૧.૨૦

અર્ધચંદ્રાકાર ઢૂવાથી અલંકાર સંપ્રદાય

અલંકારરત્નાકર

અલંકારરત્નાકર (બારમી શતાબ્દીની આસપાસ) : ત્રયીશ્વર મિત્રના પુત્ર શોભાકર મિત્રરચિત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. તેમાં 107સૂત્રો છે. કાશ્મીરી કવિ યશસ્કરે પોતે લખેલ દેવીસ્તોત્રમાં આ સૂત્રો તથા તેનાં ઉદાહરણ આપ્યાં છે. આના ઉપર ‘રત્નોદાહરણ’ નામની સ્વોપજ્ઞ ટીકા પણ લખાઈ છે. ભગવતીપ્રસાદ પંડ્યા

વધુ વાંચો >

અલંકારવિમર્શિની

અલંકારવિમર્શિની (તેરમી સદી) : રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે રચેલી ટીકા. તેને ટીકા કરતાં ભાષ્ય કહેવું વધારે યોગ્ય છે. અત્યંત ગંભીર શૈલીમાં રચાયેલી આ ટીકા પંડિતરાજના ‘રસગંગાધર’ની જેમ અનેક સંદર્ભોથી યુક્ત છે. ‘વિમર્શિની’નું સ્થાન અભિનવગુપ્તના ‘લોચન’ની સમકક્ષ ગણાય છે. અલંકારોના ખંડનમંડનમાંની પ્રૌઢિ, ચિંતનનું ગાંભીર્ય, વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ તથા મૌલિક વિચારોનું નિરૂપણ વગેરેનું…

વધુ વાંચો >

અલંકારશાસ્ત્ર

અલંકારશાસ્ત્ર : સંસ્કૃત સાહિત્યમાં કાવ્યગત સૌન્દર્યનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર. ‘પ્રતાપરુદ્રીય’ની ટીકામાં ‘અલંકારશાસ્ત્ર’ શબ્દનો પ્રયોગ આ માટેનું સમર્થક પ્રમાણ છે. અલંકાર સિવાય કાવ્યના આત્મસ્થાનીય રસ કે ધ્વનિ, કાવ્યના ઉત્કર્ષક ધર્મો જેવા કે ગુણ, રીતિ, ઔચિત્ય વગેરે તત્વોનું નિરૂપણ કરતા આ શાસ્ત્રને ‘અલંકારશાસ્ત્ર’ જ નામ આપવામાં ઔચિત્ય મનાયું છે. આ શાસ્ત્ર માટે…

વધુ વાંચો >

અલંકારસર્વસ્વ

અલંકારસર્વસ્વ (બારમી શતાબ્દીનો મધ્યભાગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પ્રૌઢ ગ્રંથ. કર્તા રાજાનક ઉપનામધારી કાશ્મીરી પંડિત રુય્યક (રુચક). ગ્રંથ સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણ – એ પદ્ધતિમાં લખાયો છે. એમાં સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યક છે, જ્યારે ઉદાહરણો વિભિન્ન ગ્રંથોમાંથી લેવામાં આવ્યાં છે. ‘અલંકારસર્વસ્વ’ના ટીકાકાર જયરથ સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યકને જ માને…

વધુ વાંચો >

અલંકાર સંપ્રદાય

અલંકાર સંપ્રદાય : કાવ્યનું સર્વસ્વ અલંકાર છે એવું મંતવ્ય ધરાવનાર એક વિશિષ્ટ વર્ગ. આ સંપ્રદાયમાં રસ, ધ્વનિ જેવાં બધાં તત્વો અલંકારમાં જ સમાવિષ્ટ થાય છે એમ સિદ્ધ થયું છે. આ સંપ્રદાયના પ્રવર્તક ભામહ (સપ્તમ શતક), પોષક દંડી (સપ્તમ શ.), ઉદભટ (અષ્ટમ શ.), રુદ્રટ (નવમ શ.) તથા પ્રતિહારેન્દુરાજ (દશમ શતક) અને…

વધુ વાંચો >

અર્ધચંદ્રાકાર ઢૂવા

Jan 20, 1989

અર્ધચંદ્રાકાર ઢૂવા (barchans) (રેતીના) : તુર્કસ્તાનમાં ‘બાર્કાન્સ’ તરીકે ઓળખાતા રેતીના અર્ધચંદ્રાકાર ઢૂવા. દુનિયામાં જ્યાં જ્યાં રણપ્રદેશો આવેલા છે ત્યાં ક્યારેક એકાકી, છૂટાછવાયા જોવા મળતા એકમો તરીકે અથવા લાંબી હારમાળામાં ગોઠવાયેલા જૂથ સ્વરૂપે અથવા આજુબાજુએ એકમેકથી સંકળાયેલી શ્રેણી સ્વરૂપે રેતીના ઢૂવા મળી આવે છે. દૂરથી નિહાળતાં ઢૂવાનું સ્થળદૃશ્ય અસમાન રચનાવાળું અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

અર્ધનારીશ્વર

Jan 20, 1989

અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને…

વધુ વાંચો >

અર્ધનેમિનાથ પુરાણ

Jan 20, 1989

અર્ધનેમિનાથ પુરાણ (બારમી સદી) : નેમિચંદ્રરચિત પ્રાચીન કન્નડ કાવ્ય. બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના જીવન પર રચાયેલું આ ચમ્પૂશૈલીનું કાવ્ય છે. મૂળ કથામાં કવિએ વસુદેવાચ્યુત તથા કંદર્પની કથા પણ જોડી દીધી છે. આ કાવ્ય અધૂરું જ મળે છે. કંસવધ સુધીની કથા મળે છે. તે પછીનો ભાગ મળતો નથી. એમ મનાય છે,…

વધુ વાંચો >

અર્ધપ્રતિજન

Jan 20, 1989

અર્ધપ્રતિજન (hapten) : પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને પ્રતિજન–પ્રતિદ્રવ્ય પ્રક્રિયા દર્શાવતા પરંતુ પ્રાણી-શરીરમાં દાખલ કર્યા બાદ પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરવાને અસમર્થ હોય તેવા પદાર્થો. 1921માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વિજ્ઞાનીએ અર્ધપ્રતિજન શબ્દની રજૂઆત કરી. અર્ધપ્રોટીન, વિવિધ પ્રોટીન રૂપાંતરણો, કાર્બોહાઇડ્રેટ ચરબી. સૌંદર્યપ્રસાધનો તથા વિવિધ ઔષધો અર્ધપ્રતિજન તરીકે કાર્ય કરે છે. અર્ધપ્રતિજનને વાહક અણુ (carrier molecule)…

વધુ વાંચો >

અર્ધમાગધી કોશ

Jan 20, 1989

અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે. પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો,…

વધુ વાંચો >

અર્ધરૂપતા

Jan 20, 1989

અર્ધરૂપતા (hemihedrism or hemimorphism) : પૂર્ણરૂપતાવાળા સ્ફટિકોમાં હોઈ શકે તેનાથી ફલકોની અડધી સંખ્યા ધરાવતા સ્ફટિકોની વિશિષ્ટતા. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિકસ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક-સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમતા-અક્ષને બંને છેડે એકસરખાં પૂર્ણ સ્વરૂપો…

વધુ વાંચો >

અર્ધલશ્કરી દળો

Jan 20, 1989

અર્ધલશ્કરી દળો : દેશની આંતરિક શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતાં સશસ્ત્ર દળો. દેશના સંરક્ષણની જવાબદારી ઉઠાવતા લશ્કર (જેમાં પાયદળ, હવાઈ દળ તથા નૌકાદળનો સમાવેશ થાય છે) ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારની ફરજો અદા કરે છે. સરકારને તેની જરૂરિયાત જણાતાં ભારતમાં આવાં દળોની…

વધુ વાંચો >

અર્ધવાહક પ્રયુક્તિઓ

Jan 20, 1989

અર્ધવાહક પ્રયુક્તિઓ (Semiconductor devices) અર્ધવાહક દ્રવ્યોમાંથી બનાવેલ ઇલેક્ટ્રૉનિક પરિપથ(circuit)ના ઘટકો. વિવિધ પ્રકારનાં અર્ધવાહક દ્રવ્યો તથા વિવિધ પ્રક્રિયાઓ (processes) દ્વારા અનેક પ્રકારની અર્ધવાહક પ્રયુક્તિઓ શક્ય છે. સામાન્ય વપરાશમાં પ્રચલિત પ્રયુક્તિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : ડાયોડ, 2. ટ્રાન્ઝિસ્ટર, 3. થાઇરિસ્ટર, 4. પ્રકાશવિદ્યુત (photoelectric) અથવા ઑપ્ટોઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓ. ડાયોડ : અર્ધવાહક ડાયોડ બનાવવામાં…

વધુ વાંચો >

અર્ધવાહકો

Jan 20, 1989

અર્ધવાહકો (Semi-conductors) સુવાહકો (good conductors) અને અવાહકો (bad conductors or insulators) વચ્ચેની વાહકતા ધરાવનાર પદાર્થો. વૈદ્યુત (electrical) ગુણધર્મોમાં વિદ્યુત-વાહકતા ઘણી અગત્યની છે. મોટાભાગની ધાતુઓ સુવાહક હોય છે. તેમની વીજ-પ્રતિરોધકતા (resistivity) 10-6 ઓહ્મ-સેમી.થી ઓછી હોય છે. વિદ્યુત-ઉપકરણો(appliances)માં વપરાતા તાંબાની પ્રતિરોધકતા 1.7 × 10-6 ઓહ્મ-સેમી. છે. આથી વિરુદ્ધ જે પદાર્થોની પ્રતિરોધકતા 105…

વધુ વાંચો >

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન

Jan 20, 1989

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન (1958) : પ્રસિદ્ધ ઊડિયા લેખક ગોદાવરીશ મિશ્રની આત્મકથા. તેમાં એમણે ઓરિસાના રાજકીય અને સામાજિક, સાંસ્કૃતિક પરિવેશને મધ્યમાં રાખીને પોતાના જીવનઘડતરનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘‘શું લખું ? મારા જીવનમાં રોમાંચકારી ઘટનાઓ જ નથી. મારું લખાણ વિશાળ પ્રમાણમાં ન હોવા છતાં, એ અતિઅલ્પ પણ…

વધુ વાંચો >