અબૂ મૂસા અશઅરી (ઈ.સ. છઠ્ઠી સદી) : પેગંબર મુહંમદસાહેબના સહાબી (જેમણે પેગંબરસાહેબને જોયા હતા તે) હતા. હઝરત અલી અને અમીર મુઆવિયા બંને પોતાની જાતને ખિલાફતના ખરા હકદાર ગણતા હતા. બંને વચ્ચે યુદ્ધ થયું જે ‘જંગે સિફ્ફીન’ના નામે જાણીતું છે. મુસલમાનોમાં આ યુદ્ધનો અંત લાવવા ખાતર લવાદ તરીકે અબૂ મૂસા અશ્અરી અને અમ્રબિન અલ આસની નિમણૂક થયેલી. અમ્ર બિન અલ આસના છળકપટથી લવાદનો ફેંસલો અમીર મુઆવિયાની તરફેણમાં આવ્યો હતો.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા