ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સંરચના-સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR)
સંરચના–સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR) : ઔષધની રાસાયણિક સંરચના અને તેની સક્રિયતા અથવા ક્રિયાશીલતા વચ્ચેનો સંબંધ. ઔષધો એવા રાસાયણિક પદાર્થો છે જે જીવંત પ્રાણીઓના કાર્ય(function)ને અસર કરે છે અને તેથી રોગની સારવાર કરવા, તેને અટકાવવા અથવા તેની પરખ માટે ઉપયોગમાં લેવાય છે. શરૂ શરૂમાં કુદરતી રીતે ઉપલબ્ધ પદાર્થોનો ઔષધ તરીકે…
વધુ વાંચો >સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology)
સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology) : ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા. પૃથ્વીનો પોપડો ક્યારેય શાંત સ્થિતિમાં હોતો નથી. તેની જુદી જુદી ઊંડાઈના જુદા જુદા ભાગોમાં તાપમાન અને દાબનાં પ્રતિબળો (stresses) કાર્યરત હોય છે. પ્રતિબળોમાંથી ઉદ્ભવતી ઊર્જા પોપડામાં ભેગી થતી રહે છે. વધુ પડતી સંચિત થયેલી ઊર્જા પોપડાના જે તે સ્થાનમાં વિક્ષેપ ઊભો કરે છે.…
વધુ વાંચો >સંરચનાવાદ
સંરચનાવાદ : આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારની પાયારૂપ સંજ્ઞા. દરેક ભાષા અનન્ય હોય છે. એ ભાષાની ઉક્તિઓને અને એમના એકમોને એમના પરસ્પરના સંબંધોથી સમજી શકાય છે. આ એકમો અને એમના સંબંધોને તપાસતાં તપાસતાં જ ભાષાની સંરચના સુધી પહોંચી શકાય છે. સૉસ્યૂર માનતા હતા કે ભાષાવિજ્ઞાનીનું મુખ્ય કાર્ય ભાષાની તપાસ છે. એ જ…
વધુ વાંચો >સંરસ
સંરસ : જુઓ ઍમાલ્ગમ.
વધુ વાંચો >સંરૂપણ (conformation)
સંરૂપણ (conformation) : કાર્બનિક અણુમાંના પરમાણુઓની એકલ (single) સહસંયોજક (covalent) બંધ (s બંધ) આસપાસ મુક્ત-ચક્રણ (મુક્ત-ઘૂર્ણન) દ્વારા મળતી બે કે વધુ ત્રિપરિમાણી રચનાઓ પૈકીની ગમે તે એક. અણુઓ s બંધના ઘૂર્ણન દ્વારા વિવિધ ભૌમિતીય સ્વરૂપો બનાવે તેવાં સ્વરૂપોને સંરૂપકો (conformers) કહે છે. આ બધાં સ્વરૂપો જુદાં જુદાં સંયોજનો નથી હોતાં,…
વધુ વાંચો >સંલક્ષણ (syndrome)
સંલક્ષણ (syndrome) કોઈ એક માંદગી કરતી પ્રક્રિયામાં ઉદ્ભવતાં નિશ્ચિત લક્ષણો અને ચિહ્નોનો સમૂહ જે સંયુક્ત રીતે જાણે કે એક રોગ રૂપે જોવા મળે તે. પરંતુ શાસ્ત્રીય રીતે કોઈ ચોક્કસ કારણે થતા નિશ્ચિત પ્રકારનાં લક્ષણો અને ચિહ્નોના સમૂહને જ રોગ કહે છે, જ્યારે સંલક્ષણમાં કયાં તો કોઈ નિશ્ચિત કારણ જાણમાં નથી…
વધુ વાંચો >સંલગ્નતા (affiliation)
સંલગ્નતા (affiliation) : મૈત્રીપૂર્ણ જૂથમાં જોડાઈને તેમાં ભાગ લેવાનું, (બને ત્યાં સુધી સરખી વયના) અન્ય લોકો સાથે મૈત્રીપૂર્ણ સહચાર સાધવાનું અને બને તેટલા વધારે મિત્રો બનાવીને તેમને ચાહવાનું અને વફાદાર રહેવાનું મનોવલણ. આ પ્રેરણા અન્ય લોકો સાથે થતા અનુભવોમાંથી ઉદ્ભવે છે અને ધીમે ધીમે વ્યક્તિમાં વિકસતી જાય છે. તેથી એને…
વધુ વાંચો >સંલગ્નતાવાદ
સંલગ્નતાવાદ : જુઓ સમૂહ સંક્રમણ.
વધુ વાંચો >સંલગ્નીકરણ (agglutination)
સંલગ્નીકરણ (agglutination) : વિવિધ રોગોના નિદાન માટે વપરાતી કસોટી. આ કસોટીમાં કણમય પ્રતિજન અને પ્રતિદ્રવ્ય વચ્ચે પ્રક્રિયા થાય છે. પ્રતિજન પર બે કરતાં વધારે પ્રતિજન-નિર્ણાયક (antigenic determinant) હોય છે, જેના દ્વારા તે પ્રતિદ્રવ્ય સાથે બંધાય છે અને પ્રતિદ્રવ્ય પર પણ ઓછામાં ઓછાં બે સ્થાન (site) હોય છે, જેનાથી તે પ્રતિજન…
વધુ વાંચો >સંવત
સંવત કાલગણના માટેનું જરૂરી અંગ. કાલગણના એ ઇતિહાસની કરોડરજ્જુ છે. રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ઘટનાઓ તત્કાલીન પ્રચલિત સંવતોનાં વર્ષોમાં આપવામાં આવતી. એને આધારે તે તે ઘટનાનો પૂર્વાપર સંબંધ સાંકળી શકાય છે. સાથે સાથે એ ઘટનાનો ચોક્કસ સમય પણ નિશ્ચિત કરી શકાય છે. ભારતીય ઇતિહાસના લાંબા કાલ દરમિયાન જુદા જુદા સમયે…
વધુ વાંચો >સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >