ખંડ ૧૭

યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ

યકૃત (liver)

યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…

વધુ વાંચો >

યકૃત (માનવેતર પ્રાણીઓ)

યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

વધુ વાંચો >

યકૃત અર્બુદ

યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >

રાય, હિમાંશુ

Jan 24, 2003

રાય, હિમાંશુ (જ. 1892; અ. 19 મે 1940) : મૂક ભારતીય ચિત્રોનું ટૅક્નીકલ પાસું મજબૂત કરનાર અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. 1925ના અરસામાં ભારતીય ચિત્રો હજી કોઈ ચોક્કસ ઘાટ પકડવાનો પ્રયાસ કરતાં હતાં ત્યારે હિમાંશુ રાયે ભારતીય ચિત્રોને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડ્યાં હતાં. હિમાંશુ રાયે જોયું કે વિદેશી ચિત્રોમાં જેટલું ધ્યાન ટૅક્નીકલ…

વધુ વાંચો >

રારોટોંગા (ટાપુ)

Jan 24, 2003

રારોટોંગા (ટાપુ) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા કૂક ટાપુઓ પૈકીનો મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 21° 14´ દ. અ. અને 159° 46´ પ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી ઈશાનમાં 3,400 કિમી.ને અંતરે આવેલો છે. તેનો વિસ્તાર 67 ચોકિમી. જેટલો છે. આ ટાપુનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય હોઈ ખરબચડું છે. 653 મીટર ઊંચાઈ ધરાવતું…

વધુ વાંચો >

રાલ્ફ લિંટન

Jan 24, 2003

રાલ્ફ લિંટન (જ. 1893; અ. 1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રી. તેમણે કારકિર્દીનો પ્રારંભ પુરાતત્વવિદ તરીકે કર્યો. તેમને 1920-22 દરમિયાન માર્કેસઝ ટાપુ (Marquesas Island) પર મોકલવામાં આવ્યા હતા. અહીં તેમને ટાપુ પર રહેતા લોકો વિશે રસ જાગ્યો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રમાં જોડાયા. ત્યારપછી તેમણે નૃવંશશાસ્ત્રમાં ખાસ કરીને વ્યક્તિત્વ, સામાજિક સંરચના, સાંસ્કૃતિક…

વધુ વાંચો >

રાવ, ઉડિપી રામચંદ્ર

Jan 24, 2003

રાવ, ઉડિપી રામચંદ્ર (જ. 10 માર્ચ 1932, એડમર [કર્ણાટક]; અ. 24 જુલાઈ 2017, બેંગાલુરુ, કર્ણાટક) : વિખ્યાત અવકાશવિજ્ઞાની અને ભારતીય અવકાશ-કાર્યક્રમના પૂર્વ અધ્યક્ષ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના રાજ્યમાંથી લીધું હતું. વિજ્ઞાન સાથે સ્નાતક થયા પછી અનુસ્નાતક અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ત્યાંથી ભૌતિકવિજ્ઞાન સાથે 1953માં એમ.એસસી. થયેલા.…

વધુ વાંચો >

રાવ, એ. આર.

Jan 24, 2003

રાવ, એ. આર. (જ. 23 સપ્ટેમ્બર 1908, સાલેમ, તમિલનાડુ; અ. 4 એપ્રિલ 2011, અમદાવાદ, ગુજરાત) :  ઉચ્ચ કક્ષાના ગણિતજ્ઞ. ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એસસી. અને મુંબઈની વિલ્સન કૉલેજમાંથી એમ.એસસી.નો અભ્યાસ કર્યા બાદ તેઓ 1933માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા. આકસ્મિક રીતે જ ગુજરાતમાં આવેલા રાવે તેને કર્મભૂમિ બનાવી અને…

વધુ વાંચો >

રાવ, એસ. આર.

Jan 24, 2003

રાવ, એસ. આર. (જ. 1922) : ભારતના જાણીતા પુરાતત્વવિદ. મૈસૂર યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું. 1947માં વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. 1948માં આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા. સિંધુ સંસ્કૃતિનાં લગભગ 50 સ્થળોની શોધનો યશ તેમને જાય છે. વિશેષ કરીને ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલની એમની શોધ નોંધપાત્ર…

વધુ વાંચો >

રાવ, કે. એસ.

Jan 24, 2003

રાવ, કે. એસ. (જ. 1936, મૅંગલોર, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1958માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં. તેમને બૉમ્બે આર્ટ સોસાયટી, કોલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ, હૈદરાબાદ આર્ટ સોસાયટી અને તમિલનાડુ…

વધુ વાંચો >

રાવ, ગંગાદાસ

Jan 24, 2003

રાવ, ગંગાદાસ (રાજ્યકાળ ઈ. સ. 1442  આશરે 1451) : મધ્યકાલીન ગુજરાતનાં સૌથી આબાદ નગરોમાંના એક ચાંપાનેરનો રાજા. રાજસ્થાનના રણથંભોરના શાસક ખીચી ચૌહાણ હમ્મીરદેવના વંશજ ગંગાદાસના પિતા ત્ર્યંબકદાસે ક્યાં સુધી રાજ્ય કર્યું તે જાણી શકાતું નથી, પણ પુત્ર ગંગાદાસ અથવા ગંગેશ્વર સુલતાન મુહમ્મદ- શાહ બીજાનો સમકાલીન હતો. ઈ. સ. 1449માં સુલતાને…

વધુ વાંચો >

રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર

Jan 24, 2003

રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી…

વધુ વાંચો >

રાવ, ચેન્નમનેનિ હનુમંતા

Jan 24, 2003

રાવ, ચેન્નમનેનિ હનુમંતા (જ. 15 મે 1929, સીરસીલ્લા, હૈદરાબાદ, તેલંગણા) : ભારતીય અર્થશાસ્ત્રી. તેમણે બી.એ.ની ડિગ્રી 1955માં નિઝામ કૉલેજ એમ.એ. (ઇકૉનૉનિક્સ) 1957, ઓસ્માનીયા યુનિવર્સિટી, હૈદરાબાદ અને 1962માં પીએચ.ડી.(ઇકૉનૉમિક્સ)ની ઉપાધિ દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી પોસ્ટ ડૉક્ટરલ ફેલો (Post Doctoral Fellow) યુનિવર્સિટી ઑફ શિકાગોના અર્થશાસ્ત્ર વિભાગ(1966-67)માં હતા. એમના ડૉક્ટરલ સલાહકાર…

વધુ વાંચો >