ખંડ ૧૯

લેઇસ વિંગ બગથી વાંસદા

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેઉઆ, રાઘવજી થોભણભાઈ

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…

વધુ વાંચો >

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેઓપાર્દી, જાકોમો

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટિક ઍસિડ

લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

લોકશૈલીનાં માટીનાં ઘરો

Jan 7, 2005

લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર. નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા…

વધુ વાંચો >

લોકસત્તા-જનસત્તા

Jan 7, 2005

લોકસત્તા-જનસત્તા : વડોદરાનું એક જમાનાનું પ્રભાવશાળી અખબાર, જે આજેય ચાલુ છે. તેનો પ્રારંભ બીજી ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સ્થાપક બાહોશ પત્રકાર-તંત્રી રમણલાલ શેઠ. હાલ (2004) આ અખબાર વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટ એમ ત્રણ શહેરોમાંથી પ્રગટ થાય છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ના નામે ઓળખાય છે.…

વધુ વાંચો >

લોકસભા

Jan 7, 2005

લોકસભા પુખ્તવય મતાધિકારના આધારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓથી રચાયેલું, કાયદાઓ ઘડતું ભારતની સંસદીય લોકશાહીનું નીચલું ગૃહ અને સૌથી મહત્વનું અંગ. સંસદ ભારત સરકારની કેન્દ્રીય ધારાસભા છે. તે દ્વિગૃહી છે અને તેમાં રાષ્ટ્રપ્રમુખ તથા ધારાસભાનાં બંને ગૃહોનો સમાવેશ થાય છે. ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. કાયદા ઘડવાની સત્તા…

વધુ વાંચો >

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની

Jan 7, 2005

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની : રાજકીય વ્યવસ્થામાં રહેલા ઔચિત્યનો સ્વીકાર. જે રાજ્યપ્રથાને લોકો યોગ્ય, સાચી અથવા ઉચિત ગણતા હોય અને તેથી તેનો સ્વીકાર કરતા હોય તે રાજ્યપ્રથા લોકસ્વીકૃતિ (લેજિટિમસી) ધરાવે છે એમ સામાન્ય રીતે કહી શકાય. જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદાં જુદાં ક્ષેત્રોમાં, જુદી જુદી રીતે અને વિવિધ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ…

વધુ વાંચો >

લોકાનંદનાટક

Jan 7, 2005

લોકાનંદનાટક (ઈ. સ. 600ની આસપાસ) : સંસ્કૃત નાટક. અદ્યાપિ સચવાઈ રહેલું આ નાટક ચંદ્રગોમિન્ નામના નાટ્યકારે રચ્યું છે. ચંદ્રગોમિન્ ‘ચાંદ્ર વ્યાકરણ’ના રચયિતા તરીકે જાણીતા છે. તેમણે બીજાં કાવ્યો પણ રચ્યાં છે. તેઓ ઈ. સ. 600ની આસપાસ થઈ ગયા. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, તેથી ઇન્દ્ર અને તેમના ગુરુ બૃહસ્પતિની હિંદુ…

વધુ વાંચો >

લોકાયત દર્શન

Jan 7, 2005

લોકાયત દર્શન : પ્રાચીન ભારતમાં પ્રચલિત નાસ્તિક અર્થાત્ વેદને પ્રમાણ ન માનનારું દર્શન. વેદ ઉપરાંત પરમેશ્વર, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેને પણ લોકાયત દર્શન સ્વીકારતું નથી. લોકાયત દર્શનના સ્થાપક ઋષિ બૃહસ્પતિ છે, પરંતુ તેમના શિષ્ય રાક્ષસ એવા ચાર્વાકને આ દર્શનના પ્રણેતા તરીકે વધુ પ્રસિદ્ધિ મળી છે. પ્રસ્તુત દર્શન વેદકાળથી ઉદભવેલું…

વધુ વાંચો >

લોકાયુક્ત

Jan 7, 2005

લોકાયુક્ત : રાજ્યકક્ષાએ સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિરાકરણ માટેની લોકપાલ જેવી સંસ્થા. ભારતમાં રાજ્યસ્તરે લાંચરુશવત, લાગવગ અને બેદરકારી સામે લોકોની ફરિયાદ સાંભળી તેનો નિકાલ લાવવા લોકાયુક્તની નિમણૂક થાય છે. 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતા નીચે વહીવટી સુધારણા પંચે લોકાયુક્તની નિમણૂક માટે ભલામણ કરેલી. આ ભલામણોનો અમલ કરી લોકાયુક્તની નિમણૂક…

વધુ વાંચો >

લોકાર્નો કરાર

Jan 7, 2005

લોકાર્નો કરાર : સ્વિટ્ઝર્લૅન્ડના લોકાર્નો નગરમાં યુરોપીય સત્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પરસ્પર બાંયધરીની અને લવાદ-પ્રથાના સ્વીકાર માટેની ઈ. સ. 1925માં થયેલી સંધિઓ. 1925ના ઑક્ટોબરની 16મીએ શરૂ થયેલી પરિષદને અંતે 1 ડિસેમ્બર 1925ના રોજ એેના પર લંડનમાં વિદેશ વિભાગના કાર્યાલયમાં સહીઓ કરવામાં આવી હતી. પરિષદમાં જર્મની, ફ્રાન્સ, ગ્રેટ…

વધુ વાંચો >

લોખંડ

Jan 7, 2005

લોખંડ : જુઓ આયર્ન અને પોલાદ.

વધુ વાંચો >

લોખંડે, એન. એમ.

Jan 7, 2005

લોખંડે, એન. એમ. (જ. ?; અ. ?): ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના શ્રમિકોને સંગઠિત કરી દેશમાં મજૂર મંડળોનો પાયો નાંખનાર શ્રમજીવી કાર્યકર. આખું નામ નારાયણ મેઘજી લોખંડે. તે પોતે મુંબઈના એક કારખાનામાં કામ કરતા હતા. 1875ના અરસામાં તત્કાલીન મુંબઈ ઇલાકાનાં કારખાનાંઓમાં કામ કરતા શ્રમિકોને કામના સ્થળે જે ભયજનક અને અમાનવીય ગણાય તેવા…

વધુ વાંચો >