ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
એન. ઇબોબીસિંગ
એન. ઇબોબીસિંગ (જ. 13 એપ્રિલ 1921, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના નાટ્યકાર. તેમના નાટક ‘કરંગી મમ અમસુંગ કરંગી અરોઇબા યાહિપ’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનો વિધિસર અભ્યાસ 7 ધોરણ પૂરતો જ હતો, પણ તેમણે ખાનગી ધોરણે બંગાળી, હિંદી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 18 નાટકો, 3…
વધુ વાંચો >એનક્રુમા, ક્વામે
એનક્રુમા, ક્વામે (જ. 21 સપ્ટેમ્બર 1909; અ. 27 એપ્રિલ 1972, બુખારેસ્ટ, રોમાનિયા) : પશ્ચિમ આફ્રિકાના અગ્રણી સ્વાધીનતાસેનાની, સામ્રાજ્યશાહી-વિરોધી ચળવળના પ્રમુખ નેતા, સ્વતંત્ર ઘાનાના પ્રથમ પ્રધાનમંત્રી (1952) તથા પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ (1960). રોમન કૅથલિક ધર્મની દીક્ષા લીધા બાદ તે પંથના નેજા હેઠળની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. 1930માં સ્નાતક થયા અને કૅથલિક…
વધુ વાંચો >એન.સી.ઈ.આર.ટી.
એન.સી.ઈ.આર.ટી. (National Council of Educational Research and Training – NCERT) : ભારતની શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સંશોધન અને તાલીમના કાર્યક્રમો હાથ ધરવા માટે સપ્ટેમ્બર, 1961માં ભારત સરકારે સ્થાપેલી તથા સોસાયટિઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, 1960 હેઠળ સ્વાયત્ત ઘટક તરીકે માન્યતા ધરાવતી સંસ્થા. ઉપર દર્શાવેલ હેતુ માટે આ સંસ્થામાં વિવિધ વિભાગો…
વધુ વાંચો >એન.સી.સી.
એન.સી.સી. (National Cadet Corps) : જુઓ નૅશનલ કૅડેટ કોર
વધુ વાંચો >ઍનહાઇડ્રાઇટ
ઍનહાઇડ્રાઇટ : અગત્યનું કૅલ્શિયમ ખનિજ. રા. બં. : CaSO4; સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ કે મેજ આકારના સ્ફટિક, દાણાદાર, તંતુમય (fibrus) અથવા દળદાર (massive); રં. : રંગવિહીન, સફેદ, ભૂખરો, ગુલાબી, જાંબલી, રતાશ પડતો, કથ્થાઈ કે વાદળી; સં. : પિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. : સંભેદ સપાટી પર મૌક્તિક,…
વધુ વાંચો >ઍનહાઇડ્રાઇડ
ઍનહાઇડ્રાઇડ : ઍસિડ(કોઈ વાર બેઝ)ના એક કે બે અણુમાંથી પાણીનો અણુ દૂર કરતાં પ્રાપ્ત થતાં સંયોજનો. અધાતુ તત્ત્વોના ઑક્સાઇડને ઍસિડ ઍનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે, કારણ કે પાણીનો અણુ ઉમેરાતાં ઍસિડ મળે છે; દા. ત., સલ્ફર-ટ્રાયૉક્સાઇડ SO3 સલ્ફ્યુરિક ઍસિડ(H2SO4)નો, ફૉસ્ફરસ પેન્ટૉક્સાઇડ P2O5 ફૉસ્ફોરિક ઍસિડ(H3PO4)નો અને ક્રોમિયમ ટ્રાયૉક્સાઇડ CrO3 ક્રોમિક ઍસિડ(H2CrO4)નો ઍનહાઇડ્રાઇડ…
વધુ વાંચો >ઍનાકાર્ડિયમ, એલ.
ઍનાકાર્ડિયમ, એલ. (Anacardium, L.) : જુઓ કાજુ.
વધુ વાંચો >ઍનાકાર્ડિયેસી
ઍનાકાર્ડિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેલિસ ગોત્રનું એક કુળ. આ કુળ 73 પ્રજાતિઓ અને લગભગ 600 જેટલી જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયું હોવા છતાં યુરેશિયા અને અમેરિકાના ઉત્તર સમશીતોષ્ણ વિસ્તારોમાં કેટલીક જાતિઓ થાય છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Rhus (50 જાતિઓ), Searsia (50 જાતિઓ),…
વધુ વાંચો >એનાગેલિસ
એનાગેલિસ : દ્વિદળી વર્ગમાં આવેલા પ્રિમ્યુલેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું વિતરણ પશ્ચિમ યુરોપ, આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. Anagalis arvensis Linn. (ગુ. ગોળ ફૂદી, કાળી ફૂદી; હિં. જંગમની, કૃષ્ણનીલ) એક નાની, બહુ શાખિત, 15 સેમી.થી 45 સેમી. ઊંચી એકવર્ષાયુ શાકીય જાતિ છે…
વધુ વાંચો >એનાટૅક્સિસ
એનાટૅક્સિસ (anataxis) : ઊંચા તાપમાને પૃથ્વીના પોપડામાં ઉદભવતી વિકૃતિ પ્રક્રિયા. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના પોપડાના ઊંડાણમાં અંત:કૃત ખડકો પીગળે છે અને મૅગ્મામાં પરિણમે છે. સિન્ટૅક્સિસ પણ આવા જ પ્રકારની પ્રક્રિયા છે. એમાં પૃથ્વીના પેટાળમાં ઊંડાણમાં રહેલા ખડકોની ગલનક્રિયા તેમજ અન્ય પદાર્થોની સ્વાંગીકરણક્રિયા (assimilation) બને છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >