (1949) અને તરત જ મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી.…

વધુ વાંચો >

કણિયા હરિલાલ જેકિસનદાસ

Jan 6, 1992

કણિયા, હરિલાલ જેકિસનદાસ (જ. 1890; અ. 1951) : વિખ્યાત ભારતીય ન્યાયવિદ તથા સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ. ભાવનગરના જૂના દેશી રાજ્યના વતની. શામળદાસ કૉલેજ, ભાવનગરમાંથી બી.એ. તથા ગવર્નમેન્ટ લૉ કૉલેજ, મુંબઈમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓ પસાર કરી. 1915માં વડી અદાલતની ઍડવોકેટ(O.S.)ની પરીક્ષા પાસ કર્યા પછી મુંબઈમાં વકીલાત કરી (1915-33). જાતમહેનત…

વધુ વાંચો >

કણી અથવા કપાસી

Jan 6, 1992

કણી અથવા કપાસી (corn, clavus) : સતત દબાણ કે ઘર્ષણને કારણે ચામડીનું ઉપલું પડ જાડું થઈને નીચેના પડમાં ખૂંપતાં ઉદભવતો વિકાર. શરીર પર કોઈ એક જગ્યાએ સતત ઘસારા કે દબાણને કારણે ચામડીનું શૃંગીસ્તર અતિવિકસન પામીને જાડું થઈ જાય છે. તેને અતિશૃંગીસ્તરિતા (hyperkeratosis) તેને આંટણ (callosity) કહે છે. દા.ત., માળીના હાથમાં,…

વધુ વાંચો >

કણેર (કરેણ)

Jan 6, 1992

કણેર (કરેણ) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nerium indicum Mill. syn. N. odoroum Soland. (સં. કરવીર મ. કણ્હેર; હિં. કનેર; બં. કરવી; ક. કણિગિલ, કણાગિલે; તે. કાનેરચેટ્ટુ, ગન્નરુ; તા. અલારિ, કરવીર; મલ. ક્વાવિરં; અં. ઇંડિયન ઓલીએન્ડર, સ્વીટ સેંટેડ ઓલીએન્ડર) છે. તે એક સદાહરિત ક્ષીરરસ…

વધુ વાંચો >