૨૪
સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક
સ્થલમંડલ
સ્થલમંડલ : જુઓ પૃથ્વી.
વધુ વાંચો >સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape)
સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape) : એક પ્રકારનું ઘસારાજન્ય ભૂમિલક્ષણ. શુષ્ક, અર્ધશુષ્ક વિસ્તારો કે જ્યાં વર્ષાપ્રમાણ ઓછું હોય, બાષ્પીભવન વધુ અને ઝડપી હોય તથા વનસ્પતિપ્રમાણ નહિવત્ હોય ત્યાં ઘસારાનાં પરિબળો વધુ વેગથી કાર્યશીલ રહેતાં હોય છે. આવા પ્રદેશોમાં ઘસારાજન્ય ભૂમિલક્ષણો તૈયાર થવા માટે અનુકૂળતા ઊભી થાય છે. શુષ્ક આબોહવા, સૂસવાતા પવનો…
વધુ વાંચો >સ્થળવર્ણન-નકશા (topographical maps)
સ્થળવર્ણન-નકશા (topographical maps) : સપાટી-લક્ષણોનું આલેખન અથવા આકારિકી વર્ણન. ભૂપૃષ્ઠ પરનાં કુદરતી રીતે તૈયાર થયેલાં ભૂમિસ્વરૂપો અને માનવસર્જિત લક્ષણોની સમજ આપતું આલેખન. ઊંચાણનીચાણની આકારિકીવાળાં ટેકરીઓ, ડુંગરધારો, ઉચ્ચ સપાટ પ્રદેશો, પર્વતો, મેદાનો, ખીણપ્રદેશો અને થાળાં; જળવહેંચણીવાળાં કળણભૂમિ, પંકભૂમિ, ધારાપ્રવાહો, ઝરણાં, નદીઓ, તળાવો, સરોવરો, ખાડીસરોવરો, ખાડીઓ, ત્રિકોણપ્રદેશો, નદીનાળપ્રદેશો, અખાતો, ઉપસાગરો, સમુદ્રો અને…
વધુ વાંચો >સ્થળાવકાશ (space)
સ્થળાવકાશ (space) : એકબીજાને લંબ એવી ત્રણ દિશાઓને લંબાવતાં (વિસ્તારતાં) મળતો વિશ્વને લગતો ગુણધર્મ. આ ગુણધર્મ–સ્થળાવકાશ–ને જુદા જુદા સંદર્ભે જાણી-જોઈ શકાય તેમ છે. ન્યૂટનની વિચારસરણી મુજબ સ્થળાવકાશ દ્રવ્ય (matter) ધરાવી શકે છે, પણ દ્રવ્ય સિવાય સ્થળાવકાશનું અસ્તિત્વ હોઈ શકે છે. વપરાશને કારણે (આધારે) સ્થળાવકાશનો વ્યાપક અર્થ બાહ્યાવકાશ થતો આવ્યો છે…
વધુ વાંચો >સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)
સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે. તે અવરજવર મુખ્યત્વે ઋતુમાનમાં થતા તીવ્ર ફેરફારોથી બચવા માટે અથવા ખોરાકની અછતને નિવારવા માટે કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તે ઋતુગત અથવા…
વધુ વાંચો >સ્થળાંતર (માનવીય)
સ્થળાંતર (માનવીય) : કોઈ એક સ્થાન, પ્રદેશ કે ભૌગોલિક વિસ્તારમાંથી અન્ય સ્થાન, પ્રદેશ કે વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરવાના હેતુથી માણસોની આવનજાવનની પ્રક્રિયા. સ્થળાંતર એટલે સ્થાનફેર, જેનો આશય અન્યત્ર વસવાટ કરવાનો હોય છે. તેનાં આર્થિક, રાજકીય કે સામાજિક કારણો હોઈ શકે છે; દા. ત., રોજગારી કે વધુ સારી રોજગારી મેળવવાનો…
વધુ વાંચો >સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર)
સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર) : વધારે અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત કરવા સમગ્ર વનસ્પતિ કે તેનાં વિકિરણાંગો(dispersal organs)ની ટૂંકા કે લાંબા અંતર સુધી થતી ગતિ. લીલ, ફૂગ અને બૅક્ટેરિયા સ્વયં અથવા તેમના બીજાણુઓ (spores) સ્થળાંતરણ કરે છે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનાં વિકિરણાંગો જેવાં કે બીજ, પ્રજનનાંગો કે વર્ધી અંગો સ્થળાંતરણ કરે છે. આ અંગોનું…
વધુ વાંચો >સ્થાનિક સમય
સ્થાનિક સમય : સામાન્ય માણસ માટે સમયના સંદર્ભમાં ઉપયોગમાં લેવાતો શબ્દ. પૃથ્વી ચોવીસ કલાકમાં એક અક્ષભ્રમણ પૂરું કરે છે, એટલે કે દર ચોવીસ કલાકે પૃથ્વી પરનાં કાલ્પનિક 360° રેખાંશવૃત્તો પૈકીનું પ્રત્યેક રેખાંશવૃત્ત સૂર્યની બરાબર સામેથી એક વખત પસાર થાય છે. કોઈ પણ રેખાંશવૃત્ત જ્યારે સૂર્યની બરાબર સામે આવે ત્યારે ત્યાં…
વધુ વાંચો >સ્થાનિક સ્વરાજ
સ્થાનિક સ્વરાજ : જે તે વિસ્તારમાં, ત્યાંના લોકો પોતે શાસન ચલાવે તેવી પદ્ધતિ. સ્થાન ઉપરથી સ્થાનિક શબ્દ બનેલો છે. સ્વરાજ એટલે લોકોનું પોતાનું શાસન. ગામ કે શહેરમાં વસતા લોકો પોતાના ગામ કે શહેરનો વહીવટ પોતે કે પોતાના પ્રતિનિધિઓ મારફત કરે એને લોકોનું પોતાનું રાજ કે સ્થાનિક સ્વરાજ કહેવાય છે. આવી…
વધુ વાંચો >સ્થાનિકીકરણ (localization)
સ્થાનિકીકરણ (localization) : કોઈ પણ સ્થળનું જુદાં જુદાં પરિબળોના સંદર્ભમાં મૂલવવામાં આવતું તેના સ્થાનની દૃષ્ટિએ ભૌગોલિક મહત્વ. મૂળભૂત રીતે આ મહત્વ બે પ્રકારે દર્શાવાય : (i) અક્ષાંશ–રેખાંશથી સ્થાનની ચોક્કસ જગા દર્શાવાય, (ii) નજીકનાં મુખ્ય સ્થળોના સંદર્ભમાં વિશેષ સ્થાન. પહેલા પ્રકારમાં સ્થાન પરત્વે આબોહવા, વનસ્પતિ અને માનવપ્રવૃત્તિઓનો સમાવેશ થાય; જ્યારે બીજા…
વધુ વાંચો >સોઇન્કા વોલ
સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…
વધુ વાંચો >સોકોટો (નદી)
સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…
વધુ વાંચો >સોકોત્રા (Socotra)
સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…
વધુ વાંચો >સૉક્રેટિસ
સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…
વધુ વાંચો >સોગંદનામું (affidavit)
સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…
વધુ વાંચો >સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)
સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…
વધુ વાંચો >સોચા જૂન સૂરતૂન (1990)
સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…
વધુ વાંચો >સોજિત્રા
સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…
વધુ વાંચો >સોઝ હીરાનંદ
સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…
વધુ વાંચો >સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >