ખંડ ૧૭

યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ

યકૃત (liver)

યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…

વધુ વાંચો >

યકૃત (માનવેતર પ્રાણીઓ)

યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

વધુ વાંચો >

યકૃત અર્બુદ

યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >

રાજકુમારી અમૃતકૌર

Jan 17, 2003

રાજકુમારી અમૃતકૌર (જ. 2 ફેબ્રુઆરી 1889, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 6 ફેબ્રુઆરી 1964, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની, મહિલા-નેત્રી અને ભારતનાં પ્રથમ અને મહિલા સ્વાસ્થ્ય-મંત્રી. તેઓ કપૂરથલાના રાજવી કુટુંબનાં સભ્ય હતાં. પિતા હરનામસિંહને સાત પુત્રો અને આ એક-માત્ર પુત્રી હતાં. રાજા હરનામસિંહે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને તેઓ ‘પવિત્ર અને શુદ્ધ’ ખ્રિસ્તી…

વધુ વાંચો >

રાજ, કે. એન.

Jan 17, 2003

રાજ, કે. એન. (જ. 1924, ત્રિચુર, કેરળ) : ભારતના એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી. મદ્રાસ યુનિવર્સિટીની ક્રિશ્ચિયન કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા. 1944માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા અને ત્રેવીસ વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, ભારત આવીને તેઓ આયોજનના મદદનીશ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા. આયોજન પર આધારિત ભારતના આર્થિક વિકાસ અંગેની નીતિઓના…

વધુ વાંચો >

રાજકોટ

Jan 17, 2003

રાજકોટ : સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 32´થી 23° 10´ ઉ. અ. અને 70° 02´થી 71° 31´ પૂ. રે. વચ્ચેનો 11,203 ચોકિમી. (રાજ્યના કુલ વિસ્તારના 5.52 %) જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ચોથા ક્રમે આવે છે.…

વધુ વાંચો >

રાજકોટ સત્યાગ્રહ (1938-39)

Jan 17, 2003

રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે…

વધુ વાંચો >

રાજકોષીય નીતિ

Jan 17, 2003

રાજકોષીય નીતિ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે અને પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને હાંસલ કરવા માટે પ્રયોજવામાં આવતી જાહેર આવક અને જાહેર ખર્ચને સ્પર્શતી નીતિ. આધુનિક અર્થતંત્રમાં વ્યક્તિ કે ગ્રાહક, પેઢી અને રાજ્ય  આ ત્રણ આર્થિક એકમો કામ કરે છે. અન્ય આર્થિક એકમોની માફક રાજ્ય પણ આવક મેળવે છે, ખર્ચ કરે છે ને…

વધુ વાંચો >

રાજગઢ

Jan 17, 2003

રાજગઢ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 45´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે.ની આજુબાજુનો 6,154 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તર તરફ રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો; ઈશાનમાં ગુના; પૂર્વમાં ભોપાલ; અગ્નિમાં સિહોર; દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં…

વધુ વાંચો >

રાજગરો

Jan 17, 2003

રાજગરો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમેરૅન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranthus hybridus Linn. subsp. cruentus (Linn.) Thell. syn. A. cruentus Linn.; A. paniculatus Linn., Hook. f. (સં. મ. રાજગિરા, હિં. કલાગાઘાસ; ક. રાજગિરી, ફા. અંગોઝા, અ. હમાહમ, અં. રેડ ઍમેરૅન્થસ) છે. તે 75 સેમી.થી 100 સેમી. ઊંચી, ખડતલ…

વધુ વાંચો >

રાજગિરિ ટેકરીઓ

Jan 17, 2003

રાજગિરિ ટેકરીઓ : બિહારના નાલંદા જિલ્લાના દક્ષિણ ભાગમાં નાલંદા-નવાડા-ગયા સરહદ પર આવેલો પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 00 ઉ. અ. અને 85° 15´ પૂ. રે.. અહીંની ટેકરીઓ બે સમાંતર ડુંગરધારોમાં વહેંચાયેલી છે અને વચ્ચે સાંકડો ખીણપ્રદેશ છે. આ ટેકરીઓ 388 મીટરની ઊંચાઈ ધરાવે છે. રાજગિરિ (જૂનું…

વધુ વાંચો >

રાજગુરુ, શ્રીધર ગણેશ

Jan 17, 2003

રાજગુરુ, શ્રીધર ગણેશ (જ. 3 ડિસેમ્બર 1928, અહમદનગર, મહારાષ્ટ્ર) : ખેલકૂદ અને બાલસાહિત્યના મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એ., એમ.એડ., પીએચ.ડી. તથા ડી.પી.એડ.ની પદવીઓ મેળવી હતી. નવરોજી વાડિયા કૉલેજમાં તેઓ અધ્યાપક હતા અને ત્યાંથી નિવૃત્ત થયા. તેમણે શિશુરંજનના સેક્રેટરી; બાલકુમાર સાહિત્ય સંમેલનના ઉપપ્રમુખ; થિયેટર અકાદમીના સ્થાપક સભ્ય; અને પ્રોગ્રેસિવ ડેમોક્રૅટિક…

વધુ વાંચો >

રાજગુરુ, સત્યનારાયણ

Jan 17, 2003

રાજગુરુ, સત્યનારાયણ (જ. 1903, પરાલખેમુંડી, ઓરિસા) : ઊડિયા ભાષાના અગ્રણી ઇતિહાસવિદ, શિલાલેખવિજ્ઞાની અને સંશોધનકાર. તેમણે કૉલેજનું શિક્ષણ મેળવ્યું ન હતું, પરંતુ પોતાના અથાક પ્રયાસોથી તેમણે સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓ, તત્વજ્ઞાન, ઉચ્ચારશાસ્ત્ર, ઇતિહાસ તથા શિલાલેખવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1928માં તેમનો સંશોધનલેખ ‘કોરશંદ કૉપર પ્લેટ ગ્રાન્ટ ઑવ્ વિશાખવર્મા’ બિહાર ઍન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટીના…

વધુ વાંચો >