ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મહેતા, રમેશ
મહેતા, રમેશ (જ. 22 જૂન 1932, નવાગામ, ગોંડલ; અ. 11 મે 2012 રાજકોટ) : ગુજરાતી ચલચિત્રોના હાસ્ય અભિનેતા. ગુજરાતના ચાર્લી ચૅપ્લિન ગણાવી શકાય. પિતાનું નામ ગિરધરલાલ મહેતા. માતાનું નામ મુક્તાબહેન. રમેશ છ માસના હતા ત્યારે મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માબાપની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં તેમને રજૂ…
વધુ વાંચો >મહેતા, રમેશ સુમંત
મહેતા, રમેશ સુમંત (જ. 1906, અમદાવાદ; અ. 1998) : રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પર્યાવરણવિદ્. ગુજરાતના જાણીતા સમાજસુધારક, દેશસેવક તથા શિક્ષણકાર. ડૉ. સુમંત મહેતા તથા શારદાબહેનના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમનો અભ્યાસ અમદાવાદ, વડોદરા અને કરાંચીમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગની ઉપાધિ 1931માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી અને માસ્ટર્સ ડિગ્રી…
વધુ વાંચો >મહેતા, રવિશંકર વિઠ્ઠલજી
મહેતા, રવિશંકર વિઠ્ઠલજી (જ. 13 ઑક્ટોબર 1904, ગોંડલ; અ. 19 ઑગસ્ટ 1988, મુંબઈ) : પત્રકાર, નિબંધકાર. મૂલસ્થાન ગોંડલ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે જૂનાગઢ ગયા. ત્યાંની બહાઉદ્દીન કૉલેજમાંથી સ્નાતક થયા. મુંબઈ જઈ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક રૂપે જોડાયા. આ જ અરસામાં ગાંધીજીનું સ્વરાજ્ય-આંદોલન ઉગ્ર ચરણમાં આવતાં…
વધુ વાંચો >મહેતા, રસિક હાથીભાઈ
મહેતા, રસિક હાથીભાઈ (જ. 11 નવેમ્બર 1932, લાકડિયા, કચ્છ) : વીસમી સદીના સાઠ અને સિત્તેરના દાયકાના મહત્વના લોકપ્રિય સાહિત્યકાર–નવલકથાકાર–વાર્તાકાર. વતની ભુજના. અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો. વ્યવસાય લેખનનો. વ્યવસાય માટે પચાસના દાયકાની અધવચ્ચે મુંબઈ પહોંચ્યા. ‘ચેત મછંદર’ સાપ્તાહિકમાં પત્રકાર તરીકે 1956માં જોડાયા. ‘ચેત મછંદર’ દેશી રજવાડાંઓના શાસકોની નબળાઈઓ છતી કરતું તથા…
વધુ વાંચો >મહેતા, રોહિત ચીનુભાઈ
મહેતા, રોહિત ચીનુભાઈ (જ. 26 ઑગસ્ટ 1930, અમદાવાદ) : અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક. માતા વિમળાબહેન. 1946માં મૅટ્રિક અને 1950માં મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. 1956માં અમેરિકાની બ્હાન્સન કું. સાથે તકનીકી સહયોગ કરીને ઔદ્યોગિક વાતાનુકૂલનનાં ઉપકરણો બનાવવા માટે ઇન્ડસ્ટ્રિયલ મશીનરી મૅન્યુફૅક્ચરિંગ કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ કૉર્ન…
વધુ વાંચો >મહેતા, લલ્લુભાઈ શામળદાસ (સર)
મહેતા, લલ્લુભાઈ શામળદાસ (સર) (જ. 14 ઑક્ટોબર 1863, ભાવનગર; અ. 14 ઑક્ટોબર 1936) : ભારતમાં સહકારી પ્રવૃત્તિના અગ્રણી. પિતા ભાવનગર રિયાસતના દીવાન હતા. તેઓ સંસ્કૃત, ફારસી, હિંદી અને વ્રજ ભાષાઓના જાણકાર હતા. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લઈ મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તેઓ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતને…
વધુ વાંચો >મહેતા, વનલતા
મહેતા, વનલતા (જ. 15 જુલાઈ 1928, સૂરત) : નવી ગુજરાતી રંગભૂમિનાં જાજ્વલ્યમાન અભિનેત્રી અને બાલરંગભૂમિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર રંગકર્મી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. એ., બી. એડ.ની ડિગ્રી તેમજ ઇન્ડિયન એકૅડેમી ઑવ્ આર્ટ્સનો નાટ્યડિપ્લોમા મેળવી ભારત સરકાર તરફથી અભિનયના પ્રશિક્ષણ માટે પ્રથમ શિષ્યવૃત્તિ મેળવવાનું સદભાગ્ય તેમને પ્રાપ્ત થયું. તેના અનુસંધાનમાં 1956થી…
વધુ વાંચો >મહેતા, વાસુદેવ નારાયણલાલ
મહેતા, વાસુદેવ નારાયણલાલ (જ. 28 માર્ચ 1917, અમદાવાદ; અ. 9 માર્ચ 1997, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર. અંગ્રેજી સાથે બી.એ.નો અભ્યાસ કરી કકલભાઈ કોઠારીના ‘નવસૌરાષ્ટ્ર’માં પ્રથમ નોકરી મળી. ‘નવસૌરાષ્ટ્ર’ના પ્રથમ પાને એમના નામ સાથે લેખ પ્રસિદ્ધ થતા. પત્રકાર થવાની એમની હોંશને પુષ્ટિ મળી. એ પછી જયંતિ…
વધુ વાંચો >મહેતા, વિજયા
મહેતા, વિજયા (જ. 4 નવેમ્બર 1933, વડોદરા) : ભારતીય રંગમંચનાં પ્રખ્યાત અભિનેત્રી તથા દિગ્દર્શિકા. મૂળ નામ વિજયા જયવંત. જાણીતાં ચલચિત્ર-અભિનેત્રી શોભના સમર્થ અને નલિની જયવંત તેમનાં નજીકનાં સગાં થાય છે. તેથી ર્દશ્ય-શ્રાવ્ય કલાઓ પ્રત્યેની રુચિ નાનપણથી કેળવાઈ. તેમનાં પ્રથમ લગ્ન વિખ્યાત ચલચિત્ર-અભિનેત્રી દુર્ગા ખોટેના પુત્ર હરીન સાથે થયાં હતાં, પરંતુ…
વધુ વાંચો >મહેતા, વિદ્યાબહેન
મહેતા, વિદ્યાબહેન (જ. 1921, અમદાવાદ; અ. ? અમદાવાદ) : સ્વાતંત્ર્ય-સેનાની અને અગ્રણી સામાજિક કાર્યકર. પિતા છક્કડભાઈ શાહને રેંટિયાપ્રવૃત્તિ અને ખાદી અંગેના કામમાં ઊંડો રસ હતો. તેમના પિતાની બનાવેલી રૂની પૂણીઓ યરવડા જેલમાં ગાંધીજી ઉપયોગમાં લેતા. પિતાની સાથે આ પુત્રી પણ ગાંધીઆશ્રમની પ્રાર્થનાઓમાં ભાગ લેતી. આમ વિદ્યાબહેને બાલ્યાવસ્થામાં જ ખાદી, રેંટિયો…
વધુ વાંચો >