ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અંતરીક્ષ મથક

અંતરીક્ષ મથક (space station) : પૃથ્વીથી લગભગ 300-400 કિમી.ની ઊંચાઈ પર કક્ષામાં ફરતી વૈજ્ઞાનિક પ્રયોગશાળા, જેમાં ત્રણથી ચાર માનવીઓ લાંબા સમય સુધી રહીને જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકે છે. અમેરિકાનાં ‘સ્કાયલૅબ’ (1973) અને ‘સ્પેસ-શટલ’ (1981થી ચાલુ) તથા રશિયાનાં ‘સોયુઝ’ (1967-1971), સેલ્યુટ’ (1971-1986) (1982માં પ્રક્ષેપિત થયેલું છેલ્લું ‘સેલ્યુટ7’ 1986 પછી…

વધુ વાંચો >

અંતરીક્ષમાં લશ્કરી કામગીરી

અંતરીક્ષમાં લશ્કરી કામગીરી : તા. 12 એપ્રિલ, 1961ના દિવસે સોવિયેત રશિયન સંઘના કઝાખસ્તાન રાજ્યમાંથી યુરી ગૅગારિન ‘વસ્ટોક’ નામના રૉકેટ વડે અવકાશમાં ચઢીને પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં ગયો અને પૃથ્વીની એક પ્રદક્ષિણા કરીને હેમખેમ પાછો આવ્યો ત્યારે અવકાશના લશ્કરીકરણનો આરંભ થઈ ગયો એમ કહી શકાય. તે પહેલાં બંને પ્રતિસ્પર્ધી મહાસત્તાઓ અમેરિકા અને…

વધુ વાંચો >

અંતરીક્ષમાં વસાહત

અંતરીક્ષમાં વસાહત : અંતરીક્ષમાં માનવ-વસાહત ઊભી કરવા અંગેની યોજના અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીના વિજ્ઞાની જિરાર્ડ ઓ’નીલે સૌપ્રથમ રજૂ કરી હતી. આ યોજનાનો મૂળભૂત વિચાર એ હતો કે પૃથ્વીની સીમિત નૈસર્ગિક સંપત્તિ પર મહદ્અંશે આધાર રાખ્યા સિવાય અંતરીક્ષમાં નિરંતર મળતી સૌર ઊર્જા અને ચંદ્રની ધરતીમાંથી મળતાં દ્રવ્યોનો ઉપયોગ કરીને જ એક સ્વાવલંબી…

વધુ વાંચો >

અંતરીક્ષમાં સૌર ઊર્જા મથકો

અંતરીક્ષમાં સૌર ઊર્જા મથકો : દુનિયાની વધતી જતી વસ્તી અને ઝડપી ઉદ્યોગીકરણને પહોંચી વળવા કોલસો, કુદરતી તેલ અને ગૅસ જેવાં ખનિજ-બળતણનો જથ્થો મર્યાદિત હોવાથી ભવિષ્ય માટે અનેક પ્રકારના ઊર્જાસ્રોત ઉપલબ્ધ થાય તે માટે સૂર્યશક્તિનો વ્યાવહારિક ઉપયોગ કરવા અંગે ઘણા દેશોમાં સંશોધન થઈ રહ્યું છે અને તેને અંગે કેટલાંક સાધનો પણ…

વધુ વાંચો >

અંતરીક્ષયાન અને અન્વેષી યાન

અંતરીક્ષયાન અને અન્વેષી યાન : જુઓ, અંતરીક્ષ અન્વેષણો.

વધુ વાંચો >

અંતરીક્ષયાન પ્રમોચન-મથકો

અંતરીક્ષયાન પ્રમોચન–મથકો : કોઈ પણ અંતરીક્ષયાનના પ્રમોચન દરમિયાન પ્રમોચનવાહન અથવા રૉકેટના જુદા જુદા તબક્કા તથા અન્ય ભાગ છૂટીને ભૂમિ પર પડતા હોય છે. આનાથી જાન-માલને નુકસાન ન થાય એ હેતુને ધ્યાનમાં રાખીને પ્રમોચન-મથકો હમેશાં વસ્તીવિહીન ઉજ્જડ પ્રદેશો અથવા વિશાળ સમુદ્રના કિનારાના ભૂમિ-પ્રદેશોમાં સ્થાપવામાં આવતાં હોય છે. આ ઉપરાંત, બીજો અગત્યનો…

વધુ વાંચો >

અંતરીક્ષયાન પ્રમોચન-વાહન, સંવર્ધિત

અંતરીક્ષયાન પ્રમોચન–વાહન, સંવર્ધિત (Augmented Satellite Launch Vehicle–ASLV) : 150 કિગ્રા. વજનના ઉપગ્રહને પૃથ્વીની નજીક 400 કિમી.ની ઊંચાઈએ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે ભારતનું આ પ્રમોચન-વાહન તૈયાર કરવામાં આવ્યું છે. મૂળભૂત રીતે જોઈએ તો આ વાહન SLV-3 (જુઓ આકૃતિ) પ્રમોચન-વાહનનું સંવર્ધિતરૂપ જ છે. SLV-3ના પહેલા તબક્કાના રૉકેટની બંને બાજુ પર એક…

વધુ વાંચો >

અંતરીક્ષયાન પ્રમોચન-વાહનો

અંતરીક્ષયાન પ્રમોચન–વાહનો : જુઓ, અંતરીક્ષ અન્વેષણો.

વધુ વાંચો >

અંતરીક્ષયાન સેવાઓ

અંતરીક્ષયાન સેવાઓ : અંતરીક્ષમાં ઘૂમતા કૃત્રિમ ઉપગ્રહો દ્વારા માનવજાત માટે વિવિધ સેવાઓ મળી શકે છે. આમાં મુખ્યત્વે નીચેના ઉપયોગો અર્થેના ઉપગ્રહોનો સમાવેશ થાય છે, (1) સંદેશાવ્યવહાર. (2) હવામાન અંગેની માહિતી, (3) ભૂ-સંપત્તિ સર્વેક્ષણ, (4) ભૂ-માપન નૌનયન, (5) લશ્કરી માહિતી. (1) સંદેશાવ્યવહાર ઉપગ્રહ : જેવી રીતે માઇક્રોવેવ ટાવર દ્વારા દૂર દૂરના…

વધુ વાંચો >

અંતરીક્ષવિજ્ઞાન

અંતરીક્ષવિજ્ઞાન : ખગોળવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન વગેરે મૂળભૂત શાસ્ત્રોનો અંતરીક્ષની વિશિષ્ટ ભૌતિક પરિસ્થિતિમાં અભ્યાસ. તેને માટે રૉકેટ, કૃત્રિમ ઉપગ્રહ અને અંતરીક્ષયાન જેવાં આધુનિક સાધનોનો ઉપયોગ જરૂરી છે. આથી અંતરીક્ષવિજ્ઞાનની એક વ્યાખ્યા એમ પણ આપી શકાય કે આ જાતનાં સાધનો વડે વિવિધ વિજ્ઞાનોનો અભ્યાસ એટલે અંતરીક્ષવિજ્ઞાન. અંતરીક્ષની કેટલીક ભૌતિક પરિસ્થિતિનું પૃથ્વી…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >