ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અબ્બાસ

Jan 13, 1989

અબ્બાસ (જ. 568, મક્કા, સાઉદી અરેબિયા; અ. ફેબ્રુઆરી 653, મદિના, સાઉદી અરેબિયા) : હઝરત મોહંમદના કાકા હતા, પણ ઉંમરમાં બે વચ્ચે ઝાઝો તફાવત ન હતો. કાબા શરીફમાં લોકોને પાણી પાવાનું કામ એમને માથે હતું. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, પણ એ વાત ગુપ્ત રાખી હતી. મક્કાના વિજય પછી એમણે…

વધુ વાંચો >

અબ્બાસ ખ્વાજા અહમદ

Jan 13, 1989

અબ્બાસ, ખ્વાજા અહમદ (જ. 7 જૂન 1914, પાનીપત, હરિયાણા; અ. 1 જૂન 1987, મુંબઈ, મહારાષ્ટ્ર) : પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચ શિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમ્યાન ‘અલીગઢ ઓપિન્યન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. 1935માં તેઓ ‘બૉમ્બે ક્રૉનિકલ’માં જોડાયા. તેમાં…

વધુ વાંચો >

અબ્બાસી, અબ્દુલ લતીફ

Jan 13, 1989

અબ્બાસી, અબ્દુલ લતીફ (ગુજરાતી) (જ. , અમદાવાદ; અ. 1678-79) : વિખ્યાત ફારસી ગ્રંથકાર. ‘ખુલાસતુશ્શુઅરા’ નામની કૃતિની પ્રસ્તાવનામાં અમદાવાદનો પોતાની જન્મભૂમિ તરીકે ઉલ્લેખ છે. અબ્બાસી કેટલાક સમય માટે જહાંગીરના સમયમાં થઈ ગયેલા લશ્કરખાનની નોકરીમાં હતા. નોકરી દરમિયાન એમણે લશ્કરખાન વતી ખાનેખાનાન, મહોબતખાન, આસફખાન વગેરેને પત્રો લખેલા. પાછળથી તેમની સેવાઓ બદલ તેમને …

વધુ વાંચો >

અબ્રહામ

Jan 13, 1989

અબ્રહામ (ઈ. પૂ. 2300) : યહૂદી ધર્મના પ્રથમ મહાપુરુષ. જૂના ધર્મનિયમ (Old Testament) અનુસાર તેઓ યહૂદી રાજ્યના સ્થાપક હતા. તેમનું મૂળ નામ અબ્રામ હતું. તેઓ હજરત નૂહના વંશજ મનાય છે. તેમના પિતા તેરાહ ઇરાકના ઉર નગરમાં રહેતા અને અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ બનાવીને વેચતા અને તેઓ મૂર્તિપૂજા પણ કરતા. અબ્રામ મૂર્તિપૂજાના…

વધુ વાંચો >

અબ્રહામ વૉલ્ડ

Jan 13, 1989

અબ્રહામ, વૉલ્ડ : જુઓ, વૉલ્ડ અબ્રહામ.

વધુ વાંચો >

અબ્રાહમ, ગૅરાલ્ડ અર્નેસ્ટ હીલ

Jan 13, 1989

અબ્રાહમ, ગૅરાલ્ડ અર્નેસ્ટ હીલ (Abraham, Gerald Ernest Heal) [જ. 9 માર્ચ, 1904, ન્યૂપૉર્ટ, આઇલ ઑવ્ ટાઇટ, બ્રિટન; અ. 18 માર્ચ, 1988, મિડહર્સ્ટ, અંતિમ ક્રિયા ગીલ્ડફોર્ડ(Guildford)માં, રાખ વૈરી એબર્નો (Ebernoe)માં બ્રિટન] : સંગીતજ્ઞ, સંગીતવિવેચક તથા સંપાદક. રશિયન સંગીત અંગેની જાણકારી-જ્ઞાન માટે તેઓ ખાસ પંકાયા. પિતાનું નામ અર્નેસ્ટ અબ્રાહમ અને માતાનું નામ…

વધુ વાંચો >

અભયતિલકગણિ

Jan 13, 1989

અભયતિલકગણિ (ઈ. 13મી સદી) : સોલંકી-વાઘેલા સમયમાં થઈ ગયેલા નામાંકિત જૈન-આચાર્ય-સાહિત્યકાર. તેમણે પાલણપુરમાં 1256માં હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ કાવ્ય ઉપર ટીકા રચીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત શ્રીકંઠના ‘પંચપ્રસ્થાન-ન્યાયમહાતર્ક’ ઉપર ‘ન્યાયાલંકાર’ નામની વ્યાખ્યા રચી હતી. તેઓ દર્શન, કાવ્ય, સાહિત્ય, કોશ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં નિપુણ હતા. તેમણે ગૌર્જર અપભ્રંશમાં ‘વીરરાસ’ રચ્યો હતો, જેમાં…

વધુ વાંચો >

અભયદેવસૂરિ

Jan 13, 1989

અભયદેવસૂરિ (પ્રથમ) (ઈ. 10મી સદી) : રાજગચ્છના પ્રસિદ્ધ વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી વંશના સ્થાપક રાજવી મૂળરાજ(942-997)ના સમકાલીન હતા. તેમણે સિદ્ધસેન દિવાકરે રચેલા ‘સન્મતિપ્રકરણ’ ઉપર ‘તત્વબોધવિધાયિની’ નામની ટીકા રચી હતી. (આ ટીકા ‘વાદમહાર્ણવ’ નામથી પણ પ્રસિદ્ધ છે.) આ દાર્શનિક સાહિત્યકૃતિથી તેઓ ‘તર્કપંચાનન’ અને ‘ન્યાયવનસિંહ’ જેવાં બિરુદો પામ્યા હતા. માલવપતિ મુંજની સભામાં…

વધુ વાંચો >

અભયસિંહ

Jan 13, 1989

અભયસિંહ (જ. 1702, અ. 1750) : ગુજરાતના મુઘલ સૂબેદાર. ગુજરાત 1573થી 1753 સુધી મુઘલ સામ્રાજ્યનું પ્રાંતિક એકમ હતું. 1720 બાદ ગુજરાત પરના મરાઠાઓના હુમલાઓમાં ભારે વધારો થતાં, મુઘલ પાદશાહ મુહમ્મદશાહ તથા તેના મુખ્ય વજીર ખાન દુરાનને ગુજરાતમાં સબળ સૂબેદારની જરૂર જણાતાં, તેમણે મારવાડના વફાદાર અને બાહોશ સેનાની મહારાજા અભયસિંહની ગુજરાતના…

વધુ વાંચો >

અભયાદિ ક્વાથ

Jan 13, 1989

અભયાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. હરડે, નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ઠ, અરડૂસીનાં પાન, ઇન્દ્રજવ, સુગંધી વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કળીપાટ, સૂંઠ અને કડુનું અધકચરું ચૂર્ણ બનાવી 2 તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમા ભાગ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળવામાં આવે છે. માત્રા : 20 થી 40 ગ્રામ જેટલો…

વધુ વાંચો >