૨૪
સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક
સોઇન્કા વોલ
સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…
વધુ વાંચો >સોકોટો (નદી)
સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…
વધુ વાંચો >સોકોત્રા (Socotra)
સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…
વધુ વાંચો >સૉક્રેટિસ
સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…
વધુ વાંચો >સોગંદનામું (affidavit)
સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…
વધુ વાંચો >સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)
સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…
વધુ વાંચો >સોચા જૂન સૂરતૂન (1990)
સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…
વધુ વાંચો >સોજિત્રા
સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…
વધુ વાંચો >સોઝ હીરાનંદ
સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…
વધુ વાંચો >સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >સ્વત:વાદ (automatism)
સ્વત:વાદ (automatism) : કલામાં પ્રચલિત એક વિચારધારા. આન્દ્રે બ્રેતોં(Andre Breton)એ 1924માં અતિવાસ્તવવાદ–અતિયથાર્થવાદ કે પરાવાસ્તવવાદ(surrealism)ના પ્રચારાર્થે પોતાનું જાહેરનામું બહાર પાડ્યું. આ વિચારધારાની અંતર્ગત સ્વત:વાદ (automatism) વિચારપ્રણાલીને પુષ્ટિ મળી. ‘દાદાવાદ’ના મૃત્યુ પછી આ વાદને અનુસરવાનું કેટલાક કલાકારોએ યથાર્થ માન્યું. ‘દાદાવાદ’માં જે ભંજકવૃત્તિવાળા વિચાર હતા તથા ચીલાચાલુ કલાપ્રણાલીનો નિષેધ કરવો તેવી વૃત્તિ હતી. …
વધુ વાંચો >સ્વતંત્ર પક્ષ
સ્વતંત્ર પક્ષ : મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં લાઇસન્સ-પરમિટરાજની નાબૂદી ચાહતો ઑગસ્ટ, 1959માં સ્થપાયેલો રાજકીય પક્ષ. ભારતની સંસદીય લોકશાહીના પ્રારંભે કૉંગ્રેસ પક્ષે ડાબેરી વલણોને વેગ આપી દેશને સમાજવાદની દિશામાં લઈ જવાનું ધ્યેય સ્વીકાર્યું. 1955માં અવાડી અધિવેશનમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ (socialistic pattern of society) રચવાની ઘોષણા કરવામાં આવી. 1957માં ઇંદોર અધિવેશનમાં ‘સમાજવાદી…
વધુ વાંચો >સ્વત્વ
સ્વત્વ : સ્વત્વ અથવા સ્વખ્યાલ વિશેની મનોવૈજ્ઞાનિક વિચારણા. કાર્લ યુંગના મંતવ્ય મુજબ, ‘સ્વ’ એ વ્યક્તિત્વનું મધ્યબિંદુ છે, જેની આસપાસ વ્યક્તિત્વનાં અન્ય તંત્રો સંગઠિત થાય છે. ‘સ્વ’ દ્વારા વ્યક્તિત્વને સ્થિરતા, સંતુલા અને એકત્વ પ્રાપ્ત થાય છે. ગોર્ડન ઑલપોર્ટે તેના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં સ્પષ્ટ કર્યું છે કે મનુષ્ય ‘સ્વ’ કે ‘અહમ્’ શબ્દ દ્વારા…
વધુ વાંચો >સ્વત્વ પ્રતિરક્ષાલક્ષી
સ્વત્વ, પ્રતિરક્ષાલક્ષી (immunological self) : શરીરની રોગપ્રતિકારકતા દર્શાવતું પ્રતિરક્ષાતંત્ર (immune system) રોગકારક ઘટકોનો નાશ કરવાની પ્રક્રિયામાં પોતાના જ ઘટકોને બાકાત રાખે તે માટે ‘પોતાનું’ ઘટક હોવાની લાક્ષણિકતા દર્શાવાય તે. આવી રીતે ‘સ્વકીય’ ઘટક તરીકે ન ઓળખાયેલાં બધાં જ અન્ય (other) અથવા ‘પરકીય’ (non-self) દ્રવ્યો દા. ત., રોગકારક સૂક્ષ્મજીવો, અન્ય વ્યક્તિના…
વધુ વાંચો >સ્વદેશી આંદોલન
સ્વદેશી આંદોલન : વિલાયતી-વિદેશી માલના બહિષ્કારનું આંદોલન. સ્વદેશીનું આંદોલન આ દેશમાં સૌપ્રથમ 1905માં શરૂ થયું. 1905માં બંગાળના ભાગલા તે વખતના વાઇસરૉયે પાડ્યા તેથી બંગભંગનું આંદોલન શરૂ થયું. તેની સાથે લોકોને લાગવા માંડ્યું કે આ ભાગલા આપણે વિલાયતી માલ વાપરીએ છીએ તેને કારણે છે, એટલે એ માલના બહિષ્કાર રૂપે સ્વદેશીનું આંદોલન…
વધુ વાંચો >સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology)
સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology) : પરિસ્થિતિવિદ્યાની એક શાખા. તે વસ્તી (population) કે સમુદાય(community)માં આવેલી કોઈ એક જાતિના જીવનચક્રની બધી અવસ્થાઓના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિવિદ્યાની આ વિશિષ્ટ શાખાનો હેતુ પરિસ્થિતિવિદ્યાકીય ચક્ર, નૈસર્ગિક આવાસો(habitats)માં જાતિનું વિતરણ, અનુકૂલન (adaptation), વસ્તીનું વિભેદન (differentiation) વગેરેના અભ્યાસનો છે. તે સમુદાયનું બંધારણ અને ગતિકી (dynamics) સમજવામાં સહાયરૂપ બને…
વધુ વાંચો >સ્વપીડન (masochism)
સ્વપીડન (masochism) : જાતીય સુખ મેળવવાની મનોદશાનો એક વિકૃત પ્રકાર. મનોવિજ્ઞાનમાં પરપીડન (sadism) તેમજ સ્વપીડન (masochism) પદો એક પ્રકારના વિકૃત વર્તનના સિક્કાની બે બાજુની જેમ દ્વંદ્વમાં પ્રયોજાય છે. પરપીડન એટલે કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેદના, ત્રાસ કે હાનિ ઉપજાવતાં પોતાને જાતીય ઉત્તેજના અને તેથી જાતીય સુખનો અનુભવ થવો તેવી મનોદશા.…
વધુ વાંચો >સ્વપોષિતા (autotrophism)
સ્વપોષિતા (autotrophism) : સજીવોની પોષણપદ્ધતિનો એક પ્રકાર. સજીવોમાં બે પ્રકારની પોષણપદ્ધતિઓ જોવા મળે છે : (1) સ્વપોષિતા અને (2) વિષમપોષિતા (heterotrophism). સ્વપોષીઓ સ્વયં કાર્બનિક પોષક તત્વોનું સર્જન કરી શકે છે. આ કક્ષામાં લીલી વનસ્પતિઓ અને કેટલાક બૅક્ટેરિયાનો સમાવેશ થાય છે. વિષમપોષી અથવા પરાવલંબી સજીવો પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે લીલી…
વધુ વાંચો >સ્વપ્નવિદ્યા
સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…
વધુ વાંચો >સ્વપ્નસ્થ
સ્વપ્નસ્થ (જ. 13 નવેમ્બર 1913, રાજકોટ; અ. 23 ઑક્ટોબર 1970) : ગુજરાતી કવિ, વાર્તાકાર અને અનુવાદક. મૂળ નામ લક્ષ્મીનારાયણ ઉર્ફે ભનુભાઈ રણછોડલાલ વ્યાસ. અન્ય તખલ્લુસ ‘મોહન શુક્લ’. વતન જામનગર. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. જામનગરવાસી જાણીતા સંગીતજ્ઞ આદિત્યરામજી (1819–1880) એમના પ્રપિતામહ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. અભ્યાસ માત્ર મૅટ્રિક્યુલેશન સુધી પણ…
વધુ વાંચો >