ખંડ ૪
ઔરંગાથી કાંસું
કવિયરંગ કવિદૈ
કવિયરંગ કવિદૈ : તમિળ કાવ્યનો અર્વાચીન પ્રકાર. એનો પ્રચાર 1940 પછી થયો. કવિયરંગમ્, કવિસંમેલનની જેમ એક સામૂહિક આયોજન છે. એમાં કવિઓ પહેલેથી નિશ્ચિત કરાયેલા વિષય પર કવિતાપાઠ કરે છે. પરિસંવાદની જેમ ‘કવિયરંગમ્’માં ભાગ લેનારો કવિગણ એક જ વિષયનાં વિવિધ પાસાંનું કાવ્યમાં નિરૂપણ કરે છે. કવિયરંગ કવિદૈ(કવિયરંગમમાં વંચાતી કવિતા)માં વિષય તથા…
વધુ વાંચો >કવિરાજ ગંગાધર
કવિરાજ ગંગાધર (જ. 1800, ભાગુસ (જેસોર); અ. 1887) : આયુર્વેદ આદિ પ્રાચીન ભારતીય સાહિત્યના મોટા અભ્યાસી અને લેખક. વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરીને 18 વર્ષની ઉંમરે રાજશાહી જિલ્લાના વેલવરિયાના પ્રખ્યાત કવિરાજ રમાકાન્ત સેન પાસે આયુર્વેદનો અભ્યાસ કરી 21 વર્ષની ઉંમરે કોલકાતામાં વૈદ્ય તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. પાછળથી તેમના પિતાના આદેશથી મુર્શિદાબાદમાં…
વધુ વાંચો >કવિલોક
કવિલોક : કવિતાની સંસ્થા અને કવિતાનું પ્રથમ દ્વિમાસિક. 1955 પછી મુંબઈમાં કવિ રાજેન્દ્ર શાહના નેજા નીચે કાવ્યો અને કાવ્યસંગ્રહો પ્રકાશિત કરવાના મનસૂબા સાથે શરૂ થયેલી આ કાવ્યસંસ્થાનું નામાભિધાન નિરંજન ભગતે કરેલું. ‘શ્રુતિ’ (રાજેન્દ્ર શાહ), ‘આર્દ્રા’ (‘ઉશનસ્’) અને ‘રાનેરી’ (મણિલાલ દેસાઈ) કાવ્યસંગ્રહોનાં છૂટક છૂટક પ્રકાશનો ઉપરાંત 1957ના ગ્રીષ્મમાં ‘કવિલોક’ નામનો ક્રાઉન…
વધુ વાંચો >કવિશિક્ષા
કવિશિક્ષા : શિખાઉ કવિઓ માટે કાવ્યરચનાના કસબની વ્યવહારુ માર્ગદર્શિકાના પ્રકારના સંસ્કૃત ગ્રંથો. એના વિષયો છે કવિની રહેણીકરણી, દિનચર્યા, કાર્યો, જીવન, ચારિત્ર્ય, કેળવણી ઇત્યાદિના નિયમો, કવિસભાઓ, કાવ્યપાઠની પદ્ધતિઓ, વાણીના પ્રકારો, આશ્રયદાતા રાજાની ફરજો, કવિઓના પ્રકારો, પ્રતિભા-વ્યુત્પત્તિ-અભ્યાસનું તારતમ્ય, કવિને અભ્યાસયોગ્ય શાસ્ત્રો-કળાઓ, કાવ્યચૌર્ય, કાવ્યવસ્તુના ઇતિહાસ-પુરાણાદિ સ્રોતો, રાજા-સૈન્ય-યુદ્ધ-નગર-વન આદિ કાવ્યના વર્ણનીય વિષયો, છંદ:સિદ્ધિ, શ્લેષસિદ્ધિ,…
વધુ વાંચો >કવિ શ્રીપાલ
કવિ શ્રીપાલ (બારમી સદી) : સિદ્ધરાજ જયસિંહના સમયના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ. એ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. સિદ્ધરાજે બંધાવેલા સહસ્રલિંગ સરોવર વિશે એમણે સંસ્કૃતમાં પ્રશસ્તિકાવ્ય રચેલું, તે શિલા પર કોતરાવી એના કીર્તિસ્તંભમાં મૂકેલું. એનો એક નાનો ટુકડો પાટણમાં એક મંદિરની ભીંતમાં ચણેલો છે. સિદ્ધરાજે સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેની પ્રશસ્તિ પણ શ્રીપાલે…
વધુ વાંચો >કશા (કશાભ)
કશા (કશાભ) (flagellum) : કોષની બાહ્ય સીમા તરફ આવેલા તારક-કેંદ્ર(centriole)ના દૂરસ્થ છેડા પરથી કોષના વિસ્તાર તરીકે નીકળતી ગતિશીલ (motile) અંગિકા. પ્રજીવ (protozoa) સમુદાયના કશાધારી (mastigophera) વર્ગનાં પ્રાણીઓ. પુંજન્યુ (male gametes) અને શુક્રકોષોમાં તે પ્રચલનઅંગ તરીકે કાર્ય કરે છે. વાદળી(sponges)ના કૉલરકોષો પણ કશાભ ધરાવતા હોય છે, જે વાદળીના શરીરમાં પ્રવેશેલા પાણીને…
વધુ વાંચો >કશાભિકા
કશાભિકા (flagella-bacterial) : કેટલાંક અસીમકેંદ્રી (procaryote) બૅક્ટેરિયા જેવાં સજીવોમાં આવેલાં ચલનાંગો (mobile organs). તે કોષની બાહ્ય સપાટીએથી કેશ જેવાં આણ્વિક સૂત્રો રૂપે નીકળે છે. આ અણુઓ મુખ્યત્વે તંતુમય પ્રોટીનોના બનેલા હોય છે. અસીમકેંદ્રી કોષોમાં દેખાતી કશાઓ જટિલ સ્વરૂપની હોય છે અને તે સૂક્ષ્મ તંતુકોરૂપે કોષના અંદરના ભાગમાંથી નીકળતી હોય છે.…
વધુ વાંચો >કશ્યપ
કશ્યપ : ગોત્રકાર સપ્તર્ષિઓમાંના એક, પ્રજાપતિઓમાંના એક, મંત્રદ્રષ્ટા ઋષિ. તે મરીચિ ઋષિના પુત્ર હતા. દક્ષ પ્રજાપતિએ પ્રજાવૃદ્ધિ અર્થે અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિકા, ક્રોધા, પ્રાધા, ઇલા, વિનતા, કપિલા, મુનિ અને કદ્રુ નામની તેર કન્યાઓ કશ્યપને પરણાવી હતી. પુરાણોમાં આ તેર કન્યાઓનાં અનેક નામાંતરો મળે છે. કશ્યપને આ પત્નીઓથી આદિત્ય,…
વધુ વાંચો >કશ્યપ શિવરામ લાલા
કશ્યપ, શિવરામ લાલા [જ. 6 નવેમ્બર 1882, જેલમ (પંજાબ); અ. 26 નવેમ્બર 1934, લાહોર] : સુપ્રસિદ્ધ ભારતીય વનસ્પતિશાસ્ત્રી. કાયસ્થ કુટુમ્બની ફક્ત લશ્કરી નોકરી કરવાની પરંપરા તોડીને 1900માં આગ્રાની મેડિકલ સ્કૂલનો ડિપ્લોમા મેળવીને કશ્યપ ડૉક્ટર થયા. ખાનગી વિદ્યાર્થી તરીકે પંજાબ યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવી જીવવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયા…
વધુ વાંચો >કશ્યપ સુભાષચંદ્ર ડૉ.
કશ્યપ, સુભાષચંદ્ર ડૉ. (જ. 10 મે 1929, ચાંદપુર, જિલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ) : બંધારણ-નિષ્ણાત, લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણની સમીક્ષા કરવા નિમાયેલ રાષ્ટ્રીય પંચના સભ્ય. પિતાનું નામ બળદેવદાસ તથા માતાનું નામ બસંતી. સમગ્ર શિક્ષણ ઉત્તરપ્રદેશના અલ્લાહાબાદ નગરમાં. એમ.એ. (રાજ્યશાસ્ત્ર), એલએલ.બી. તથા રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની પદવી મેળવી. વ્યાવસાયિક…
વધુ વાંચો >ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >