ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અતિતરલતા

અતિતરલતા (superfluidity) : અતિ નીચા તાપમાને પ્રવાહી હીલિયમ(He)નું ઘર્ષણરહિત પ્રવાહ રૂપે વહન. ‘અતિતરલતા’ શબ્દપ્રયોગ સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક કેપિટ્ઝાએ 1938માં યોજ્યો હતો. એક વાતાવરણના દબાણે 4.2 K તાપમાને હીલિયમ વાયુ પ્રવાહી બને છે. આ તાપમાન કોઈ પણ પદાર્થના ઉત્કલનિંબદુ કરતાં નીચામાં નીચું છે. 4.2 K અને 2.19 Kની વચ્ચે પ્રવાહી હીલિયમ સામાન્ય…

વધુ વાંચો >

અતિદાબખંડ

અતિદાબખંડ (hyperbaric chamber) : વધુ દબાણવાળો ઑક્સિજન આપવા માટેનો ખંડ. વાતાવરણ કરતાં વધુ દબાણે પ્રાણવાયુ આપવા માટે દર્દીનાં અંગો સમાય તેટલો નાનો કે સારવાર આપનારાઓ સહિત દર્દીને રાખી શકાય તેવડો વિશાળ ખંડ ભારતમાં થોડાંક કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. વિશાળ અતિદાબખંડમાં દર્દીને 100% પ્રાણવાયુ નાકનળી કે મહોરા (mask) વડે અપાય છે. તેથી…

વધુ વાંચો >

અતિધસારો

અતિધસારો (over-thrust) : 100 અથવા તેથી ઓછા નમનકોણની સ્તરભંગ-તલસપાટી(fault plane)વાળી, કેટલાક કિમી. સુધી ધસી ગયેલી, લાંબા અંતરના ખસેડ સહિતની, વ્યસ્ત સ્તરભંગવાળી ગેડરચના. આ રીતે જોતાં, ધસારો (thrust) એ ગેડીકરણમાં થયેલો વ્યસ્ત (reverse) પ્રકારનો સ્તરભંગ જ છે. ધસારા કે અતિધસારાને અતિગેડમાંથી (overfold), સમાંતર અક્ષનમન ગેડ(isoclinal fold)માંથી કે ક્ષિતિજસમાંતર અક્ષનમન (recumbent) ગેડમાંથી…

વધુ વાંચો >

અતિપ્રસંગ

અતિપ્રસંગ : સંસ્કૃત ન્યાયશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. ‘અતિપ્રસંગ’ એટલે અતિસંબંધ, અર્થાત્ કોઈ એક સિદ્ધ હકીકત સમજાવવા અપાયેલા અયોગ્ય ખુલાસા દ્વારા અણધારી રીતે થતો અન્ય સિદ્ધ હકીકતોનો નિષેધ. એને ‘અતિવ્યાપ્તિ’ પણ કહે છે. આ એક તર્કદોષ છે. કોઈ સિદ્ધ હકીકતને સમજાવવા માટે તર્કથી રજૂ કરાયેલો સિદ્ધાંત/પદાર્થ જ્યારે પેલી હકીકતની સમજૂતી આપવા સાથે…

વધુ વાંચો >

અતિપ્રાચીન ખડકપ્રદેશ

અતિપ્રાચીન ખડકપ્રદેશ (shield or craton) : પૃથ્વીના પોપડાનો એક અત્યંત મહત્ત્વનો રચનાત્મક એકમ. આ માટે ‘અવિચલિત ખડકપ્રદેશ’ શબ્દપ્રયોગ પણ થાય છે. ભૂસંનતિમય (geosynclinal) પટ્ટાના સીમાન્ત ભાગો પર રહેલા જટિલ ગેડરચનાવાળા પર્વતોની અપેક્ષાએ પૃથ્વીના પોપડાનો, ક્યાંક ક્યાંક પાતળા જળકૃત ખડકસ્તરો સહિત, મુખ્યત્વે અગ્નિકૃત અને/અથવા વિકૃત ખડકશ્રેણીઓથી બનેલો, એવા પ્રકારનો ખંડીય ભૂભાગ,…

વધુ વાંચો >

અતિવર્ણકતા

અતિવર્ણકતા (hyperpigmentation): ચામડીનો શ્યામ રંગ થવો તે. ચામડીમાં રહેલ લોહી, કેરોટીન (પીતવર્ણક) તથા મિલાનિન (કૃષ્ણવર્ણક) નામનાં રંગકરણો અથવા વર્ણકદ્રવ્યો(pigments)નું પ્રમાણ માણસની ચામડીનો રંગ નક્કી કરે છે. પીતવર્ણક ચામડીને પીળાશ, કૃષ્ણવર્ણક કાળાશ અને લોહીના રક્તકોષો ચામડીને લાલાશ આપે છે. કૃષ્ણવર્ણકનું પ્રમાણ વધતાં ચામડીની કાળાશ વધે છે. તેને અતિવર્ણકતા કહે છે. કૃષ્ણવર્ણકના…

વધુ વાંચો >

અતિવાહકતા

અતિવાહકતા (super-conductivity) : ચોક્કસ પરિસ્થિતિમાં વિદ્યુતવહન સામેનો અવરોધ (resistance) સંપૂર્ણપણે ગુમાવી દેવાનો પદાર્થનો ગુણધર્મ. વાહક ધાતુઓ અને મિશ્રધાતુઓમાં વિદ્યુતવહન સામે થતો અવરોધ તાપમાનના ઘટાડા સાથે ઘટે છે, તેમની વાહકતા વધે છે. નિરપેક્ષ (absolute) શૂન્ય(0 K)ની આસપાસ કેટલીક ધાતુઓનો વિદ્યુત અવરોધ લગભગ શૂન્ય બની જતાં તેઓ અતિવાહકતાનો ગુણ દર્શાવે છે. આવી ધાતુના…

વધુ વાંચો >

અતિવિષ

અતિવિષ : દ્વિદળી વર્ગના રૅનન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum heterophyllum Wall. [સં. अतिविष, शृंगी, હિં. अतीस, वछनाग; મ. અતિવિષ્; બં. આતઇચ; ગુ. અતિવિષ (વખમો)] છે. તેના સહસભ્યોમાં મોરવેલ, કાળીજીરી, મમીરા વગેરે છે. મુખ્યત્વે છોડવાઓ, ક્વચિત જ ક્ષુપસ્વરૂપે. ઉપપર્ણરહિત એકાંતરિત પર્ણો. દ્વિલિંગી, પુષ્પવૃન્ત (peduncle) ઉપર બે ઊભી હારમાં…

વધુ વાંચો >

અતિવૃદ્ધિ

અતિવૃદ્ધિ (hypertrophy) : કોષ કે અવયવના કદમાં થતો વધારો. સામાન્ય સંજોગોમાં કે રોગને કારણે કાર્યમાંગ વધે ત્યારે કોષના કદમાં થતા વધારાને અતિવૃદ્ધિ કહે છે. કોષની સંખ્યા વધતી નથી, પણ તેના ઘટકોની સંખ્યા અને પ્રમાણ વધે છે. આથી અવયવનું કદ પણ વધે છે. સગર્ભાવસ્થામાં ગર્ભાશય અતિવૃદ્ધિ પામે છે. બાળકને ધવરાવતી માતાનું…

વધુ વાંચો >

અતિવોલ્ટતા

અતિવોલ્ટતા (over-voltage) : દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન વીજધ્રુવના અવલોકિત મૂલ્ય અને તે જ સંજોગોમાં વીજપ્રવાહની ગેરહાજરીમાં વીજધ્રુવના વિભવના ઉષ્માગતિજ (પ્રતિવર્તી) મૂલ્ય વચ્ચેનો તફાવત. તેને અતિવિભવ (overpotential) પણ કહે છે. તેનો એકમ વોલ્ટ છે. દ્રાવણમાંથી હાઇડ્રોજન અને ઑક્સિજન ઉત્પન્ન કરતું વિઘટન વોલ્ટેજ(decomposition potential) કૅથોડ (ઋણધ્રુવ) અને ઍનોડ(ધન ધ્રુવ)ના ગુણધર્મ ઉપર આધાર રાખે…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >