ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઇન્ટરફેરૉમેટ્રી

ઇન્ટરફેરૉમેટ્રી : વ્યતિકરણની ઘટના ઉપર આધારિત સૂક્ષ્મ માપન માટેની પદ્ધતિઓ. જુદા-જુદા સ્રોતમાંથી ઉદભવતા તરંગો તેમના પ્રસારના ક્ષેત્રમાં સંગઠિત અસર ઉપજાવે છે. આવી અસરને તરંગોનું વ્યતિકરણ (interference) કહે છે. વ્યતિકરણને કારણે અમુક સ્થાન આગળ, જ્યાં વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગો વચ્ચે કલા(phase)નો તફાવત 0, 2π, 4π,,…… જેટલો હોય ત્યાં કંપમાત્રા (એટલે…

વધુ વાંચો >

ઇન્ટરલ્યૂડ

ઇન્ટરલ્યૂડ : ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં નાટકની વચ્ચે અથવા વિરામ સમયે મનોરંજન માટે ભજવાતું ટૂંકું ર્દશ્ય. ઇંગ્લૅન્ડમાં પ્રેમ અને યૌવનનાં લઘુનાટ્યો (playlets) પ્રવાસી નટમંડળીઓ દ્વારા ઉત્સવો કે ભોજન-સમારંભોમાં ભજવાતાં. કથાનક નાનું અને પાત્રો મર્યાદિત રહેતાં. જૂનામાં જૂનું ઇન્ટરલ્યૂડ તે ‘ઇન્ટરલ્યૂડિયમ દ. ક્લેરિકો એત્ પ્યૂએલા’ (1290-1335) મળે છે. તેમાં નટ અને એક…

વધુ વાંચો >

ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC, સંકલિત પરિપથ)

ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC, સંકલિત પરિપથ ) : ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ જેવા સક્રિય ઘટકો, પ્રતિરોધક (resistor) તથા સંધારિત્ર (capacitor) જેવા અક્રિય (passive) ઘટકો અને તેમની વચ્ચેનાં જરૂરી જોડાણોવાળી, એક એકમ તરીકે વર્તતી સિલિકનના એકલ સ્ફટિક(single crystal)ની સૂક્ષ્મ (ક્ષેત્રફળ 50 મિલ x 50 મિલ, 1 મિલ = 0.001 ઇંચ) પાતળી પતરી (chip)…

વધુ વાંચો >

ઇન્ટુક

ઇન્ટુક (Indian National Trade Union Congress – INTUC) : કૉંગ્રેસની શ્રમિક પાંખ. ભારતના ઔદ્યોગિક કામદારોનું પ્રતિનિધિત્વ કરતું અખિલ ભારતીય મજૂરમંડળ. સભ્ય-સંખ્યાની ર્દષ્ટિએ તે મોટામાં મોટું મજૂરમંડળ છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રોત્સાહનથી તેની સ્થાપના 3 મે 1947માં થઈ ત્યારે દેશના 200 જેટલા કામદાર સંઘો (યુનિયનો) આ સંસ્થા સાથે જોડાયેલા. સ્થાપના પછી…

વધુ વાંચો >

ઇન્ટ્રાડોસ

ઇન્ટ્રાડોસ : જુઓ કમાન

વધુ વાંચો >

ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલૉજિકલ સેન્ટર

ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલૉજિકલ સેન્ટર : રાસાયણિક પ્રદૂષણની સ્વાસ્થ્ય ઉપરની અસર અટકાવવાનું તેમજ તેની સારવારનું કેન્દ્ર. સંશોધન માટે ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે નવેમ્બર 1965માં તેની સ્થાપના કરી હતી. તેના મુખ્ય હેતુઓ અને ઉદ્દેશો આ પ્રમાણે છે : (1) વ્યવસ્થિત આરોગ્ય સર્વેક્ષણ દ્વારા, ઉદ્યોગો અને ખેતરોમાં કામ કરતા કામદારોના આરોગ્યને…

વધુ વાંચો >

ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.)

ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.) : ભારતમાં ઉદ્યોગો માટે કારીગરો તૈયાર કરતી સંસ્થા. ઉદ્યોગો માટે તાલીમ પામેલા અર્ધકુશળ અને કુશળ કારીગરો પૂરતી સંખ્યામાં સતત મળી રહે, ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે, શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે અને સ્વરોજગાર માટે તેઓ તૈયાર થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સરકાર દ્વારા…

વધુ વાંચો >

ઇન્ડિકેટ્રિક્સ

ઇન્ડિકેટ્રિક્સ (Indicatrix) : ખનિજ સ્ફટિકના વક્રીભવનાંકનો ત્રિજ્યા તરીકે ઉપયોગ કરીને એક બિન્દુની આસપાસ રચવામાં આવતી આકૃતિ. કેટલીક વખતે ખનિજ સ્ફટિકોનાં પ્રકાશીય લક્ષણો ઇન્ડિકેટ્રિક્સ (ઇન્ડેક્સ ઇલિપ્સોઇડ) તરીકે ઓળખાતી આકૃતિઓ દ્વારા દર્શાવવાં વધુ અનુકૂળ પડે છે. દ્વિવક્રીભવનનો ગુણ ધરાવતાં વિષમદર્શી (anisotropic) ખનિજો માટે એકાક્ષી તેમજ દ્વિઅક્ષી એ પ્રમાણેની બે પ્રકારની ઇન્ડિકેટ્રિક્સ આકૃતિઓ…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશન

ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશન : ભારતીય અર્થશાસ્ત્રમંડળ : સ્થાપના 1917. ભારતમાં અર્થશાસ્ત્ર વિષયના સૈદ્ધાંતિક અને પ્રયુક્ત અભ્યાસને તથા તેના સંશોધનને પ્રોત્સાહન આપતું મંડળ. પ્રથમ કન્વીનર પ્રો. હૅમિલ્ટન તથા રાષ્ટ્રીય કક્ષાના આર્થિક પરિષદના પ્રથમ અધ્યક્ષ પ્રો. પર્સી એન્સ્ટે હતા. પ્રો. એમ. એલ. ટેનાન, પ્રો. સી. એન. વકીલ, પ્રો. એમ. એલ. દાંતવાળા, પ્રો.…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન

ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન (1916) : ભારતના ઔદ્યોગિક વિકાસના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતો આયોગ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મૂળ હેતુ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તૈયાર માલના વિનિમયને પ્રોત્સાહન આપવાનો હતો અને તેથી નિકાસ વ્યાપારની ર્દષ્ટિએ મહત્વ ધરાવતા ભારતીય ઉદ્યોગોને ઉત્તેજન આપવાની નીતિ કંપનીએ સ્વીકારી હતી. પરંતુ તેને લીધે ઇંગ્લૅન્ડના ઉદ્યોગોનાં હિતો જોખમાશે…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >