૨૪

સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક

સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology)

સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology) : પરિસ્થિતિવિદ્યાની એક શાખા. તે વસ્તી (population) કે સમુદાય(community)માં આવેલી કોઈ એક જાતિના જીવનચક્રની બધી અવસ્થાઓના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિવિદ્યાની આ વિશિષ્ટ શાખાનો હેતુ પરિસ્થિતિવિદ્યાકીય ચક્ર, નૈસર્ગિક આવાસો(habitats)માં જાતિનું વિતરણ, અનુકૂલન (adaptation), વસ્તીનું વિભેદન (differentiation) વગેરેના અભ્યાસનો છે. તે સમુદાયનું બંધારણ અને ગતિકી (dynamics) સમજવામાં સહાયરૂપ બને…

વધુ વાંચો >

સ્વપીડન (masochism)

સ્વપીડન (masochism) : જાતીય સુખ મેળવવાની મનોદશાનો એક વિકૃત પ્રકાર. મનોવિજ્ઞાનમાં પરપીડન (sadism) તેમજ સ્વપીડન (masochism) પદો એક પ્રકારના વિકૃત વર્તનના સિક્કાની બે બાજુની જેમ દ્વંદ્વમાં પ્રયોજાય છે. પરપીડન એટલે કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેદના, ત્રાસ કે હાનિ ઉપજાવતાં પોતાને જાતીય ઉત્તેજના અને તેથી જાતીય સુખનો અનુભવ થવો તેવી મનોદશા.…

વધુ વાંચો >

સ્વપોષિતા (autotrophism)

સ્વપોષિતા (autotrophism) : સજીવોની પોષણપદ્ધતિનો એક પ્રકાર. સજીવોમાં બે પ્રકારની પોષણપદ્ધતિઓ જોવા મળે છે : (1) સ્વપોષિતા અને (2) વિષમપોષિતા (heterotrophism). સ્વપોષીઓ સ્વયં કાર્બનિક પોષક તત્વોનું સર્જન કરી શકે છે. આ કક્ષામાં લીલી વનસ્પતિઓ અને કેટલાક બૅક્ટેરિયાનો સમાવેશ થાય છે. વિષમપોષી અથવા પરાવલંબી સજીવો પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે લીલી…

વધુ વાંચો >

સ્વપ્નવિદ્યા

સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…

વધુ વાંચો >

સ્વપ્નસ્થ

સ્વપ્નસ્થ (જ. 13 નવેમ્બર 1913, રાજકોટ; અ. 23 ઑક્ટોબર 1970) : ગુજરાતી કવિ, વાર્તાકાર અને અનુવાદક. મૂળ નામ લક્ષ્મીનારાયણ ઉર્ફે ભનુભાઈ રણછોડલાલ વ્યાસ. અન્ય તખલ્લુસ ‘મોહન શુક્લ’. વતન જામનગર. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. જામનગરવાસી જાણીતા સંગીતજ્ઞ આદિત્યરામજી (1819–1880) એમના પ્રપિતામહ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. અભ્યાસ માત્ર મૅટ્રિક્યુલેશન સુધી પણ…

વધુ વાંચો >

સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity)

સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity) : પ્રતિરક્ષાતંત્રના વિકારને કારણે પોતાના કોષોનો નાશ કરવો તે. તેમાં પોતાના જ ઘટકોને, એટલે કે સ્વત્વ(self)ને પારખવાની અક્ષમતાને કારણે પોતાના જ કોષો સામે પ્રતિરક્ષાલક્ષી (immunologic) પ્રતિભાવ થાય છે અને તેમનો તે નાશ કરે છે. આમ તે પોતાની સામે જ પ્રતિરક્ષા (સ્વપ્રતિરક્ષા) કરે છે અને તેથી પોતાના…

વધુ વાંચો >

સ્વપ્રેમગ્રંથિ (Narcissism)

સ્વપ્રેમગ્રંથિ (Narcissism) : સ્વપ્રેમદર્શક ગ્રંથિ એટલે વ્યક્તિને પોતાની જાત પ્રત્યે અનહદ પ્રેમ. માણસે પોતાના જ પ્રેમમાં પડેલા રહેવું તે. આ આત્મપ્રેમ અતિશયતાની સીમા વટાવી ગયો હોય ત્યારે તે વિકૃતિ બની ગ્રંથિ, વળગણ બની જાય છે. ગ્રીક દંતકથામાં નાર્સિસસ નામનો સોળ વરસનો અતિશય સ્વરૂપવાન રાજકુમાર હતો. તે ઈકો નામની તેની પ્રિયતમા…

વધુ વાંચો >

સ્વભાવ (temperament)

સ્વભાવ (temperament) : પર્યાવરણ સાથે આંતરક્રિયા કરવાની અને આવેગિક પ્રતિભાવો આપવાની, જૈવ લક્ષણો ઉપર આધારિત, વ્યક્તિની વિશિષ્ટ શૈલી. સ્વભાવને વ્યક્તિના ભાવાત્મક પ્રતિભાવો, મનોદશાઓ (moods) અને શક્તિ સાથે સંબંધ ધરાવતાં લક્ષણોના સમૂહ તરીકે પણ સમજી શકાય. પ્રવૃત્તિની કક્ષામાં, લાક્ષણિક મનોદશામાં તેમજ આવેગ-અભિવ્યક્તિની તીવ્રતા અને ગુણ(quality)માં વિવિધ વ્યક્તિઓના સ્વભાવમાં સ્થાયી તફાવતો હોય…

વધુ વાંચો >

સ્વભાવવાદ

સ્વભાવવાદ : પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક સિદ્ધાન્ત. ‘શ્વેતાશ્વતરોપનિષદ’માં (1.2) કાલવાદ, યચ્છાવાદ આદિ સાથે સ્વભાવવાદનો ઉલ્લેખ છે. ‘સૂત્રકૃતાંગ’ની શીલાંકકૃત ટીકામાં (1.1.2.2), અશ્વઘોષરચિત ‘બુદ્ધચરિત’માં, આચાર્ય મલ્લવાદીકૃત ‘નયચક્ર’ તથા તેની સિંહસૂરિલિખિત વૃત્તિમાં, આચાર્ય હરિભદ્રસૂરિના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં અને ‘ષડ્દર્શનસમુચ્ચય’ની ગુણરત્ન-વિરચિત ‘તર્કરહસ્યદીપિકા’ ટીકામાં સ્વભાવવાદની સમજૂતી આપવામાં આવી છે. જૈન કર્તાઓએ જ ખાસ કરીને સ્વભાવવાદની નોંધ લીધી…

વધુ વાંચો >

સ્વયંવરમ્

સ્વયંવરમ્ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971. ભાષા : મલયાળમ. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : ચિત્રલેખા ફિલ્મ કો-ઑપરેટિવ. દિગ્દર્શક, કથા-પટકથા : અદૂર ગોપાલકૃષ્ણન્. સંગીત : એમ. બી. શ્રીનિવાસન્. છબિકલા : એમ. સી. રવિ વર્મા. મુખ્ય કલાકારો : શારદા, મધુ, તિકુઋૃષિ, સુકુમારન્ નાયર, અદૂર ભવાની, ગોપી, લલિતા, વેણુકુટ્ટન નાયર, બી. કે. નાયર.…

વધુ વાંચો >

સોઇન્કા વોલ

Jan 1, 2009

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >

સોકોટો (નદી)

Jan 1, 2009

સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…

વધુ વાંચો >

સૉક્રેટિસ

Jan 1, 2009

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

Jan 1, 2009

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)

Jan 1, 2009

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…

વધુ વાંચો >

સોચા જૂન સૂરતૂન (1990)

Jan 1, 2009

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…

વધુ વાંચો >

સોજિત્રા

Jan 1, 2009

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોઝ હીરાનંદ

Jan 1, 2009

સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…

વધુ વાંચો >

સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

Jan 1, 2009

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…

વધુ વાંચો >

સોડાલાઇટ

Jan 1, 2009

સોડાલાઇટ : સોડાલાઇટ સમૂહ(સોડાલાઇટ, હૉયનાઇટ, નોસેલાઇટ અને લેઝ્યુરાઇટ)નું મુખ્ય ખનિજ. રાસા. બં. : 3NaAlSiO4·NaCl (3Na2Al2Si2O8·2NaCl); સિલિકા : 37.2 %; ઍલ્યુમિના : 31.6 %; સોડા 25.6 % અને ક્લોરિન : 7.3 % – જે મળીને કુલ 101.7 % થાય, પરંતુ (θ = 2Cl)ના 1.7 % બાદ કરતાં 100 % થઈ જાય…

વધુ વાંચો >