ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અપંગતા અને વળતર
અપંગતા અને વળતર (disability and compensation) : શારીરિક તેમજ માનસિક ખોડ કે ખામી (અપંગતા) તથા તેનાથી પડતી ખોટને પૂરવા માટેનો ઉપાય (વળતર). અપંગતા સાપેક્ષ અને વ્યક્તિની જરૂરિયાત પર આધારિત હોય છે. દીર્ઘ જીવન, સૈન્યમાં કામ કરી શકાય તેવી શારીરિક ક્ષમતા, રમત-ગમતમાં ભાગ લઈ શકાય તેવી શક્તિ, રોજી મેળવવા માટે કરવા…
વધુ વાંચો >અપંગ-શિક્ષણ
અપંગ-શિક્ષણ (education for the handicapped) : સામાજિક, શારીરિક અને માનસિક અશક્તો માટેની કેળવણી. તેની શરૂઆત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓ તરફથી કરાઈ હતી. બાલ અને કુમાર ગુનેગારો માટેનાં રિમાન્ડ હોમ અને પ્રમાણિત શાળાઓ શિક્ષણ સાથે ચારિત્ર્યસુધારણાનું કામ પ્રોબેશન અધિકારીઓની સલાહ મુજબ કરે છે. કુ. હેલન કેલરના પ્રયાસોથી બ્રેલ લિપિનો…
વધુ વાંચો >અપારદર્શકતા
અપારદર્શકતા (opacity) : વિદ્યુતચુંબકીય વિકિરણ(radiation)-ને, ખાસ કરીને પ્રકાશને, પોતાનામાંથી પસાર ન થવા દે તેવો પદાર્થનો ગુણધર્મ. અપારદર્શકતા એ પારદર્શકતા(transmittance)થી વિરુદ્ધનો ગુણ છે. એટલે કે તેઓ એકબીજાથી વ્યસ્તપ્રમાણમાં છે. અપારદર્શકતાને O અને પારદર્શકતાને τ થી દર્શાવીએ તો O = 1/τ. જો પ્રકાશીય ઘનતા (optical density) d હોય તો કોઈ પણ પદાર્થ…
વધુ વાંચો >અપારદર્શક રંગચિત્ર
અપારદર્શક રંગચિત્ર (gouache) : જલરંગો(water-colours)માં સફેદ રંગ તથા ગુંદર જેવા બંધક (binder) ઉમેરીને ચિત્રને અપારદર્શક બનાવવાની તરકીબ. પાણી પારદર્શક છે અને તેમાં મિશ્રિત કરેલ જલરંગો પણ પારદર્શક રંગો કહેવાય છે, કારણ કે તે ચિત્રકામ માટેના કાગળનાં સૂક્ષ્મ છિદ્રોમાં ફેલાય છે અને તેથી મૂળ રંગની અસર ઓછી થાય છે. જલરંગમાં સફેદ…
વધુ વાંચો >અપાલા
અપાલા : સંસ્કૃત સાહિત્યનું પૌરાણિક પાત્ર. અત્રિ ઋષિનાં બ્રહ્મવાદિની પુત્રી. શરીરે કોઢ જેવો ચર્મરોગ હોવાથી પતિ દ્વારા ત્યજાયેલાં હોવાથી પિતાને ઘેર રહેતાં અપાલા દેવરાજ ઇન્દ્રની પ્રસન્નતા માટે આતુર હતાં. એક સમયે નદીએ જળ ભરવા જતાં તેમણે સોમ-વલ્લી જોઈ; તેને પોતાના મુખમાં મૂકીને ચર્વણ કરતાં થયેલા અવાજને સાંભળી ઇન્દ્ર ત્યાં આવી…
વધુ વાંચો >અપાસરો (ઉપાશ્રય)
અપાસરો (ઉપાશ્રય) : જૈન સાધુ-સાધ્વીઓ માટે ઊતરવાનું સ્થળ. સ્વાધ્યાયમાં વિઘ્ન ન થાય તેવું, જયણા પળાય તે માટે હવા-ઉજાસવાળું, બ્રહ્મચર્યની વાડ પળાય તે માટે સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગથી રહિત તેમજ આધાકર્મી આદિ દોષ ન લાગે તે માટે ગૃહસ્થ આદિના નિવાસથી દૂર હોય છે. સ્વાધ્યાય, નિર્જરા અને કાયોત્સર્ગ થાય તેવું આ સ્થાન…
વધુ વાંચો >અપીલ
અપીલ : ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતના ન્યાયનિર્ણયની ન્યાયિક ફેરવિચારણા. નીચલી અદાલતના ન્યાયનિર્ણયથી અસંતુષ્ટ પક્ષકાર ઉપલી અદાલત સમક્ષ તે અંગેનાં પોતાનાં કારણો જણાવી જે ન્યાયિક કાર્યવાહી કરવા માટેની દાદ માગતી અરજી દાખલ કરે તેને અપીલ કહેવામાં આવે છે. દીવાની અદાલતના હુકમ કે હુકમનામા સામેની અપીલ અંગેના પ્રબંધો સિવિલ પ્રોસીજર કોડ,…
વધુ વાંચો >અપુ
અપુ : બંગાળી નવલકથાનું પ્રસિદ્ધ પાત્ર. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ત્રણ નવલકથાઓ ‘પથેર પાંચાલી’, ‘અપરાજિત’ તથા ‘અપુર સંસાર’નો નાયક અપૂર્વ છે. એનું લાડકું નામ અપુ છે. ‘અપુ’ના પાત્ર દ્વારા લેખક જ પોતાના જીવનમાં થોડા કાલ્પનિક રંગો પૂરી પોતાની જ કથા નિરૂપે છે. ગામડામાં ઊછરેલો બાળક, શહેરમાં જતાં, ત્યાં શરૂઆતમાં એકલતા અનુભવે અને…
વધુ વાંચો >અપુર સંસાર
અપુર સંસાર (1959) : બંગાળી ફિલ્મ. કથા : વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાય. પટકથા અને દિગ્દર્શન : સત્યજિત રાય. મુખ્ય અભિનય : સૌમિત્ર ચૅટરજી, શર્મિલા ટાગોર, સ્વપ્ન મુકરજી, આલોક ચક્રવર્તી. ‘અપરાજિત’ ફિલ્મ પછીની આ ફિલ્મમાં કથા આગળ વધે છે. અપુ કૉલેજમાં ભણે છે, રમતગમતમાં ભાગ લે છે અને નવલકથા પણ લખે છે. એના…
વધુ વાંચો >અપુષ્પ વનસ્પતિ
અપુષ્પ વનસ્પતિ : પુષ્પવિહીન વનસ્પતિ. તેમના જીવનક્રમ દરમિયાન બીજનિર્માણ પણ થતું નથી. વનસ્પતિના આ જૂથમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગીઓનો સમાવેશ થાય છે. એકાંગી વનસ્પતિઓની દેહરચના એકકોષી (જીવાણુઓ), બહુકોષી તંતુમય (લીલસ્પાઇરોગાયરા); ફૂગમ્યૂકર) અથવા સુકાય (લાઇકન્સ-ઉસ્નિયા) જેવી; પ્રજનન દ્વિભાજન પ્રકારનું અને બીજાણુઓ કે જન્યુઓ દ્વારા પણ; જીવાણુઓ અને નીલ-હરિત લીલમાં આદિકોષકેન્દ્રી (prokaryotic)…
વધુ વાંચો >