ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અબૂ મૂસા અશઅરી

અબૂ મૂસા અશઅરી (ઈ.સ. છઠ્ઠી સદી) : પેગંબર મુહંમદસાહેબના સહાબી (જેમણે પેગંબરસાહેબને જોયા હતા તે) હતા. હઝરત અલી અને અમીર મુઆવિયા બંને પોતાની જાતને ખિલાફતના ખરા હકદાર ગણતા હતા. બંને વચ્ચે યુદ્ધ થયું જે ‘જંગે સિફ્ફીન’ના નામે જાણીતું છે. મુસલમાનોમાં આ યુદ્ધનો અંત લાવવા ખાતર લવાદ તરીકે અબૂ મૂસા અશ્અરી…

વધુ વાંચો >

અબૂ યૂસુફ (કાઝી)

અબૂ યૂસુફ (કાઝી) (731-798) : અરબી ધર્મગુરુ. નામ યાકૂબ બિન ઇબ્રાહીમ અન્સારી–કૂફી. અટક અબૂ યૂસુફ. ઇમામ અબૂ યૂસુફને નામે જાણીતા. એમના ગુરુ ઇમામ અબૂ હનીફા (આઠમી સદી). તેઓ હનફી સુન્ની સંપ્રદાયના ઇમામ હતા. ઇસ્લામી ધર્મશાસ્ત્ર અને કાનૂનમાં નિષ્ણાત. બગદાદમાં તેમની કાઝી તરીકે નિમણૂક થયેલી. તેમણે અબ્બાસી ખલીફા હાદી, મેહદી અને…

વધુ વાંચો >

અબૂ સઈદ અબિલ ખૈર

અબૂ સઈદ અબિલ ખૈર (જ. 7 ડિસે. 967, મૈહના, ખોરાસાન; અ. 12 જાન્યુ. 1049) : ઈરાનના મહાન સૂફી અને રુબાઈ કવિ. મૂળ નામ ફઝલુલ્લાહ. અબૂ સઈદે અતિશય ભક્તિભાવ અને કઠોર સંયમમાં ચાલીસ વર્ષ પસાર કર્યાં હતાં. પછી દરિદ્ર-સેવામાં તલ્લીન થઈ ગયેલા. તેમણે ઘણી રુબાઈઓ રચેલી એમ માનવામાં આવે છે. તેમના…

વધુ વાંચો >

અબૂ સઈદ અયૂબ

અબૂ સઈદ અયૂબ (જ. 1906, કૉલકાતા; અ. 21 ડિસેમ્બર 1982, કોલકાતા) : બંગાળી લેખક. ભારતના અગ્રણી તત્વચિંતક અને સાહિત્યના સમાલોચક. માતૃભાષા ઉર્દૂ. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી. સોળ વર્ષના થયા ત્યારે રવીન્દ્રનાથની મૂળ રચનાઓ વાંચી શકે એ માટે બંગાળીનું ઊંડું અધ્યયન કર્યું. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ફિલસૂફીનો વિષય લઈને એમ. એ.ની ઉપાધિ મેળવી. ‘યુગાન્તર’,…

વધુ વાંચો >

અબૂ સુફયાન

અબૂ સુફયાન (જ. 1 સપ્ટેમ્બર 560, મક્કા, સાઉદી અરેબિયા; અ. 1 ઑગ્સટ 652, મદિના, સાઉદી અરેબિયા) : હ. મુહમ્મદ પેગંબરના શ્વશૂર. મૂળ નામ સખ્ર બિન હરબ બિન ઉમૈય્યા. અટક અબૂ સુફયાન. કબીલા કુરૈશની ઉમૈય્યા શાખાના ધનવાન વેપારી અને સરદાર હતા અને મક્કામાં જન્મ્યા હતા. તેમણે બદ્ર (ઈ. સ. 624) અને…

વધુ વાંચો >

અબૂ હનીફા

અબૂ હનીફા (જ. 5 સપ્ટેમ્બર 699, કૂફા, ઇરાક; અ. 14 જૂન 767, બગદાદ, ઇરાક) : હનફી-ઇસ્લામી ધર્મશાસ્ત્રના પ્રણેતા : મૂળ નામ નુઅમાન બિન સાબિત. પણ અબૂ હનીફાને નામે અને ‘ઇમામ આઝમ’ના ઇલકાબથી પ્રસિદ્ધ. મહાન ધર્મજ્ઞાની. જ્ઞાન, બુદ્ધિમત્તા અને સ્વભાવની સહિષ્ણુતા પરત્વે અજોડ. ઇસ્લામી ધર્મશાસ્ત્રના બંધારણ માટે તેમના ઘડેલા નિયમો વિશાળ…

વધુ વાંચો >

અબ્જદ પદ્ધતિ

અબ્જદ પદ્ધતિ : અરબી ભાષામાં ‘પાકિસ્તાન’ના ‘પ’ સહિતના કેટલાક ઉચ્ચારો ન હોવા છતાં તે શબ્દલાલિત્ય, સાહિત્યમાધુર્ય અને વાક્ચાતુર્યની નજરે જગતની એક સર્વોત્તમ ભાષા છે. સંસ્કૃત અને તેની સંબંધિત ભાષાઓના 36 મૂળાક્ષરોની સરખામણીમાં અરબી ભાષા 28 મૂળાક્ષરો ધરાવે છે. એ દરેક મૂળાક્ષરને ‘અબ્જદ’ નામથી ઓળખાતી અને અરબી તથા તેની સંબંધિત ભાષાઓ…

વધુ વાંચો >

અબ્દુર્ગ

અબ્દુર્ગ : જુઓ દુર્ગ.

વધુ વાંચો >

અબ્દુર્રહીમ ખાનખાનાન

અબ્દુર્રહીમ ખાનખાનાન (જ. 17 ડિસેમ્બર 1556, લાહોર; અ. 1 ઑક્ટોબર 1627, દિલ્હી) : મુઘલ શહેનશાહ  અકબર અને જહાંગીરના સમયનો મહાન સેનાધ્યક્ષ, રાજકારણી, કવિ તથા સાહિત્ય પ્રેમી અમીર. નામ મુહમ્મદ અબ્દુર્રહીમ. પિતાનું નામ બૈરમખાન. પિતાના મૃત્યુ સમયે માંડ ચારપાંચ વર્ષનો હતો ત્યારે અકબરે તેને પોતાની પાસે બોલાવીને મિર્ઝાખાનનો ખિતાબ અર્પણ કરેલો.…

વધુ વાંચો >

અબ્દુર્રહેમાનખાન

અબ્દુર્રહેમાનખાન (જ. 1844, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 1 ઑક્ટોબર 1901, કાબુલ, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો અમીર. પિતાનું નામ અફઝલખાન અને પિતામહનું નામ દોસ્ત મહમ્મદ હતું. ગાદીવારસા માટેના સંઘર્ષમાં શેર અલીનો વિજય થતાં તેણે સમરકંદમાં આશ્રય લીધેલો. બીજા અફઘાન વિગ્રહને અંતે 1879માં અંગ્રેજ સરકારે અબ્દુર્રહેમાનને રાજા તરીકે માન્ય કર્યો હતો. દેશની વિદેશનીતિ તેણે…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >