ખંડ ૩

ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)

ઉલ્લુર (1877-1949)

ઉલ્લુર (જ. 6 જૂન 1877 ત્રાવણકોર, કેરાલા અ. 15 જૂન 1949 તિરુવનંતપુરમ્) : અર્વાચીન મલયાળમ કવિત્રિપુટીમાંના એક. બીજા બે આસાન અને વલ્લાથોલ. આખું નામ ઉલ્લુર એસ. પરમેશ્વર આયર. સામાન્ય રીતે એમનો પરિચય મલયાળમના વિદ્વાન કવિ તરીકે આપવામાં આવે છે. તેમનામાં સર્જકતા જેટલી જ વિદ્વત્તા હતી. મલયાળમ ઉપરાંત તમિળ, અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઉવએસપદ (ઉપદેશપદ)

ઉવએસપદ (ઉપદેશપદ) (આઠમી સદી) : ઉપદેશલક્ષી સાહિત્યની પ્રાકૃત રચના. પ્રાકૃત કથાસાહિત્યમાં કેટલાક એવા ગ્રંથ પણ લખાયા છે, જે હકીકતમાં ધર્મોપદેશ માટે છે, છતાં તેમાં મળતી કથાઓ તે ગ્રંથોને મનોરંજક બનાવી દે છે. ‘ઉપદેશપદ’ એવી જ ઔપદેશિક કથાસાહિત્યની રચના છે. તેની રચના યાકિનીમહત્તરાના ધર્મપુત્ર અને ‘વિરહાંક’ પદથી પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ દ્વારા…

વધુ વાંચો >

ઉવએસમાલા (ઉપદેશમાલા)

ઉવએસમાલા (ઉપદેશમાલા) (ચોથી-પાંચમી સદી) : પ્રાકૃતના ઔપદેશિક કથાસાહિત્યમાં ધર્મદાસગણિની રચના. ઉપદેશમાલા ઔપદેશિક કથાસાહિત્યનો આદિ અને મહત્વનો ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં પ્રાચીન જૈનાચાર્યોના નીતિ-પરક ઉપદેશોને 542 પ્રાકૃત ગાથાઓમાં મનોહારી ર્દષ્ટાન્તો સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પારમ્પરિક ર્દષ્ટિથી ધર્મદાસગણિ ભગવાન મહાવીરના સમકાલીન મનાય છે. પરંતુ ડૉ. જગદીશચંદ્ર જૈનના મત અનુસાર ધર્મદાસગણિ…

વધુ વાંચો >

ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ)

ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ) (ચોથી-પાંચમી સદી) : ઉપદેશાત્મક પ્રાકૃત કૃતિ. આ પ્રકરણગ્રંથના કર્તા ધર્મદાસગણિ ક્ષમાશ્રમણને જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીરના હસ્તે દીક્ષા પામેલા તેમના અંતેવાસી માનવામાં આવે છે, પરંતુ પુરાવાને આધારે ચોથી-પાંચમી સદીમાં તેમને મૂકી શકાય. પોતાના સાંસારિક પુત્ર રણસિંહકુમારને પ્રતિબોધવા નિમિત્તે, સર્વ જીવોના કલ્યાણ અર્થે, 540 (544) ગાથાના આ પ્રકરણની…

વધુ વાંચો >

ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર)

ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર) (ઈ. તેરમી સદી) : પ્રાકૃત ગ્રંથ. તેના લેખક સહસ્રાવધાની મુનિ સુન્દરસૂરિ છે. તેમને બાલસરસ્વતી કે વાદિગોકુલષણ્ડ નામથી પણ સન્માનિત કરવામાં આવતા હતા. તે વિ.સં. 1319 પૂર્વેની રચના મનાય છે. આ ગ્રંથ ચાર વિભાગમાં છે. તેમાં બાર તરંગ છે. અનેક ર્દષ્ટાંતો દ્વારા ધર્મનું સ્વરૂપ સરળતાથી સમજાવ્યું છે. આ ઉપરાંત…

વધુ વાંચો >

ઉવટ (ઈ. અગિયારમી સદી)

ઉવટ (ઈ. અગિયારમી સદી) : શુક્લ યજુર્વેદના સુપ્રસિદ્ધ ભાષ્યકાર. તેઓ વજ્રટના પુત્ર હતા અને ઉજ્જયિનીમાં રહીને તેમણે રાજા ભોજના સમયમાં (વિ. સં. 1100) યજુર્વેદ પર ભાષ્યની રચના કરી હતી. (आनन्दपुरवास्तव्यवज्रटस्य च सूनुना । उवटेन कृतं भाष्यमुज्जयिन्यां स्थितेन तु ।।) તેઓ નાગર બ્રાહ્મણ અને આનંદપુર એટલે હાલના વડનગરના વતની હતા. આ…

વધુ વાંચો >

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ)

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ) (જ. 28 સપ્ટેમ્બર 1920, સાવલી, જિ. વડોદરા અ. 6 નવેમ્બર 2011, વલસાડ) : અનુગાંધીયુગીન ગુજરાતી કવિ. માતા લલિતાબહેન. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં. વડોદરા કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. (1942) અને ગુજરાતી સાથે એમ.એ. (1945) થયા. એ દરમિયાન રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક અને થોડોક સમય ‘નભોવાણી’ના…

વધુ વાંચો >

ઉશમલ

ઉશમલ : આઠ પ્રકારનાં મકાનજૂથોથી શોભતું માયા સંસ્કૃતિનું, હાલ મેક્સિકોના અખાતી વિસ્તારમાં મુકતાનમાં આવેલું અતિ સુંદર શહેર. માયા સંસ્કૃતિના પુનરુત્થાનકાળમાં 987માં બંધાયેલા ઉશમલનો ઇતિહાસ પરંપરા, લોકસાહિત્ય ને લખાણોમાં મળે છે. તારીખવાળા સોળ જેટલા દશમી સદીના ઉત્કીર્ણ-અલંકૃત સ્તંભો ઉશમલ આસપાસથી મળ્યા છે. અહીંનું વામનજીનું દોઢસો પગથિયાંવાળું મંદિર ધ્યાન ખેંચે તેવું છે.…

વધુ વાંચો >

ઉષવદાત

ઉષવદાત (ઈ. પ્રથમ સદીમાં હયાત) : ક્ષત્રપ રાજા નહપાનનો જમાઈ, તેદીનીકનો પુત્ર, દક્ષમિત્રાનો પતિ અને શક જાતિનો ભારતીયકરણ પામેલો ઉષવદાત (ઋષભદત્ત) નાસિક-કાર્લેની ગુફામાંના કોતરલેખોથી ખ્યાતિ પામેલો છે. બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનાં એનાં લખાણોથી સમકાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની સારી માહિતી મળે છે. ઈસુની પ્રથમ સદી દરમિયાન વિદ્યમાન ઉષવદાતે નાસિકથી…

વધુ વાંચો >

ઉષ:કાલ (1895-1897)

ઉષ:કાલ (1895-1897) : મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપ્ટેની પ્રથમ ઐતિહાસિક નવલકથા. તે 1895થી 1897 દરમિયાન ‘કરમણૂક’ સામયિક ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી. તેમાં મરાઠાશાહીના ઉદયકાળનું રોમહર્ષક ચિત્ર છે. દસ વર્ષથી સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ લખનાર હરિભાઉ 1895માં ઐતિહાસિક નવલકથા તરફ વળે છે. 1890થી ન્યા. મૂ. રાનડે, ન્યા. મૂ. તેલંગ અને ઇતિહાસાચાર્ય રાજવાડે…

વધુ વાંચો >

ઈલેટિનેસી

Jan 1, 1991

ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…

વધુ વાંચો >

ઈલેસ્ટોમર

Jan 1, 1991

ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…

વધુ વાંચો >

ઈલોરા

Jan 1, 1991

ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…

વધુ વાંચો >

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ

Jan 1, 1991

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…

વધુ વાંચો >

ઈવાન્જેલિકલ ચર્ચ

Jan 1, 1991

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

Jan 1, 1991

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…

વધુ વાંચો >

ઈવાલ, યોહૅનિસ

Jan 1, 1991

ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…

વધુ વાંચો >

ઈવોલ્વુલસ

Jan 1, 1991

ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).

વધુ વાંચો >

ઈવ્ઝ્ (Eaves) – નેવાં

Jan 1, 1991

ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…

વધુ વાંચો >

ઈશાનવર્મા

Jan 1, 1991

ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…

વધુ વાંચો >