ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આનૂઈ, ઝાં

આનૂઈ, ઝાં (Anouilh, Jean) (જ. 23 જૂન 1910, બૉર્દો; અ. 1985) : અગ્રણી ફ્રેંચ નાટકકાર. તેમણે ત્રીસેક નાટકો રચ્યાં હતાં, જે પૈકી કેટલાંક ઉચ્ચ કોટિનાં છે. તેમનું સ્થાન સાર્ત્ર, કામુ, બૅકેટ, ઇયોનેસ્કો જેવા મહાન નાટકકારોમાં છે. તેમણે પૅરિસમાં આવી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ જાહેરાતની પેઢીમાં કામ કર્યું હતું. તેમનું નાટક…

વધુ વાંચો >

આન્તસેનગ્રુબેર,લુડવિગ

આન્તસેનગ્રુબેર, લુડવિગ (જ. 29 નવેમ્બર 1839, વિયેના; અ. 10 ડિસેમ્બર 1889, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર. તેમણે ઘણો સમય રંગભૂમિના કલાકાર તરીકે કામ કર્યું. પાછળથી વીસ બોધપ્રદ નાટકો જર્મનમાં લખ્યાં, જેમાં ઑસ્ટ્રિયાના ગ્રામજીવનનું વાસ્તવિક ચિત્ર આલેખ્યું છે. તેમનાં નાટકોમાં તેમણે ત્યાંની લોકબોલીનો અસરકારક ઉપયોગ કર્યો હતો. તેમનું કાર્યક્ષેત્ર લોકનાટ્યનું નવસંસ્કરણ અને…

વધુ વાંચો >

આન્દ્રા

આન્દ્રા : જાણીતા પંજાબી લેખક સંતસિંહ શેખોં(જ. 30 મે 1908; અ. 1997)ની મનોવૈજ્ઞાનિક નવલકથા. તેમાં સળંગ ચેતનાપ્રવાહ (stream of consciousness) ની શૈલીમાં નાયકનું આંતરદ્વન્દ્વ દર્શાવ્યું છે. જમીનદારે એક જણનું ‘ખૂન’ કરાવવાનું ષડયંત્ર રચ્યું છે. હત્યારાઓને કામે લગાડ્યા છે. ત્યાં તેને ખબર પડે છે કે જેનું એ ખૂન કરવા તત્પર થયો…

વધુ વાંચો >

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ

આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ (જ. 21 ઑગસ્ટ 1871, ઓર્યોલ; અ. 12 સપ્ટેમ્બર 1919, ફિનલૅન્ડ) : રશિયન વાર્તાકાર અને નાટ્યકાર. રશિયન સાહિત્યમાં તે નિરાશાવાદી લેખક તરીકે જાણીતા છે. તેમણે 1894માં અનેક વાર આપઘાતના પ્રયત્નો કર્યા હતા. કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરીને તેઓ બૅરિસ્ટર થયેલા. તેઓ ગુનાઓના અખબારી અહેવાલ લખતા. મૅક્સિમ ગૉર્કીના તેઓ મિત્ર હતા.…

વધુ વાંચો >

આન્દ્રોપોવ, યુરી

આન્દ્રોપોવ, યુરી (જ. 15 જૂન 1914, નાગુસ્કોએ, રશિયા; અ. 9 ફેબ્રુઆરી 1984, મૉસ્કો) : પૂરું નામ આન્દ્રોપોવ, યુરી વ્લાદીમીરોવિચ. બ્રેઝનેવના મૃત્યુ બાદ લગભગ બે વર્ષ (1982-1984) સુધી સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રીપદે રહ્યા હતા. નાનપણમાં કિશોરોનાં સામ્યવાદી મંડળો (Komsomol) માં સક્રિય, જેમાં સફળતા મેળવતાં કારેલો-ફિનિશ સ્વાયત્ત પ્રજાસત્તાકમાં કિશોર મંડળોના વડા…

વધુ વાંચો >

આન્વીક્ષિકી

આન્વીક્ષિકી : પ્રાચીન ભારતની 14માંની એક વિદ્યા. અન્વીક્ષાથી પ્રવૃત્ત થાય તે, ન્યાયવિદ્યા. ધર્મસૂત્રોમાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (ઈ. પૂ. 400) રાજાના વિદ્યાભ્યાસ માટે ત્રયી આન્વીક્ષિકી વાર્તા (કૃષિ, પશુપાલન, વાણિજ્ય) અને દંડનીતિ – એ વિષયોની ભલામણ કરી છે. ગૌતમપ્રણીત ન્યાયસૂત્રના પ્રથમ સૂત્રમાં ન્યાયદર્શનના 16 પદાર્થો ગણાવ્યા છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન…

વધુ વાંચો >

આન્વેઈ

આન્વેઈ (Anhui) : ચીનના પૂર્વ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 310 40´ ઉ. અ. અને 1170 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ચીનના 21 પ્રાંતો પૈકીનો આ નાનામાં નાનો પ્રાંત છે અને બધી બાજુએ ભૂમિભાગોથી બંધિયાર છે. તેની ઈશાન તરફ કિયાંગ્સુ, અગ્નિ તરફ ચેકિયાંગ,…

વધુ વાંચો >

આપ

આપ (आप:) : અન્ય પ્રાકૃતિક તત્વોની જેમ દૈવીકરણ પામેલાં જળ. આ દિવ્ય જળ સ્વયં शंद्रु અને पावका: હોવાથી વાત્સલ્યપૂર્ણ માતાઓ અને વરપ્રદાયિની દેવીઓના સ્વરૂપે અન્યને પાવન કરે છે. નૈતિક અપરાધો, હિંસાત્મક અત્યાચારો, અસત્ય વ્યવહારો, શાપોચ્ચારો વગેરે પાપો-કલંકોનાં પ્રમાર્જન તથા વ્યાધિમુક્તિ, દીર્ઘાયુષ્યલાભ અને અમરત્વપ્રાપ્તિ માટે સ્તોતા आप:નું આ પ્રકારે આહ્વાન કરે…

વધુ વાંચો >

આપખુદશાહી

આપખુદશાહી (authoritarianism) : એકહથ્થુ સત્તાવાદ. એવી પદ્ધતિની સરકાર કે જ્યાં એક નેતા કે નાના જૂથના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું હોય અને જે બંધારણીય રીતે પ્રજાને જવાબદાર ન હોય. બંધારણીય લોકશાહીથી તે તદ્દન વિરોધી છે. લશ્કરી વિજય કે લોકોની એષણાઓ સંતોષવાના નામે કામચલાઉ સરમુખત્યારશાહી(dictatorship)ના સ્વરૂપમાં કે કટોકટી(emergency)ની સ્થિતિ દ્વારા કાયદાવિહીન શાસનને…

વધુ વાંચો >

આપઘાત

આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >