ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ

Jan 12, 2007

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ : વલ્લભવિદ્યાનગરમાં આવેલું સરદાર પટેલ યુનિવર્સિટીનું બહુહેતુલક્ષી મ્યુઝિયમ. ચારુતર વિદ્યામંડળના ઉપક્રમે ભાઈકાકાએ (ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલે) આ મ્યુઝિયમની સ્થાપના 1949માં કરી હતી. તેના પ્રથમ ક્યુરેટર અમૃત વસંત પંડ્યાએ 1949થી 1969 સુધી આ મ્યુઝિયમનો કાર્યભાર સંભાળી તેમાં પ્રદર્શિત જણસોનું જતન કરવાની સાથે તેમના વિશે સંશોધન કર્યું હતું. 1960ના…

વધુ વાંચો >

સરદાર પટેલ સ્ટેડિયમ

Jan 12, 2007

સરદાર પટેલ સ્ટેડિયમ : ભારતનાં સારા ગણાતાં સ્ટેડિયોમાંનું એક. ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં આવેલું છે. તેની સ્થાપના અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ ક્રિકેટ મંડળના સંયુક્ત પ્રયાસોથી લાંબી અવધિના ક્રમિક વિકાસપૂર્વક થઈ. સ્વતંત્રતા પૂર્વે દેશમાં ક્રિકેટની રમતમાં નજીવી રુચિ હતી. સ્વતંત્રતા સાથે ભારતે પશ્ચિમી સંસ્કૃતિના વિકાસનો માર્ગ પસંદ કર્યો. પરદેશોની ક્રિકેટ-ટુકડીઓ આવતી થઈ.…

વધુ વાંચો >

સરદાર પૃથ્વીસિંહ

Jan 12, 2007

સરદાર પૃથ્વીસિંહ : જુઓ આઝાદ પૃથ્વીસિંહ.

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

Jan 12, 2007

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરત ખાતે મૂળમાં ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’ નામે સ્થપાયેલું મ્યુઝિયમ. હાલમાં તે સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. 1890માં સૂરતના તત્કાલીન કલેક્ટર વિન્ચેસ્ટરે આ મ્યુઝિયમની સ્થાપના કરેલી. મૂળમાં રાણી બાગ (હવે ગાંધી બાગ) પાસે મક્કાઈ બ્રિજ નજીક આ મ્યુઝિયમ હતું; જેને 1952માં તાપી નદીના પૂરના પાણીથી બચાવવા…

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય

Jan 12, 2007

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય : સ્વાતંત્ર્ય ચળવળના એક અગ્રણી રાષ્ટ્રીય નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક સ્વરૂપનું અમદાવાદમાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનદર્શન માટેનું કીમતી સાહિત્ય સંઘરાયેલું છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના…

વધુ વાંચો >

સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના

Jan 12, 2007

સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના : નર્મદા નદીનાં નીર વડે ગુજરાતના વિકાસનો ધોધ વહાવતી, ભારતની વિશાળ જળસંસાધન વિકાસ-યોજનાઓ પૈકીની ગુજરાતમાં આવેલી એક યોજના. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં ભારતનાં પશ્ચિમી રાજ્યો માટેની સંયુક્ત સાહસરૂપ બહુહેતુક યોજના. આ માટેનો મુખ્ય બંધ ગુજરાતમાં નર્મદા નદી પર કેવડિયા ખાતે આવેલો છે. સરદાર…

વધુ વાંચો >

સરદેશમુખ ત્ર્યંબક વિનાયક

Jan 12, 2007

સરદેશમુખ, ત્ર્યંબક વિનાયક (જ. 1919, અક્કાલકોટ, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ડાંગોરા : એકા નગરીચા’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., બી.ટી.ની ડિગ્રી મેળવ્યા બાદ હાઈસ્કૂલ તથા કૉલેજ કક્ષાએ 40 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને સેવાનિવૃત્ત થયા. તેઓ…

વધુ વાંચો >

સરદેશમુખી

Jan 12, 2007

સરદેશમુખી : જુઓ ચોથ અને સરદેશમુખી.

વધુ વાંચો >

સરદેસાઈ, ગોવિંદ સખારામ

Jan 12, 2007

સરદેસાઈ, ગોવિંદ સખારામ (જ. 17 મે 1865, હાસોલ, જિ. રત્નાગિરી, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર 1959) : મહાન મરાઠી ઇતિહાસકાર, તેમણે 1884માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની અને 1888માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેઓ 1 જાન્યુઆરી 1889થી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રીડર તરીકે જોડાયા. તે પછી તેઓ રાજકુમારોના ટ્યૂટર અને…

વધુ વાંચો >

સરદેસાઈ, દિલીપ

Jan 12, 2007

સરદેસાઈ, દિલીપ (જ. 8 ઑગસ્ટ 1940, ગોવા) : ભારતીય ક્રિકેટ-ખેલાડી. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો અને ત્યાં જ રહેવાનું રાખ્યું હતું. એ રીતે તેમણે મુંબઈ રાજ્ય વતી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. તેઓ બૅટ્સમૅન ઉપરાંત કુશળ રાઇટ-આર્મ-ઑફ-સ્પિન બૉલર પણ હતા. તેમણે ટેસ્ટમૅચ રમવાની શરૂઆત 1 ડિસેમ્બર 1961ના રોજ ઇંગ્લૅન્ડ સામે…

વધુ વાંચો >