૨૨.૨૨
સંતૃપ્તિ (Saturation)થી સંધિશોથ (arthritis)
સંતૃપ્તિ (Saturation)
સંતૃપ્તિ (Saturation) : ખડકો કે ખનિજો તૈયાર થવા માટેના માતૃદ્રવમાં જે તે ઘટકદ્રવ્યોની પર્યાપ્ત હોવાની સ્થિતિ. આવી સ્થિતિ ન પ્રવર્તતી હોય તો તે દ્રાવણ અર્ધસંતૃપ્ત, અંશત: સંતૃપ્ત કે અસંતૃપ્ત ગણાય. સંતૃપ્તિનો આ સિદ્ધાંત અગ્નિકૃત અને વિકૃત ખડકોના અભ્યાસ માટેના ‘ફેઝ રૃલ’(Phase rule)ના ઉપયોગમાંથી ઊભો થયેલો છે. એ સ્પષ્ટ છે કે…
વધુ વાંચો >સંતોકબા દૂધાત
સંતોકબા દૂધાત (જ. 1911, આકોંલવાડી (ગીર), તલાલા તાલુકો, જૂનાગઢ જિલ્લો, ગુજરાત, ભારત) : ગુજરાતના સહજોત્થ મહિલા ચિત્રકાર. સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારમાં જન્મેલા સંતોકબાએ સાઠ વરસની ઉંમર સુધી ન તો પીંછી પકડી હતી કે ન તો બીજી કોઈ રીતે ચિત્રસર્જન કર્યું હતું. ખેતમજૂરી છોડીને સાઠ વરસની ઉંમરે કોઈ પણ પ્રકારની કલાકીય ઔપચારિક…
વધુ વાંચો >સંતોષ, ગુલામ રસૂલ
સંતોષ, ગુલામ રસૂલ (જ. 1929, શ્રીનગર, કાશ્મીર; અ. 10 માર્ચ 1997, દિલ્હી) : આધુનિક ભારતીય ચિત્રકાર. શ્રીનગરના મુસ્લિમ વસતી ધરાવતાં ચિંકરાલ મહોલ્લામાં તેમનો ઉછેર થયો. બાળપણમાં પિતાનું અવસાન થતાં ઘરના નિભાવ માટે તરૂણાવસ્થાથી મકાનો રંગવાના રંગારા તરીકે, રેશમના વણકર તરીકે અને સાઇનબૉર્ડના ચિતારા તરીકે રોજી મેળવી. જાણીતા ચિત્રકાર નારાયણ શ્રીધર…
વધુ વાંચો >સંતોષ ટ્રૉફી
સંતોષ ટ્રૉફી : ફૂટબૉલની રમતની ભાઈઓની અખિલ ભારતીય સ્પર્ધાઓ માટેની રાષ્ટ્રીય ટ્રૉફી. શરૂઆત 1841માં. ટ્રૉફી માટેની સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં કરવામાં આવે છે. એનો સમગ્ર વહીવટ ‘ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન’ (AIFF) કરે છે. ભારતમાં 1893માં ‘ઇન્ડિયન ફૂટબૉલ ઍસોસિયેશન’-(IFA)ની સ્થાપના થઈ હતી તે પાછળથી 1937માં ‘ઑલ ઇન્ડિયા…
વધુ વાંચો >સંતોષમ, વી. જી.
સંતોષમ, વી. જી. (જ. 15 ઑગસ્ટ 1936, અલગપ્પાપુરમ્, જિ. તિરુનેલ્વેલી, તામિલનાડુ) : તમિળ કવિ અને લેખક. વીજીપી ગ્રૂપ ઑવ્ કંપનીઝ, તામિલનાડુના અધ્યક્ષ. તેમણે તમિળમાં કુલ 21 ગ્રંથો આપ્યા છે. તેમાં નોંધપાત્ર છે : ‘ઉલગમ ચુત્રી વન્ધોમ’ પ્રવાસકથા; ‘અરુમાઈ અન્નાચી’ ચરિત્રકથા; ‘સંતાન ચિંતનાઇગલ’ નિબંધસંગ્રહ; ‘સંતોષ કવિતાઇગલ’, ‘તમિળે પોત્રી’, ‘મૂવદિયાર’, ‘સંતોષ તેન્દ્રલ’…
વધુ વાંચો >સંથાલ પરગણાં
સંથાલ પરગણાં : બ્રિટિશ શાસનકાળ દરમિયાન અસ્તિત્વ ધરાવતો તત્કાલીન બિહાર રાજ્યનો જિલ્લો; ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 87° 21´ પૂ. રે.ની આજુબાજુનો 14,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લેતો હતો. આ પ્રદેશ ગંગા નદીના દક્ષિણ ભાગમાં કાંપના મેદાની ભાગથી બનેલો છે. તેની પૂર્વમાં જંગલઆચ્છાદિત રાજમહાલ ટેકરીઓ આવેલી છે,…
વધુ વાંચો >સંદર્ભ-તંત્ર (reference frames)
સંદર્ભ–તંત્ર (reference frames) : જેના સાપેક્ષે કણ કે બિંદુના સ્થાન કે ગતિનાં માપ લેવાતાં હોય તેવું દૃઢ નિર્દેશ-તંત્ર. પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ સ્થાનને અક્ષાંશ અને રેખાંશ વડે દર્શાવવામાં આવે છે. અહીં પૃથ્વી નિર્દેશ-તંત્ર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P એક બિંદુ છે. તેનું સ્થાન નક્કી કરવું છે. એ માટે દરેક…
વધુ વાંચો >સંદિગ્ધતા (ambiguity)
સંદિગ્ધતા (ambiguity) : શબ્દ કે વાક્યમાંથી નીપજતી બહુ-અર્થતા. સામાન્યત: વાક્યનો તે ગુણધર્મ છે. તે એકથી વધુ અર્થ ધરાવતા શબ્દનો પણ ગુણધર્મ છે. શબ્દ કે વાક્ય બોલાય કે લખાય ત્યારે તેમાંથી સંકેત નીકળે છે. પ્રત્યેક સંકેત જ્યારે એક કરતાં વધુ સંદેશાઓનું વહન કરે છે ત્યારે તેમાં સંદિગ્ધતા ઉદ્ભવે છે. સર વિલિયમ…
વધુ વાંચો >સંદીપ્તિ (Luminescence)
સંદીપ્તિ (Luminescence) : બિનઉષ્મીય પ્રક્રિયાના લીધે પદાર્થ દ્વારા થતું વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન. ઉષ્મીય પ્રક્રિયા દ્વારા પ્રકાશનું ઉત્સર્જન થાય તેને તાપદીપ્તિ (incandescence) કહે છે. સંદીપ્તિ સામાન્યત: દૃશ્ય પ્રકાશ રૂપે જોવા મળે છે; પરંતુ પારરક્ત પ્રકાશ અને અન્ય અદૃશ્ય પ્રકાશ રૂપે પણ જોવા મળી શકે છે. કોઈ પણ પદાર્થને સંદીપ્ત થવા માટે…
વધુ વાંચો >સંદૂષણ-જૈવ (bio-cumulative pollution)
સંદૂષણ–જૈવ (bio-cumulative pollution) : વાતાવરણના અવિઘટનીય પ્રદૂષકો કાળક્રમે મનુષ્ય અગર ઉચ્ચકક્ષાનાં પ્રાણીઓના જૈવ-તંત્રમાં પ્રવેશી સંચિત દૂષણ પેદા કરે તેવી પરિસ્થિતિ. તેના સંભવિત પ્રાદુર્ભાવનો માર્ગ આ મુજબ છે : જ્યારે વાતાવરણમાં રહેલો પ્રદૂષક અવિઘટનીય અને વસારાગી (લીપોક્લિક – લિપિડ માટેનું આકર્ષણ ધરાવતા) હોય ત્યારે સંદૂષણ થાય છે. પ્રદૂષકો વસારાગી હોવાથી જમીન…
વધુ વાંચો >સંદેશ
સંદેશ : અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય નગરોમાંથી પ્રગટ થતું ગુજરાતનું જૂનું દૈનિક. અમદાવાદમાં પ્રથમ દૈનિક વર્તમાનપત્ર નંદલાલ ચુનીલાલ બોડીવાળાએ 1921માં શરૂ કર્યું. એ વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય મહાસભાનું વાર્ષિક અધિવેશન મળ્યું, તે નિમિત્તે તેમણે ‘સ્વરાજ્ય’ નામે દૈનિક પત્રનો આરંભ કર્યો. ખર્ચને પહોંચી નહિ વળતાં તેમણે થોડા જ સમયમાં તેને સાપ્તાહિક બનાવ્યું.…
વધુ વાંચો >સંદેશક રાસ (ચૌદમી સદી)
સંદેશક રાસ (ચૌદમી સદી) : અબ્દુર રહેમાન નામના મુસ્લિમ કવિ દ્વારા ઉત્તર ગૌર્જર અપભ્રંશકાળમાં, ચારણી ડિંગળની પૂર્વભૂમિકારૂપ ‘અવહ’ પ્રકારની અપભ્રંશ ભાષામાં રચાયેલી વિપ્રલંભ શૃંગારની એક વિશિષ્ટ કાવ્યકૃતિ. મૂળમાં તો તાળી કે દાંડિયાના તાલ સાથે રાસ રમાતા ને ખેલાતા. પછી આ રાસ રમતાં જેનું ગાન થાય તેવી રચના પણ ‘રાસ’ કહેવાવા…
વધુ વાંચો >સંદેશાવ્યવહાર (communication)
સંદેશાવ્યવહાર (communication) : સંદેશાને કે સંકેતો(signals)ને એક સ્થળેથી અન્ય સ્થળે મોકલવાની અને તેને ઝીલવાની પ્રક્રિયા. સંદેશવહનમાં કોઈ વ્યક્તિ જૂથ કે સંસ્થા પ્રેષક (sender) હોય છે અને કોઈ અન્ય વ્યક્તિ જૂથ કે સંસ્થા તેને ગ્રહણ કરનાર (ઝીલનાર, receiver) હોય છે. મોટાભાગે સંદેશાનું ઉદ્ગમસ્થાન અવાજના તરંગો, પ્રકાશનાં કિરણો કે વીજાણુકીય (electronic) સંકેતો…
વધુ વાંચો >સંદેશાવ્યવહાર
સંદેશાવ્યવહાર : બે વ્યક્તિ વચ્ચે સંજ્ઞા, મુદ્રા કે શ્રાવ્ય ભાષા દ્વારા થતી વિચારો કે સૂચનાની આપ-લે. આ વિષયમાં ભાષા, વાણી, લેખન, સંજ્ઞા વગેરે સંદેશાવ્યવહાર માટેનાં માધ્યમનો ઉપયોગ મહત્ત્વનો છે. દા.ત., ટપાલ-વ્યવસ્થા પણ સંદેશાવ્યવહારનું એક અગત્યનું સાધન છે. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસને કારણે સંદેશાવ્યવહાર ઉપર નોંધપાત્ર અસર થઈ છે; જેમાં શરૂઆતમાં…
વધુ વાંચો >સંદેશાવ્યવહાર-વાહિની
સંદેશાવ્યવહાર–વાહિની વીજચુંબકીય તરંગો વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા મોકલવા માટેનું ઉપકરણ (પદ્ધતિ). આજના યુગમાં કમ્પ્યૂટર, રેડિયો, ટી.વી., ફૅક્સ, ટેલિફોન, મોબાઇલ ફોન જેવા ટેલિકૉમ્યુનિકેશનનાં ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. આ ઉપકરણો માહિતી મોકલવા માટે સંકેત(signal)નો ઉપયોગ કરે છે. આ સંકેતોને એક ઉપકરણથી બીજા ઉપકરણમાં મોકલવા માટે વીજચુંબકીય (electromagnetic) તરંગોનો ઉપયોગ થાય…
વધુ વાંચો >સંદેહવાદ (સંશયવાદ)
સંદેહવાદ (સંશયવાદ) : જ્ઞાનની શક્યતા કે નિશ્ચિતતા કે બંને વિશે કાયમી કે અલ્પસ્થાયી સંદેહ વ્યક્ત કરતો તત્ત્વજ્ઞાનનો મત. બીજી સદીના ચિન્તક સેક્સટસ એમ્પિરિક્સ મુજબ, સંદેહવાદી ચિન્તક (sceptic) મૂળ તો સમીક્ષક છે, સત્યશોધક છે, જિજ્ઞાસુ છે. સમીક્ષા પછી, શોધતપાસ પછી પણ તેને જો સમજાય કે તત્ત્વજ્ઞાનમાં પ્રવર્તતા જુદા જુદા મતમાંથી કોઈ…
વધુ વાંચો >સંધાન
સંધાન : જુઓ વેલ્ડિંગ.
વધુ વાંચો >સંધાનપેશી (connective tissue)
સંધાનપેશી (connective tissue) : શરીરની આધારદાયી પેશી. તેને અંતરાલીય (interstitial) પેશી પણ કહે છે. તેમાં તંતુઓ, દલદાર દ્રવ્ય (ground substance) અને વિવિધ પ્રકારના કોષો હોય છે. તે જે તે અવયવના મુખ્યકોષોને બરાબર બાંધીને રાખે છે. તેમાં સામાન્ય રીતે ઘણી નસો હોય છે અને તેથી તેમાં પુષ્કળ લોહીનું વહન થાય છે.…
વધુ વાંચો >સંધિ
સંધિ : સામાન્ય રીતે બે અથવા વધુ સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે સ્વીકૃત થયેલ અને ઔપચારિક રીતરસમ દ્વારા અધિકૃત સત્તામંડળે માન્ય (ratified) રાખવામાં આવેલ લેખિત સુલેહનામું. એને અનેક નામો અપાયાં છે; જેવાં કે કન્વેન્શન, પ્રોટોકૉલ, કૉવેનન્ટ, ચાર્ટર, પૅક્ટ, સ્ટેચ્યૂટ, ઍક્ટ, ડેક્લેરેશન, એક્સચેન્જ ઑવ્ નોટ્સ, ઍગ્રીડ મિનિટ્સ અને મેમોરૅન્ડમ ઑવ્ ઍગ્રીમેન્ટ. આવી સંધિઓમાંથી…
વધુ વાંચો >સંધિ
સંધિ : વ્યાકરણશાસ્ત્રનો એક અગત્યનો ખ્યાલ. બે પદોને સાથે બોલવા જતાં આગલા પદને છેડે રહેલા સ્વર કે વ્યંજન સાથે પાછળના પદના આરંભમાં આવતા સ્વર કે વ્યંજનના જોડાણથી ધ્વનિમાં જે ફેરફાર થાય તેને સંધિ કહેવાય. પાણિનિ તેને ‘સંહિતા’ એવા નામથી પણ ઓળખે છે, કારણ કે તેમાં બે સ્વરો, બે વ્યંજનો અથવા…
વધુ વાંચો >