ઉષારાત્રી : વૈદિક યુગ્મદેવતા. ઉષારાત્રીનું યુગ્મરૂપે (ક્યારેક नक्तोषासा તરીકે) આવાહન અનેક વાર છતાં સામાન્ય રીતે ઋગ્વેદમાં विश्वदेवा: સૂક્તોમાં અને आप्री સૂક્તોમાં જ થયું છે, એ નોંધપાત્ર છે. ‘સમૃદ્ધ દેવીઓ’, ‘દિવ્ય ક્ધયાઓ’, ‘આકાશની પુત્રીઓ’ અને ‘ઋતની માતાઓ’ સમું આ દેવીયુગ્મ પરસ્પરના રંગનું પરિવર્તન કરીને વારાફરતી પ્રગટ થાય છે, પ્રાણીઓને જાગ્રત કરે છે અને યજ્ઞ-વિતાન વણે છે. सुयेशसा, बृहती, सुयुधे, पयस्वती, बर्हिषदा, विदुषी જેવાં વિશેષણો આ મોટી-નાની બહેનોને વિભૂષિત કરે છે.

જયાનંદ દવે