ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અલ્ ઓશૈ

Jan 21, 1989

અલ્ ઓશૈ : કૃષ્ણમૂર્તિ કલ્કિરચિત તમિળ નવલકથા. એના ત્રણ ભાગ છે. તેમાં સીતા, લલિતા, તારિણી, સૂરિયા, સૌંદર રાઘવન વગેરે અનેક મહત્વનાં પાત્રો છે. રાષ્ટ્રીય આંદોલનોની પૃષ્ઠભૂમિમાં લખાયેલી આ કથામાં 1930ના નાકર આંદોલનથી માંડીને 1947ના નાવિક આંદોલન સુધીના સમયની મુક્તિસંગ્રામની વિવિધ ઘટનાઓનું ચિત્રાત્મક નિરૂપણ છે. ગાંધીજીનાં અસહકાર આંદોલનોનો પણ તેમાં સમાવેશ…

વધુ વાંચો >

અલકમા બિન અબ્દહ અલ્ તમીમી

Jan 21, 1989

અલકમા બિન અબ્દહ અલ્ તમીમી (છઠ્ઠી સદી) : પ્રાચીન અરબી કવિ. તે અલકમા અલ્ફહલ(નરકેસરી)ના નામથી પ્રખ્યાત છે. કબીલા તમીમના સુપ્રસિદ્ધ કવિ ઇમ્રુઉલ કૈસ(મૃત્યુ ઈ. સ. 540)ના તેઓ મિત્ર હતા. છઠ્ઠી સદીના પ્રથમાર્ધમાં તેમણે કાવ્યરચના કરી કહેવાય છે. લખમી અને ગસ્સાની અરબો વચ્ચે થયેલી લડાઈઓ વિશે તેમની કવિતામાં વર્ણન છે. તેમના…

વધુ વાંચો >

અલ્ કાઝી ઇબ્રાહીમ

Jan 21, 1989

અલ્ કાઝી, ઇબ્રાહીમ (જ. 18 ઑક્ટોબર 1925, પુણે, મહારાષ્ટ્ર; અ. 4 ઑગસ્ટ 2020, નવી દિલ્હી) : ભારતીય નાટ્યજગતની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ. પિતા મૂળ અરબ અને માત્ર અરબી જાણે. માતા ઉર્દૂ, હિન્દી, મરાઠી અને ગુજરાતી પર પણ સારો કાબૂ ધરાવતાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને નાટ્યકળાના અભ્યાસ અર્થે તેઓ લંડન ગયા.…

વધુ વાંચો >

અલકિન્દી

Jan 21, 1989

અલકિન્દી (નવમી સદી) : અરબ ફિલસૂફ. આખું નામ અબુ યૂસુફ યાકૂબ ઇબ્ન ઇસ્હાક અલ કિન્દી. જન્મ કૂકા શહેરમાં. જીવનનો મોટો સમય બગદાદમાં વ્યતીત થયેલો. નિખાલસ સ્વભાવને કારણે તેમને ‘અરબોના ફિલસૂફ’નું બિરુદ મળ્યું હતું. ઍરિસ્ટોટલના તત્વજ્ઞાનથી અતિપ્રભાવિત તેઓ કદાચ પહેલા અને છેલ્લા અરબ ફિલસૂફ હતા. તેમણે ઍરિસ્ટોટલના અને પ્લૅટોના વિચારોનો સમન્વય…

વધુ વાંચો >

અલ્ગોન્ક્વિન રેડિયો ઑબ્ઝર્વેટરી

Jan 21, 1989

અલ્ગોન્ક્વિન રેડિયો ઑબ્ઝર્વેટરી : કૅનેડાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલ-સંચાલિત ઑન્ટારિયોના અલ્ગોન્ક્વિન પાર્ક ખાતે આવેલી રેડિયો-વેધશાળા. એના રેડિયો-ટેલિસ્કોપનો વ્યાસ 46 મીટર (150 ફૂટ) છે અને તે 3 સેમી. સુધીની તરંગ-લંબાઈ ઉપર કામ કરી શકે છે. કૅનેડાનું આ મોટામાં મોટું રેડિયો-ટેલિસ્કોપ છે. પ્રકાશનાં મોજાંની સરખામણીમાં રેડિયો-મોજાંની તરંગ-લંબાઈ વધુ લાંબી હોવાથી રેડિયો-ટેલિસ્કોપની વિભેદન-ક્ષમતા (resolving…

વધુ વાંચો >

અલ્-જામિયા અલ્-સૈફિયહ

Jan 21, 1989

અલ્-જામિયા અલ્-સૈફિયહ : દાઉદી વહોરા કોમની, સૂરત શહેરમાં આવેલી એક ખાનગી વિદ્યાપીઠ. વિશ્વભરમાં વસતા અને વેપાર-ધંધો કરતા દાઉદી વહોરાઓની ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત શહેરમાં હતું. તેથી એ જ શહેરમાં 1799માં વડા ધર્મગુરુ અબ્દે અલીએ દર્સે સૈફી નામની શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. આ મદરેસામાં દાઉદી વહોરા કોમની ઇસ્માઇલી માન્યતાઓ ઉપર આધારિત…

વધુ વાંચો >

અલ્જિનિક ઍસિડ

Jan 21, 1989

અલ્જિનિક ઍસિડ : મેન્યુરૉનિક અને ગ્લુકુરૉનિક ઍસિડ એકમોનો રેખીય (linear) બહુલક (polymer). આ ઍસિડનો ક્ષાર (અલ્જિન) ભૂખરા રંગની સમુદ્ર-શેવાળમાં મળે છે. સ્ટેનફર્ડને 1880માં આયોડિનના નિષ્કર્ષણની વિધિને સુધારવાના પ્રયત્ન દરમ્યાન અલ્જિન સૌપ્રથમ મળ્યું હતું. અલ્જિનિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે મૅક્રોસિસ્ટિક પાયરિફેરા, વિવિધ પ્રકારની લેમિનેરિયા અને એસ્કોફાઇલમ નોડોસમ જાતની સમુદ્ર-શેવાળો વપરાય છે.…

વધુ વાંચો >

અલ્જિયર્સ

Jan 21, 1989

અલ્જિયર્સ : આફ્રિકાના અલ્જિરિયાનું પાટનગર અને મુખ્ય બંદર. સાહેલ ટેકરીઓ પર વસેલા અલ્જિયર્સ શહેરની વસ્તી 39,15,811 (2011) છે. ફિનિશિયા(આધુનિક લેબનન અને આસપાસના વિસ્તારનો પ્રાચીન પ્રદેશ)ની પ્રજાએ ઉત્તર આફ્રિકામાંનાં તેનાં અનેક સંસ્થાનોની સ્થાપના વખતે અરબોએ 935માં આ શહેરની સ્થાપના કરી હતી. અનેક આક્રમણોમાં નાશ પામેલા અલ્જિયર્સની પુન: સ્થાપના બર્બર વંશે દસમી…

વધુ વાંચો >

અલ્જિરિયા

Jan 21, 1989

અલ્જિરિયા ઉત્તર આફ્રિકાનો ભૂમધ્યસમુદ્રને કિનારે મઘ્રેબ (વાયવ્ય આફ્રિકા)માં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 9° ઉ.અ.થી 37° ઉ.અ. અને 9° પૂ.રે.થી 12° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 23,84,741 ચોકિમી છે. તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે અને આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. તેની  ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યુનિસિયા…

વધુ વાંચો >

અલ્ટરનેરિયાનો સુકારો

Jan 21, 1989

અલ્ટરનેરિયાનો સુકારો (blight) : અલ્ટરનેરિયા દ્વારા જીરું, બટાટા, ટામેટાં અને ઘઉં જેવી વનસ્પતિને લાગુ પડતો રોગ. જીરુંમાં આ રોગ ફૂગની Alternaria burnsii Uppal, Patel and Kamat નામની જાતિ દ્વારા થાય છે. તેને જીરાનો ‘કાળો ચરમો’ પણ કહે છે. લક્ષણો : વાવણી બાદ આ ફૂગજન્ય રોગથી પાન અને થડ ઉપર ભૂખરા…

વધુ વાંચો >