ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મહેતા, વિનાયક નંદશંકર
મહેતા, વિનાયક નંદશંકર (જ. 3 જૂન 1883, સૂરત; અ. 27 જાન્યુઆરી 1940, પ્રયાગ) : ગુજરાતી નાટ્યકાર – લેખક. વતન માંડવી (કચ્છ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને સૂરતમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને જીવશાસ્ત્રના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ.(1902)ની પરીક્ષા પાસ કરી. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં તે…
વધુ વાંચો >મહેતા, વી. આર.
મહેતા, વી. આર. (જ. 22 જૂન 1919, રાજકોટ, સૌરાષ્ટ્ર) : પ્રબુદ્ધ અને કાર્યદક્ષ વહીવટદાર અને કુલપતિ. તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તે પછી, ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેમણે આઇ.એ.એસ.(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી. તેમણે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કલેક્ટર તથા જિલ્લા મૅજિસ્ટ્રેટ, રાજ્યોના વિલીનીકરણ માટે જોડાણ યોજના નાબૂદીની…
વધુ વાંચો >મહેતા, વેદ
મહેતા, વેદ (જ. 21 માર્ચ 1934, લાહોર અ. 9 જાન્યુઆરી 2021, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર, નિબંધ લેખક, જીવનચરિત્રકાર તથા આત્મકથાલેખક. પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે…
વધુ વાંચો >મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ
મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ (જ. 26 ઑક્ટોબર 1891, ભાવનગર; અ. 28 ઑક્ટોબર 1964, મુંબઈ) : સહકારી પ્રવૃત્તિના પ્રખર જ્યોતિર્ધર. વૈકુંઠભાઈના પિતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર સ્ટેટની નોકરીનું ત્યાગપત્ર આપી તેમના સમગ્ર પરિવાર સાથે કાયમ માટે ઑક્ટોબર 1900માં મુંબઈ ખાતે આવી સ્થાયી થયા હતા. વૈકુંઠભાઈનાં માતુશ્રી સત્યવતીબહેન ભીમરાવ દિવેટિયા, અમદાવાદના શ્રી…
વધુ વાંચો >મહેતા, શારદાબહેન
મહેતા, શારદાબહેન (જ. 26 જૂન 1882, અમદાવાદ; અ. 13 નવેમ્બર 1970) : સમાજસુધારક, સ્વાતંત્ર્યસૈનિક, મહિલા-ઉત્કર્ષનાં પ્રણેતા. શિક્ષિત મધ્યમ વર્ગના નાગર પરિવારમાં જન્મેલાં શારદાબહેનના પિતા તે ગોપીલાલ મણિલાલ ધ્રુવ. તેમની માતા બાળાબહેન ગુજરાતના પ્રસિદ્ધ સામાજિક સુધારક ભોળાનાથ સારાભાઈ દિવેટિયાનાં પૌત્રી હતાં. શારદાબહેને 1897માં મૅટ્રિક અને 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી વિષયો…
વધુ વાંચો >મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર
મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર (જ. 1892, અમદાવાદ) : નવલકથાકાર. મૂળ બારેજાના વતની. માતા રેવાબાઈ, પિતા સાંકળેશ્વર. ગુજરાતીનો અભ્યાસ પૂરો કરી તેઓ અંગ્રેજી શાળામાં જોડાયા પણ છઠ્ઠા ધોરણથી આગળ વધી શક્યા નહિ. શિક્ષણ ભલે થોડું, પણ એક સર્જક તરીકે તેમની શક્તિ યુવાકાળમાં જ પ્રગટ થવા માંડી હતી. એમને નવલકથાનું ક્ષેત્ર વિશેષપણે અનુકૂળ…
વધુ વાંચો >મહેતા, સવિતા નાનજી
મહેતા, સવિતા નાનજી (જ. 16 ઑગસ્ટ 1921) : ગુજરાતનાં મણિપુરી નૃત્યશૈલીનાં નિષ્ણાત કલાકાર. વિખ્યાત ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા અને ધર્મનિષ્ઠ સન્નારી સંતોકબાનાં તે પુત્રી થાય. તેમણે વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું અને અહીં જ ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ કેળવવા ઉપરાંત વૈદિક ધર્મસંસ્કાર મેળવ્યા. સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં યુવા વર્ગમાં ભારતીય…
વધુ વાંચો >મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર
મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર (જ. 18 ઑગસ્ટ 1941, ભુજ [કચ્છ]) : ગુજરાતીના કવિ, નાટકકાર, વિવેચક. પિતા રાજ્યના ઉચ્ચ અધિકારી. માધ્યમિક શિક્ષણ વડોદરા–મુંબઈમાં. ગુજરાતી મુખ્ય – સંસ્કૃત ગૌણ વિષયો સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.; 1965માં એ જ વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. 1965થી 1968 સુધી ગુજરાતીના અધ્યાપક. 1968માં ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે…
વધુ વાંચો >મહેતા, સિદ્ધાર્થ
મહેતા, સિદ્ધાર્થ (ડૉ.) (જ. 4 ડિસેમ્બર 1947) : પ્રખ્યાત દંતચિકિત્સક. તેઓએ કિંગ જ્યૉર્જ ડેન્ટલ કૉલેજ, લખનઉથી દંતચિકિત્સકની પદવી પ્રાપ્ત કરી અને ઑર્થોડોન્શિયામાં વિશેષજ્ઞતા મેળવી. તેઓએ નવી દિલ્હીસ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)માં થોડો સમય કાર્ય કર્યું. ત્યાર બાદ તેઓએ ક્લૈફ્ટ પેલેટ પ્રૉબ્લેમ્સનું નિદાન કરવા માટે અમેરિકામાં વિશેષજ્ઞના રૂપમાં કામ કર્યું. તેઓએ…
વધુ વાંચો >મહેતા, સુજાતા પ્રહલાદરાય
મહેતા, સુજાતા પ્રહલાદરાય (જ. 11 માર્ચ 1959, નવસારી) : ગુજરાતી રંગમંચનાં અભિનેત્રી. અભિજાત દશા શ્રીમાળી પોરવાડ પરિવારના સંસ્કારોથી સંપન્ન રેખાબહેન તે તેમની માતા અને સ્વાતંત્ર્યસેનાની પ્રહલાદરાય તે તેમના પિતા. સુજાતા મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયાં. કાકા હસુ મહેતા અને કાકી દેવયાની મહેતા મુંબઈના તખ્તાના કલાકારો હતાં. તેમના અભિનય-સંસ્કારો ઝીલીને બાળપણથી…
વધુ વાંચો >