ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અંકુશનિયમન
અંકુશનિયમન : અંકુશ પરનું નિયંત્રણ. ઇચ્છિત હેતુઓ સિદ્ધ કરવા માટે દાખલ કરવામાં આવેલા વિવિધ અંકુશો વાજબી ઠરે ને અસરકારક નીવડે તે માટે લેવાતાં પૂરક પગલાંને અંકુશનિયમન કહેવામાં આવે છે. દરેક પ્રકારના ઉત્પાદન-એકમમાં પેઢી, ઉદ્યોગ કે વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં અંકુશો તથા અંકુશ પરનાં નિયમન દાખલ કરવાં પડે છે. અંકુશો ધ્યેયસિદ્ધિમાં મદદ…
વધુ વાંચો >અંકુશો, આર્થિક
અંકુશો, આર્થિક : આર્થિક નિર્ણયો મુક્ત રીતે લેવાની તથા (તે ધોરણે પોતાની) આર્થિક પ્રવૃત્તિઓનું સંયોજન કરવાની વ્યક્તિની તથા અન્ય આર્થિક ઘટકોની સત્તા પર કાપ મૂકી તે દ્વારા પસંદગી કરવાની સ્વતંત્રતા પર મુકાતું નિયંત્રણ. આર્થિક અંકુશો એ નિર્ણયો લેવાની તથા તે નિર્ણયો અમલમાં મૂકવાની આર્થિક ઘટકોની સ્વરૂપગત સાર્વભૌમતાનું ઓછાવત્તા પ્રમાણમાં હનન…
વધુ વાંચો >અંકોલ
અંકોલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍલેન્જિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alangium Salviflolium (Linn F. Wang. syn. A. lamarckii Thw. (સં. अंकोल, अंकोल्लक, अंकोट; હિં. अंकोला. મ. અંકોલ; બં. આંકડ, આંકોર, આંકોડ; ગુ. અંકોલ.) છે ભારતમાં તેની બે જાતિઓ (species) થાય છે. સદાહરિત નાનાં ૩-0 મી. ઊંચાં, મોટાં,…
વધુ વાંચો >અંગકોર
અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…
વધુ વાંચો >અંગત
અંગત (પ્ર. આ. 1971; દ્વિ. આ. 1982 સંવર્ધિત) : ગુજરાતી કવિ રાવજી પટેલનો કાવ્યસંચય. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં જે કેટલાક અવાજો સવિશેષ પ્રભાવક થયા તેમાંનો એક રાવજી પટેલ(1939-1968)નો. ‘અંગત’ તેમનાં ઉપલબ્ધ સર્વ કાવ્યોનો એકમાત્ર સંચય છે, જેનું પ્રકાશન તેમના અવસાન બાદ થયેલું. ‘અંગત’ ઊર્મિકવિતાનો સંચય છે. તેમાં કુલ 124 રચનાઓ છે,…
વધુ વાંચો >અંગદ ગુરુ
અંગદ ગુરુ (જ. 31 માર્ચ 1504, શ્રીમુક્તસર સાહિબ, પંજાબ; અ. 29 માર્ચ 1552, અમૃતસર, પંજાબ) : ગુરુ નાનકના શિષ્ય. મૂળ નામ લહણા. શીખ ધર્મના બીજા ગુરુ. ખડૂર ગામ વતન. એમણે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી; ગુરુ નાનકનું ચરિત્ર લખાવ્યું; ‘ગુરુ કા લંગર’ની (વિના મૂલ્યે જમાડવાની) પ્રથા વ્યવસ્થિત કરી. શિષ્યોમાં મરદાની રમતોનો…
વધુ વાંચો >અંગદેશ
અંગદેશ : સોળ મહાજનપદોમાંનું એક. એ બિહારના ઈશાન ભાગમાં આજના ભાગલપુર અને મોંઘીર જિલ્લાને આવરતો વિસ્તાર ધરાવતું હતું. તેની રાજધાની ચંપાનગરી હતી. એ સ્થાન પર આજે ભાગલપુર વસેલું છે. મહાભારત અનુસાર અંગ-વૈરોચની રાજાના નામ પરથી તે દેશનું નામ અંગદેશ પડ્યું, દુર્યોધને કર્ણને આ દેશનો અધિપતિ બનાવ્યો હતો. રામાયણ પ્રમાણે કામદેવનું…
વધુ વાંચો >અંગલક્ષણવિદ્યા
અંગલક્ષણવિદ્યા : માનવીની આકૃતિ અને તેનાં વિવિધ અંગો તથા તેના પરનાં ચિહનો પરથી તેના સ્વભાવની લાક્ષણિકતાઓ સૂચવતી વિદ્યા. જ્યોતિષશાસ્ત્રના એક અંગ તરીકે આની રચના થયેલી છે. જન્મસમય કે જન્મતારીખની ખબર ન હોય તે સંજોગોમાં ચહેરો, કપાળની રેખાઓ, હાથની રેખાઓ, હાસ્ય, તલ વગેરે ઉપરથી જ્યોતિષીઓ ભવિષ્યકથન કરતા હોય છે. તેને લગતા…
વધુ વાંચો >અંગવિન્યાસ અને હલનચલન
અંગવિન્યાસ અને હલનચલન (posture and locomotion) : શરીરની સ્થિર સ્થિતિ તે અંગવિન્યાસ અને ક્રિયા કરવાની સ્થિતિ તે નાનું મગજ અથવા હલનચલન. શરીર સ્થિર હોય ત્યારે માથું, ગળું, ધડ અને હાથપગ જે રીતે ગોઠવાયેલાં રહે તેને અંગવિન્યાસ (posture), દેહસ્થિતિ અથવા મુદ્રા કે છટા (stance) કહે છે. હલનચલન કરતી વખતે ચાલવાની ઢબ(style)ને…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >