ખંડ ૩

ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)

ઉષ:કાલ (1895-1897)

ઉષ:કાલ (1895-1897) : મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપ્ટેની પ્રથમ ઐતિહાસિક નવલકથા. તે 1895થી 1897 દરમિયાન ‘કરમણૂક’ સામયિક ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી. તેમાં મરાઠાશાહીના ઉદયકાળનું રોમહર્ષક ચિત્ર છે. દસ વર્ષથી સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ લખનાર હરિભાઉ 1895માં ઐતિહાસિક નવલકથા તરફ વળે છે. 1890થી ન્યા. મૂ. રાનડે, ન્યા. મૂ. તેલંગ અને ઇતિહાસાચાર્ય રાજવાડે…

વધુ વાંચો >

ઉષા

ઉષા : વૈદિક દેવતા ઋષિઓનું આરાધ્ય સુંદર પ્રકૃતિતત્વ. કાવ્યર્દષ્ટિએ સૌથી મહત્વનાં અને તેથી વૈદિક કવિતાનાં સર્વાધિક સુન્દરતમ સર્જન સમાં ઉષાદેવીના અદભુત વ્યક્તિત્વમાંના નિત્યનવીન તાજગીભર્યા સૌન્દર્યને વર્ણવતા ઋગ્વેદના ઋષિઓની પ્રતિભા પરાકાષ્ઠાએ પહોંચી છે. પ્રકાશ-વસ્ત્રોમાં સજ્જ અને અતુલનીય સૌંદર્યથી દેદીપ્યમાન ઉષાદેવી એકધારી નિયમિતતાથી ऋतावरी-સ્વરૂપે પૂર્વ દિશામાં પધારે, અંધકારગુપ્ત અઢળક સંપત્તિના ખજાનાઓ ખુલ્લા…

વધુ વાંચો >

ઉષા પી. ટી.

ઉષા, પી. ટી. (જ. 20 મે 1964, પાયોલી, કેરળ) : ભારતની શ્રેષ્ઠ દોડરાણી. ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં મિલ્ખાસિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાક્યું હોય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર ભારતનું નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો તે એશિયાઈ દોડરાણીએ. તે ‘ફ્લાઇંગ રાણી’, ‘પાયોલી એક્સપ્રેસ’, ‘ગોલ્ડન ગર્લ’ જેવા જુદા…

વધુ વાંચો >

ઉષારાત્રી

ઉષારાત્રી : વૈદિક યુગ્મદેવતા. ઉષારાત્રીનું યુગ્મરૂપે (ક્યારેક नक्तोषासा તરીકે) આવાહન અનેક વાર છતાં સામાન્ય રીતે ઋગ્વેદમાં विश्वदेवा: સૂક્તોમાં અને आप्री સૂક્તોમાં જ થયું છે, એ નોંધપાત્ર છે. ‘સમૃદ્ધ દેવીઓ’, ‘દિવ્ય ક્ધયાઓ’, ‘આકાશની પુત્રીઓ’ અને ‘ઋતની માતાઓ’ સમું આ દેવીયુગ્મ પરસ્પરના રંગનું પરિવર્તન કરીને વારાફરતી પ્રગટ થાય છે, પ્રાણીઓને જાગ્રત કરે…

વધુ વાંચો >

ઉષ્ણ કટિબંધ

ઉષ્ણ કટિબંધ : કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં 0o અક્ષાંશથી  અક્ષાંશ વચ્ચે આવેલો પ્રદેશ. આમ છતાં 30o ઉ. અ. અને 30o દ. અ. સુધી ઉષ્ણ કટિબંધ જેવી આબોહવા રહે છે. પૃથ્વી પોતાની ધરી ઉત્તર દિશામાં નમતી રાખીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી જુદે જુદે સમયે વર્ષ દરમિયાન…

વધુ વાંચો >

ઉષ્ણજળજન્ય નિક્ષેપો

ઉષ્ણજળજન્ય નિક્ષેપો (hydrothermal deposits) : મૅગ્માજન્ય જલ-બાષ્પથી પરિવર્તિત ખડકપેદાશો કે પરિવર્તિત ખનિજ અથવા ધાતુખનિજનિક્ષેપો. પૃથ્વીના પોપડાના ઊંડાણમાંથી ઊર્ધ્વ ગતિ કરતું ઉષ્ણજળ મૅગ્માજન્ય જ હોય તે જરૂરી નથી. અતિ ઊંચા તાપમાનવાળું જળ વધુ પડતું ક્રિયાશીલ બની જાય છે, તે સિલિકેટ ખનિજોનું વિઘટન કરવા તથા સામાન્યપણે અદ્રાવ્ય ગણાતાં ઘટક દ્રવ્યોને ઓગાળી નાખવા…

વધુ વાંચો >

ઉષ્ણતાજન્ય વિકૃતિ

ઉષ્ણતાજન્ય વિકૃતિ (thermal metamorphism) : પૃથ્વીના પોપડાના અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉપર મુખ્યત્વે ઉષ્ણતાને કારણે થતી વિકૃતિ. અગ્નિકૃત કે જળકૃત ખડકો ઉપર ઉષ્ણતા અને દાબની અલગ કે સંયુક્ત અસરથી અથવા ઉષ્ણતા અને સમદાબથી પેદા થતી વિકૃતિનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : આવી અસરોથી પેદા થતા ખડકોને વિકૃત ખડકો કહે…

વધુ વાંચો >

ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ

ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ (dynamo-thermal metamor-phism) : અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉપર ઉષ્મા તથા દાબની સંયુક્ત અસરથી પેદા થતી વિકૃતિ. આ પ્રકારની વિકૃતિની અસર વિશાળ ખડકવિસ્તારોમાં જોવા મળતી હોવાથી તે પ્રાદેશિક વિકૃતિ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારની વિકૃતિપ્રક્રિયા હિમાલય અને અરવલ્લી જેવી ગિરિનિર્માણની ક્રિયા સાથે સંકળાયેલ ખડકોમાં જોવા મળે છે. ઉષ્ણતાદાબજન્ય…

વધુ વાંચો >

ઉષ્ણતાનયનના પ્રવાહો

ઉષ્ણતાનયનના પ્રવાહો (ભૂસ્તર) : ભૂમધ્યાવરણ અસમપ્રમાણમાં ગરમ થતાં તેના બંધારણમાંના દ્રવ્યની વર્તુલાકાર ગતિ. આ વિચાર 1920થી 1930ના ગાળામાં આર્થર હોમ્સે રજૂ કર્યો હતો. ભૂમધ્યાવરણ દ્રવ્યના એક પૂર્ણ એકમને ચક્ર (cell) કહે છે. ઉષ્ણતાનયનના પ્રવાહની વિચારધારા, ખંડીય પ્રવહન (continental drift) અને સમુદ્રતળ-વિસ્તરણ (sea-floor spreading) જેવી ઘટનાઓ સમજાવવા માટે ઉપયોગી છે. 100…

વધુ વાંચો >

ઉષ્ણતાવિદ્યુત

ઉષ્ણતાવિદ્યુત (pyroelectricity) : સ્ફટિકમાં તાપમાનના ફેરફારને કારણે, તેના જુદા જુદા ભાગ ઉપર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉત્પન્ન થવાથી ઉદભવતી વિદ્યુત. આ ઘટના સૌપ્રથમ 1824માં ક્વાર્ટ્ઝના સ્ફટિકમાં જોવા મળી. તે ઓછામાં ઓછી એકધ્રુવીય સમમિતિ અક્ષ ધરાવતા અવાહક સ્ફટિકીકૃત (crystallised) પદાર્થો વડે રજૂ થતી હોય છે. [ધ્રુવીયનો અર્થ સમમિતિ કેન્દ્ર (centre of symmetry).…

વધુ વાંચો >

ઈલેટિનેસી

Jan 1, 1991

ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…

વધુ વાંચો >

ઈલેસ્ટોમર

Jan 1, 1991

ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…

વધુ વાંચો >

ઈલોરા

Jan 1, 1991

ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…

વધુ વાંચો >

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ

Jan 1, 1991

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…

વધુ વાંચો >

ઈવાન્જેલિકલ ચર્ચ

Jan 1, 1991

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

Jan 1, 1991

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…

વધુ વાંચો >

ઈવાલ, યોહૅનિસ

Jan 1, 1991

ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…

વધુ વાંચો >

ઈવોલ્વુલસ

Jan 1, 1991

ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).

વધુ વાંચો >

ઈવ્ઝ્ (Eaves) – નેવાં

Jan 1, 1991

ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…

વધુ વાંચો >

ઈશાનવર્મા

Jan 1, 1991

ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…

વધુ વાંચો >