ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

અપચો

અપચો : પેટમાંની અસ્વસ્થતાનો એક પ્રકાર. જમ્યા પછી તરત, કલાકે બે કલાકે કે અર્ધરાત્રિએ પેટના ઉપલા ભાગમાં ભરાવો લાગે કે બળતરા થાય, વાયુને કારણે પેટ તણાય, તણાવ થાય, ઘચરકા આવે કે ઊબકા આવે ત્યારે તેને અપચો કહે છે. દર્દીને આ લક્ષણ સ્પષ્ટ રીતે સમજવામાં મુશ્કેલી પડે છે. અને તેથી તેને…

વધુ વાંચો >

અપડાઇક જૉન હૉયૅર

અપડાઇક, જૉન હૉયૅર (જ. 18 માર્ચ 1932, શિલિંગ્ટન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 27 જાન્યુઆરી 2009, ડેન્વર, મેસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર. 1954માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા. 1955માં ‘ન્યૂયૉર્કર’ પત્રમાં વાર્તા, કવિતા અને તંત્રીલેખો લખવા માંડ્યા. 1959 સુધીમાં ‘ધ સેમ ડોર’ વાર્તાસંગ્રહ અને ‘ધ પુઅર હાઉસ ફૅર’ નવલકથા આપ્યાં. વખણાયેલી નવલકથા ‘રૅબિટ…

વધુ વાંચો >

અપત્યપ્રસવ (વનસ્પતિ)

અપત્યપ્રસવ (vivipary) (વનસ્પતિ) : સુષુપ્ત અવસ્થા વગરનું બીજનું અંકુરણ. સમુદ્રકિનારે ક્ષારયુક્ત કાદવવાળી પોચી જમીનમાં ઊગતી વનસ્પતિઓનાં ફળ માતૃછોડ પર લાગેલાં હોય, તે અવસ્થામાં જ, બીજનું અંકુરણ થઈ આદિમૂળ અને અધરાક્ષ (hypocotyl) વિકાસ પામે તેને અપત્યપ્રસવ કહે છે. કાંડેલ (Rhizophora), ગોરન (Ceriops), તીવાર (Avicennia), લાવણ્યમયી (Aegiceras), મહેબુલ (Sonneratia), અને નાઇપા (Nipa)…

વધુ વાંચો >

અપદ્યાગદ્ય

અપદ્યાગદ્ય : કવિ ન્હાનાલાલના નામ સાથે જોડાઈ ગયેલી, ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ છંદશોધઘટના. ‘અપદ્યાગદ્ય’નો કવિશ્રીનો આ નવતર પ્રયોગ ‘ડોલનશૈલી’ તરીકે વધુ ઓળખાતો આવ્યો છે. ગુજરાતીમાં પ્રવાહી પદ્યની શોધ નર્મદના વીરવૃત્ત, કેશવલાલ ધ્રુવના વનવેલી વગેરેમાં જોઈ શકાય છે. અગેય પૃથ્વીને પ્રવાહી રૂપ આપવાનો પ્રયત્ન પ્રો. બળવંતરાય ઠાકોરે પણ કર્યો છે. પણ…

વધુ વાંચો >

અપબીજાણુતા

અપબીજાણુતા (apospory) : વનસ્પતિઓમાં અર્ધસૂત્રી ભાજન અને બીજાણુ-નિર્માણ થયા સિવાય બીજાણુજનક (sporophyte) અવસ્થામાંથી જન્યુજનક અવસ્થાનો થતો વિકાસ. તેને અબીજકજનન અથવા અવબીજાણુતા પણ કહે છે. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે છે. એક તે જન્યુજનક. તેમાં નરજન્યુ અને માદાજન્યુના મિલનથી યુગ્મનક (zygote) બને અને તેમાંથી પુખ્ત ભ્રૂણ…

વધુ વાંચો >

અપભ્રંશ ભાષા અને સાહિત્ય

અપભ્રંશ ભાષા અને સાહિત્ય પ્રાકૃતો અને આધુનિક ભારતીય આર્યભાષાઓની વચ્ચેની કડીભાષા. પ્રાકૃત ભાષાઓના અંતિમ તબક્કાને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે. હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી આદિ આધુનિક ભારતીય આર્યભાષાઓ તેમાંથી ઊતરી આવી છે. ભાષાસંદર્ભે અપભ્રંશનો જૂનામાં જૂનો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં મળે છે, જેમાં તે કહે છે – ‘દરેક શુદ્ધ શબ્દનાં ઘણાં…

વધુ વાંચો >

અપમિશ્રણ

અપમિશ્રણ (doping) : જર્મેનિયમ (Ge) કે સિલિકોન (Si) જેવાં આંતરિક અર્ધવાહકો(intrinsic semiconductors)ના ગુણધર્મોમાં આમૂલ ફેરફાર કરવાના હેતુથી થતી જરૂરી તત્વોની મેળવણી. આ ક્રિયાથી શુદ્ધ અર્ધવાહકના વિદ્યુત ગુણધર્મોમાં યથેચ્છ ફેરફારો લાવી શકાય છે. અહીં અપમિશ્રણ એટલે ગમે તે બિનજરૂરી ચીજ નહિ, પણ જરૂરી તત્વ જરૂરી પ્રમાણમાં એમ સમજવાનું છે. અપમિશ્રણથી સંપ્રાપ્ત…

વધુ વાંચો >

અપમૂત્રપિંડી સંલક્ષણ

અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) : સમગ્ર શરીરના સોજાના કારણરૂપ મૂત્રપિંડનો વિકાર. સમગ્ર શરીરમાં સોજા (જળશોફ) આવે; હૃદય, ફેફસાંની આસપાસ પાણી ભરાય; જલોદર (ascites) થાય, લોહીમાં ચરબીનું પ્રમાણ વધે તથા આલ્બ્યુમિન નામના પ્રોટીનનું પ્રમાણ ઘટે અને પેશાબમાં દરરોજ 5 ગ્રામથી વધુ આલ્બ્યુમિન વહી જાય તે લક્ષણસમૂહને અપમૂત્રપિંડી સંલક્ષણ કહે છે. આ…

વધુ વાંચો >

અપરાજિતપૃચ્છા

અપરાજિતપૃચ્છા (12મી સદીનો ઉત્તરાર્ધ) : ગુજરાતમાં રચાયેલો પશ્ર્ચિમ ભારતીય વાસ્તુ, શિલ્પ, ચિત્ર, સંગીત અને નૃત્યકલાને લગતો સર્વસંગ્રહરૂપ ગ્રંથ. ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ બીજા (1161)ના પુત્ર અપરાજિતને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી કોઈ વાસ્તુવિદ્યાવિદે ‘ભુવનદેવાચાર્ય’ના ઉપનામથી આ અજોડ ગ્રંથ રચ્યો હોવાનું મનાય છે. ગ્રંથમાં પોતાના સહુથી નાના માનસપુત્ર અપરાજિતે પૂછેલા પ્રશ્નોના વાસ્તુવિદ્યાના દેવતા…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >