૨૪
સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક
સોઇન્કા વોલ
સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…
વધુ વાંચો >સોકોટો (નદી)
સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…
વધુ વાંચો >સોકોત્રા (Socotra)
સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…
વધુ વાંચો >સૉક્રેટિસ
સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…
વધુ વાંચો >સોગંદનામું (affidavit)
સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…
વધુ વાંચો >સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)
સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…
વધુ વાંચો >સોચા જૂન સૂરતૂન (1990)
સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…
વધુ વાંચો >સોજિત્રા
સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…
વધુ વાંચો >સોઝ હીરાનંદ
સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…
વધુ વાંચો >સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >સ્વરગુણ (Timbre)
સ્વરગુણ (Timbre) : સંગીતવાદ્ય કે ધ્વનિ વડે પેદા થતા સ્વર(note)ને, તારત્વ (pitch) અને તીવ્રતા (intensity) સિવાય, સ્પષ્ટપણે જુદો પાડતો ગુણ (quality). સ્વરગુણ, સામાન્ય રીતે સાપેક્ષ કંપવિસ્તાર અને અંશસ્વરની સંખ્યા ઉપર આધાર રાખે છે. ધ્વનિમાં સામેલ થતા વિવિધ સ્વરકો(tone)ના કંપવિસ્તારના મિશ્રણ ગુણોત્તર (mixing ratio) માટેની સંજ્ઞા. સંગીતવાદ્યોને, તે પેદા કરતા ધ્વનિના…
વધુ વાંચો >સ્વરતંત્રનિરીક્ષા પ્રતિબિંબ
સ્વરતંત્રનિરીક્ષા, પ્રતિબિંબ : જુઓ સ્વરપેટીનિરીક્ષા.
વધુ વાંચો >સ્વરતંત્રનિરીક્ષા પ્રત્યક્ષ
સ્વરતંત્રનિરીક્ષા, પ્રત્યક્ષ : જુઓ સ્વરપેટીનિરીક્ષા
વધુ વાંચો >સ્વરપેટી (larynx voice box)
સ્વરપેટી (larynx, voice box) : અવાજ ઉત્પન્ન કરતો શ્વાસ-નળીની ટોચ પર આવેલો અવયવ. સ્વરપેટીમાં આવેલા સ્વરરજ્જુઓ (vocal cord) અને તેમની વચ્ચેના સ્વરછિદ્ર(glottis)ને સંયુક્ત રૂપે સ્વરયંત્ર પણ કહે છે. સ્વરરજ્જુઓ સાથે જોડાયેલા કાસ્થિઓ (cartilages) અને સ્નાયુઓથી બનતા અવયવને સ્વરપેટી (voice box) કહે છે. આ અવયવને શાસ્ત્રીય રીતે સ્વરજનક (larynx) તરીકે ઓળખી…
વધુ વાંચો >સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy)
સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy) : સ્વરરજ્જુઓ (vocal cords) તથા તેમની વચ્ચે આવેલ સ્વરછિદ્ર(glottis)થી બનેલા સ્વરયંત્રનાં નિદાન-ચિકિત્સા માટે જરૂરી સાધન વડે નિરીક્ષણ કરવું તે. તે માટે વપરાતા સાધનને સ્વરપેટીદર્શક (laryngoscope) કહે છે. સ્વરપેટીદર્શકના વિવિધ પ્રકારો છે. દા. ત., લવચીક (flexible), નિર્લવચીક (rigid) વગેરે. નિર્લવચીક સ્વરપેટીદર્શક (rigid laryngoscope) : તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા પહેલાં દર્દીને…
વધુ વાંચો >સ્વરભંગ (hoarseness)
સ્વરભંગ (hoarseness) : અવાજ બેસી જવો તે. તેને ‘અવાજ તણાવો’ (voice strain) અથવા ‘દુર્ધ્વનિતા’ (dysphonia) પણ કહે છે. બોલવામાં તકલીફ પડવી, અવાજની ધ્વનિતીવ્રતા (pitch) કે અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય તેને સ્વરભંગ કહે છે. અવાજ નબળો પડે, બોલતાં જાણે શ્વાસ ભરાય, કર્કશ કે ખોખરો બને તો તેનું કારણ સ્વરરજ્જુ સાથે જોડાયેલી…
વધુ વાંચો >સ્વરભેદ (hoarseness of voice)
સ્વરભેદ (hoarseness of voice) : આયુર્વેદમાં બોલતી વખતે શબ્દોના ઉચ્ચારણમાં થતા વિકાર કે ખામીથી અવાજ ઘોઘરો થવો, બોલતાં પૂરા શબ્દો ન બોલી શકાવા કે અવાજ સાવ બેસી જવાના વિકારને ‘સ્વરભંગ’ રોગ કહેલ છે. પ્રાય: કઠંમાં રહેલ સ્વરયંત્ર(larynx)ની સ્થાનિક વિકૃતિ તથા મગજમાં રહેલ વાણીકેન્દ્રની વિકૃતિને કારણે કંઠમાં સોજો આવવાથી આ દર્દ…
વધુ વાંચો >સ્વરમાન (tone)
સ્વરમાન (tone) : સંગીતવાદ્ય અથવા માનવધ્વનિનાં કંપનોથી મળતો અવાજ અથવા તારત્વ (pitch) સહિત શ્રાવ્ય સંવેદન(sensation)ને ઉત્તેજિત કરવા શક્તિમાન એવું ધ્વનિ-દોલન. તે (સ્વરમાન) પોતે સંવેદન છે. આથી ‘સ્વરમાન’ શબ્દ કારણ અને કાર્ય (અસર) એમ બંને માટે વપરાય છે. બંને વચ્ચે સંપૂર્ણ સામ્ય હોય તે જરૂરી નથી. રૂપાંતરક (modifier), સંદર્ભ અથવા માપનના…
વધુ વાંચો >સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule)
સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule) : સ્વરપેટીમાં ધ્વનિ ઉત્પન્ન કરતાં સ્વરરજ્જુ પર પેશીની ગાંઠ થવી તે. સામાન્ય રીતે તે સ્વરરજ્જુના આગળના 2 ભાગમાં થાય છે. સ્વરરજ્જુનો આ ભાગ અવાજ ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ બળપૂર્વક સંકોચન પામે છે. તે ભાગમાં ગંડિકા થાય ત્યારે ગંડિકા સ્વરરજ્જુના સંકોચનમાં વિક્ષેપ કરે છે. સ્વરરજ્જુના સંકોચનથી…
વધુ વાંચો >સ્વરાજ
સ્વરાજ : પોતાનું રાજ. ભારતના રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આ એક રાજકીય પરિમાણ ધરાવતો શબ્દપ્રયોગ છે. ભારત પરના અંગ્રેજોના શાસનને દૂર કરીને પ્રજાકીય–લોકશાહી શાસન સ્થાપવામાં આવે તે સ્વરાજ એવો તેનો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. તેના વિકલ્પે સ્વાતંત્ર્ય અને આઝાદી જેવા શબ્દો પણ પ્રયોજાયા છે. એ બધાનો અર્થ એક જ થાય છે…
વધુ વાંચો >