ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સિંહ લૈશરામ સમરેન્દ્ર
સિંહ, લૈશરામ સમરેન્દ્ર (જ. 1925) : પ્રતિષ્ઠિત મણિપુરી કવિ અને ચિત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મમાન્ગ લેઇકાઇ થામ્બલ શાતલે’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે 1948માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવીને અધ્યાપનકાર્ય શરૂ કર્યું. પછી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑવ્ સ્કૂલ્સ બન્યા. ત્યારબાદ મણિપુર સરકારમાં કળા, સંસ્કૃતિ…
વધુ વાંચો >સિંહ, (જનરલ) વી. કે.
સિંહ, (જનરલ) વી. કે. (જ. 10 મે, 1951, પૂણે) : ભારતીય સેનાના પૂર્વ ફોર-સ્ટાર જનરલ અને ગાઝિયાબાદ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ. સૈન્ય અધિકારીમાંથી રાજકારણના મેદાનમાં ઉતરેલા પૂર્વ ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ વિજય કુમાર સિંહ હાલ મિઝોરમના રાજ્યપાલ છે. કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં રાજ્યકક્ષાના માર્ગપરિવહન અને રાજમાર્ગમંત્રી તથા રાજ્યકક્ષાના નાગરિક…
વધુ વાંચો >સિંહ શિવ પ્રસાદ
સિંહ, શિવ પ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1928, જલાલપુર, જિ. વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 28 સપ્ટેમ્બર 1998) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ., એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. પછી તેઓ તે યુનિવર્સિટીમાં હિંદીના પ્રાધ્યાપક અને પછી વિભાગના વડા બન્યા અને એ પદેથી 1988માં સેવાનિવૃત્ત થયા.…
વધુ વાંચો >સિંહ શિવમંગલ ‘સુમન’
સિંહ, શિવમંગલ ‘સુમન’ (જ. 5 ઑગસ્ટ 1915, ઝગરપુર, જિ. ઉન્નાવ, ઉ. પ્ર.; અ. ?) : હિંદી કવિ. તેમણે 1940માં એમ.એ. અને 1950માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સની પદવી મેળવી હતી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મિટ્ટી કી બારાત’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું તખલ્લુસ…
વધુ વાંચો >સિંહ શિવાંગી
સિંહ શિવાંગી (જ. 15 માર્ચ 1995, ફતેહાબાદ, મુઝફ્ફરપુર, બિહાર) : રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ અને એકમાત્ર મહિલા પાઇલટ. પિતા હરિ ભૂષણ સિંહ અને માતા પ્રિયંકા સિંહ. તેણે ગંગટોકની સિક્કિમ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટૅક્નૉલૉજીની પદવી મેળવી. તેણે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં વધુ અભ્યાસ…
વધુ વાંચો >સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ)
સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ) : પંજાબી સાહિત્યને લગતી ચળવળ. હિંદુઓના મુખ્ય સમુદાયમાંથી શીખોને જુદા તારવી શકાય તેવી તેમની ધાર્મિક અને સામાજિક જીવનની વિશેષતાઓને પ્રગટ કરીને તેમની આગવી ઓળખ ઊભી કરવાનો આ ચળવળનો ઉદ્દેશ હતો. આ નવી શીખ સંસ્કૃતિના માધ્યમ તરીકે પરંપરાગત હિંદી તથા ઉર્દૂને બદલે પંજાબી ભાષા અપનાવવાનું આવશ્યક ગણવામાં…
વધુ વાંચો >સિંહ સંવત
સિંહ સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >સિંહ સૂબા
સિંહ, સૂબા (જ. 1919, ઉધો નાંગલ, જિ. અમૃતસર, પંજાબ; અ. 1982) : પંજાબી હાસ્ય લેખક. આઝાદી પૂર્વે તેઓ આઝાદ હિંદ ફોજમાં સક્રિય રહ્યા, પાછળથી તેઓ લેખનપ્રવૃત્તિમાં જોડાયા. પ્રારંભમાં પત્રકાર તરીકે સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. ‘પંજાબી પત્રિકા’ અને ‘પરકાશ’ નામનાં પંજાબી અને ‘રફાકત’ નામક ઉર્દૂ સામયિકના સંપાદક રહ્યા. તેના પરિણામ રૂપે…
વધુ વાંચો >સિંહ સોનમણિ
સિંહ, સોનમણિ (જ. 1929, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના આ સાહિત્યકારની રચના ‘મમાઙ્થોઙ્ લોલ્લબદી મનીથોઙ્દા લાકઉદના’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ ઇન્ડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયા અને ત્યાંથી નિવૃત્ત થયા. ‘બખાલ સાઇરેઙ્’ નામનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1949માં પ્રકાશિત થયો. તેમનાં પ્રગટ થયેલાં…
વધુ વાંચો >સિંહા અનુગ્રહ નારાયણ
સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…
વધુ વાંચો >સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન અને હૂંફ સાંપડ્યાં. ભારતીય-હિન્દુ…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >