ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >વરરુચિ
વરરુચિ : આયુર્વેદ વિદ્યાના ટીકાકાર. ભારતમાં 13માથી 18મા શતક દરમિયાન આયુર્વેદ કે વૈદક વિદ્યાના અનેક સંગ્રહ-ગ્રંથો રચાયા હતા. તેમાં શ્રીકંઠદાસ નામના આયુર્વેદાચાર્યે ‘યોગશતક’ નામનો ઔષધિસંગ્રહ ગ્રંથ લખેલો છે. વરરુચિ નામના ટીકાકારે આ ‘યોગશતક’ ગ્રંથ ઉપર ‘અભિધાનચિંતામણિ’ નામની ટીકા લખેલ છે. શ્રી વરરુચિનો ચોક્કસ સમય-કાળ આયુર્વેદના ઇતિહાસ-ગ્રંથોમાં પણ ઉપલબ્ધ નથી. વળી…
વધુ વાંચો >વરલક્ષમ્મા, કનુપાર્તી
વરલક્ષમ્મા, કનુપાર્તી (જ. 1896, બપત્લા, જિ. ગંટુર, આંધ્રપ્રદેશ; અ. 1978) : લેખનકાર્યની જૂની અને નવી પદ્ધતિના સેતુ સમાન એક અગ્રેસર તેલુગુ લેખિકા. સ્ત્રીઓ માટેના માસિક ‘ગૃહલક્ષ્મી’માં પ્રસિદ્ધ થયેલ તેમની કૃતિ ‘શરદ લેખલુ’(‘લેટર્સ ઑવ્ શરદ’)થી તેઓ આંધ્રની મહિલાઓમાં જાગૃતિ લાવ્યાં. તે પત્રો દ્વારા તેમણે શારદા બિલ, છૂટાછેડા અધિનિયમ, બહુપતિત્વ કે બહુપત્નીત્વ,…
વધુ વાંચો >વરવુર્ડ, હેન્ડ્રિક ફ્રેન્શ
વરવુર્ડ, હેન્ડ્રિક ફ્રેન્શ (જ. 8 સપ્ટેમ્બર 1901, ઍમસ્ટરડેમ, નેધરલૅન્ડ; અ. 6 સપ્ટેમ્બર 1966, કેપટાઉન, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન અને રાજનીતિજ્ઞ. તેઓ ડચ મિશનરીના પુત્ર હતા. જન્મ બાદ તેમનાં માતાપિતા દક્ષિણ આફ્રિકા આવી સ્થિર થયાં હતાં. અભ્યાસની કારકિર્દી પૂરી કર્યા બાદ પ્રારંભે તેમણે શિક્ષણક્ષેત્રની કામગીરી પસંદ કરી અને સ્ટેલેનબૉશ…
વધુ વાંચો >વરસાદ (વૃષ્ટિ)
વરસાદ (વૃષ્ટિ) વાતાવરણની અમુક ઊંચાઈએ ભેગાં થતાં વાદળોમાંથી પાણીનાં ટીપાં કે ધાર પડવાની ઘટના. જળબાષ્પ જ્યારે પાણીનાં ટીપાં સ્વરૂપે ભેગી થાય અથવા હિમકણો સ્વરૂપે સંચિત થાય અને પીગળે ત્યારે વર્ષણ(precipitation)નું સ્વરૂપ ધારણ કરે છે. પાણીની ધાર સ્વરૂપે થતા વર્ષણને જળવર્ષા અને હિમકણો (snow), કરા (hail) કે હિમયુક્ત કરા (sleet) સ્વરૂપે…
વધુ વાંચો >વરસોડા
વરસોડા : ઉત્તર ગુજરાતમાં આવેલ વનરાજ ચાવડાના વંશજની નાની રિયાસત. ત્યાંના ઠાકોર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પોતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવતા. અહિપતે કચ્છના મોરગઢમાં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ અગાઉ ધારપુરમાં (પાલણપુર તાબે) અને ત્યારબાદ અંબાસણમાં રાજ્ય સ્થાપ્યું. તેમના પુત્ર મહેસાજીએ મહેસાણા વસાવ્યું.…
વધુ વાંચો >વરાહ (અવતાર)
વરાહ (અવતાર) : હિંદુ પુરાણોમાં માનવામાં આવેલો ભગવાન વિષ્ણુનો મુખ્ય અવતાર. કુલ દસ અવતારોમાં વિષ્ણુનો આ ત્રીજો અવતાર છે. હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો. આ યજ્ઞ વરાહ તરીકે જાણીતો અવતાર છે. છેક ઋગ્વેદમાં ઇંદ્ર દ્વારા વરાહના વધની કથા આવે છે. (ઋ.વે. 10/99/6) તૈત્તિરીય સંહિતામાં પ્રજાપતિએ વરાહ…
વધુ વાંચો >વરાહપુરાણ
વરાહપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો ગ્રંથ. વરાહપુરાણ એક સાત્ત્વિક અને વૈષ્ણવ પુરાણ છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં છુપાવેલી તેનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વીએ વરાહને પૂછેલા પ્રશ્ર્નોના ઉત્તર રૂપે આ પુરાણ કહેવાયું છે. આ ઉપલબ્ધ પુરાણના 12,000 શ્ર્લોકો અને 218 અધ્યાયો છે. ધાર્મિક પૂજન-અર્ચન, વ્રત-ઉપવાસ, તીર્થો, યાત્રાનાં સ્થાનો,…
વધુ વાંચો >વરાહમિહિર
વરાહમિહિર (જ. ઈ.સ. 505; અ. 587) : પ્રાચીન ભારતના નામાંકિત ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને ફલજ્યોતિષી. તેમણે ‘બૃહત્સંહિતા’, ‘પંચસિદ્ધાંતિકા’, ‘બૃહત્જાતક’, ‘યોગયાત્રા’ વગેરે ગ્રંથોની રચના કરી હતી. પોતાના ક્ષેત્રમાં તેમનું ઘણું પ્રતિષ્ઠિત સ્થાન છે. તેમના પિતાનું નામ આદિત્યદાસ હતું. વરાહમિહિર ઉજ્જૈનના નિવાસી હતા. તેમણે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિન તથા લાટાચાર્યને…
વધુ વાંચો >વરાળ (steam)
વરાળ (steam) : પાણીનું વાયુસ્વરૂપ. આ વરાળ, અન્ય વાયુની સરખામણીએ ભેજયુક્ત હોય છે. આ કારણથી તેનો દેખાવ સફેદ લાગે છે. પાણીને ગરમ કરી વરાળ ઉત્પન્ન કરાય છે. બૉઇલરની અંદર, ઈંધણની મદદથી પાણીને તેના ઉત્કલનબિંદુ સુધી ગરમ કરી વરાળ બનાવાય છે. આ માટે બૉઇલરમાં જુદા જુદા પ્રકારનાં ઈંધણો વપરાય છે. આધુનિક…
વધુ વાંચો >વરાળ-નિસ્યંદન
વરાળ-નિસ્યંદન : પાણીમાં અમિશ્ર્ય (immiscible) હોય તેવા પ્રવાહીઓમાં પાણીની વરાળ પરપોટા રૂપે પસાર કરી પ્રવાહીઓનું નિસ્યંદન કરવાની રીત. પાણીની વરાળને બદલે અન્ય વાયુઓ કે બાષ્પનો ઉપયોગ થઈ શકે, પરંતુ કિંમતની દૃષ્ટિએ તેમજ બાષ્પશીલ દ્રવ્યને મેળવવામાં રહેલી સરળતાને લીધે મહદ્ અંશે પાણીની વરાળનો ઉપયોગ થાય છે. જે કાર્બનિક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય…
વધુ વાંચો >