ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અસુર સંસ્કૃતિ
અસુર સંસ્કૃતિ : જુઓ, એસિરિયન સંસ્કૃતિ.
વધુ વાંચો >અસૂત્રી વિભાજન
અસૂત્રી વિભાજન (amitosis) : રંગસૂત્રો રચાયા વગરનું વિભાજન. આ પ્રકારનું વિભાજન જીવાણુ કે અમીબા જેવા પ્રજીવોમાં જોવા મળે છે. તેમાં સૌપ્રથમ કોષકેન્દ્ર લાંબું થાય, મગદળ જેવો આકાર ધારણ કરે, ત્યારબાદ તેમાં ખાંચ ઉત્પન્ન થાય, જે ધીરે ધીરે વધતાં એક કોષકેન્દ્રમાંથી બે કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે. આ વિભાજનમાં નવાં રંગસૂત્રો બનતાં…
વધુ વાંચો >અસ્કરી, હસન
અસકરી, હસન (મુહંમદ) (જ. 5 નવેમ્બર 1919, અલ્લાહાબાદ (હાલનું પ્રયાગરાજ); અ. 18 જાન્યુઆરી 1978, કરાંચી, પાકિસ્તાન) : સુપ્રસિદ્ધ ઉર્દૂ લેખક, સમીક્ષક અને અનુવાદક. અલીગઢ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવેલી. અવૈધિક રીતે તેમણે ફ્રેંચ ભાષામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. અધ્યયન-અધ્યાપનને વ્યવસાય તરીકે સ્વીકારેલ. દિલ્હીથી પ્રગટ થતી વિખ્યાત માસિક પત્રિકા…
વધુ વાંચો >અસ્કામત
અસ્કામત : વ્યક્તિ દ્વારા અંગત રીતે અથવા સમૂહ દ્વારા સંયુક્ત રીતે જેના પર માલિકીહક પ્રસ્થાપિત કરી શકાય તથા જેનું મૂલ્ય નાણાં દ્વારા આંકી શકાય તેવી કોઈ પણ ભૌતિક કે અભૌતિક, સ્થાવર કે જંગમ, કાયમી કે કામચલાઉ મિલકત. આવી મિલકતના માલિકીહક્કોનું આદાનપ્રદાન કે સ્થાનાંતરણ પણ થઈ શકે છે. ભૌતિક અસ્કામતોમાં દૃશ્ય…
વધુ વાંચો >અસ્તિત્વવાદ
અસ્તિત્વવાદ અર્વાચીન પશ્ચિમી તત્વચિંતનનો પ્રભાવક સંપ્રદાય. તેનો પ્રારંભ ઓગણીસમી સદીના ડેન્માર્કના ચિંતક સોરેન કિર્કગાર્ડ (1813-1855) અને જર્મન ચિંતક ફ્રેડરિખ નીત્શે(1844-19૦૦)માં જોઈ શકાય છે. વીસમી સદીમાં અસ્તિત્વવાદમાં મહત્વનું પ્રદાન કરનાર ચિંતકોમાં જર્મન ફિલસૂફો કાર્લ યાસ્પર્સ (1883-1969) અને માર્ટિન હાયડેગર (1889-1976) તેમજ ફ્રેંચ ફિલસૂફો ગેબ્રિઅલ મારસલ (1899-1973), ઝ્યાં પૉલ સાર્ત્ર (1905-198૦) અને…
વધુ વાંચો >અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન
અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન : વીસમી સદીના મનોવિજ્ઞાનમાં પ્રથમ પરિબળ તરીકે ફ્રૉઇડના મનોવિશ્લેષણને અને બીજા પરિબળ તરીકે અમેરિકન મનોવિજ્ઞાનીઓના વર્તનવાદ(behaviourism)ને ગણાવવામાં આવે છે. તે સંદર્ભમાં અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન (existential psychology) ત્રીજા પરિબળના મનોવિજ્ઞાન (third force psychology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના આ ત્રીજા પ્રભાવક અભિગમમાં અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન ઉપરાંત પ્રતિભાસમીમાંસાલક્ષી મનોવિજ્ઞાન (phenomenological psychology) અને માનવવાદી…
વધુ વાંચો >અસ્તી
અસ્તી (1966) : આધુનિક ગુજરાતી પ્રયોગશીલ લઘુનવલ. લેખક શ્રીકાન્ત શાહ. ઘટનાવિહીન અને અસંબદ્ધ વસ્તુગૂંથણીવાળી લાગતી એંશી પાનાંની આ રચનામાં શેરીને નાકે ઊભેલો વાર્તાનો નાયક ‘તે’, પાસેથી પસાર થતી સૃષ્ટિને જોઈને અંધકાર, એકલતા અને શૂન્યતાની સંવેદના સાથે મૃત્યુ ભણી પોતે ગતિ કરી રહ્યાનો અનુભવ કરે છે. આ નિર્ભ્રાન્ત જીવનદૃષ્ટિમાં અસ્તિત્વવાદનો પડઘો…
વધુ વાંચો >અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ
અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ (જ. 12 એપ્રિલ 1823, મોસ્કો, રશિયા; અ. 14 જૂન 1886, રશિયા) : રૂસી નાટ્યકાર. સફળ વકીલનો આ બેફિકરો પુત્ર તત્કાલીન રશિયન થિયેટરનો ખૂબ લોકપ્રિય નાટ્યકાર નીવડ્યો. મૉસ્કો યુનિવર્સિટીમાં વકીલાતની તાલીમ લઈ ત્યાંની વ્યાપારી કૉર્ટમાં એણે નોકરી લીધી. સાહિત્ય અને નાટ્યક્ષેત્રે એના સમકાલીનો – તુર્ગનેવ અને લ્યેફ તોલ્સ્તોય…
વધુ વાંચો >અસ્થિ
અસ્થિ (bone) : અસ્થિ એ પૃષ્ઠવંશી પ્રાણીનું અંત:કંકાલતંત્ર રચતી, ઘણી સખત પ્રકારની સંયોજક પેશી છે. શરીરના વિવિધ ભાગોમાં આવેલાં અસ્થિઓ અંદરથી પોલાં હોય છે, તેમજ આકાર અને કદની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય ધરાવે છે. સપાટી પર આવરણ અને અંદરની તરફ અસ્થિદ્રવ્ય આવેલું હોય છે. મધ્યભાગને અસ્થિદંડ કહે છે, જ્યારે બંને છેડા…
વધુ વાંચો >અસ્થિઅર્બુદો
અસ્થિઅર્બુદો (bone tumours) : હાડકામાં થતી ગાંઠ (અર્બુદ). તે બે પ્રકારની હોય છે સૌમ્ય (benign) અને દુર્દમ અથવા મારક (malignant) દુર્દમ અસ્થિ અર્બુદને કૅન્સર પણ કહે છે. કૅન્સર હાડકામાં તે જ સ્થળે ઉદભવ્યું હોય (પ્રથમાર્બુદ, primary) અથવા રોગસ્થાનાંતરતા(metastasis)ને કારણે અન્યત્ર ઉદભવીને હાડકામાં પ્રસર્યું પણ હોય (દ્વિરર્બુદ, secondary). (અસ્થિઅર્બુદોના પ્રકારો અને…
વધુ વાંચો >