ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર

Jan 13, 2001

ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (Bhabha Atomic Research Center – BARC), ટ્રૉમ્બે : ન્યૂક્લિયર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ વિદ્યાશાખાઓમાં મૂળભૂત અને પ્રાયોજિત સંશોધનની સુવિધાઓ અને જવાબદારીઓ અદા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા સંશોધન અને વિકાસ માટે આવશ્યક પ્રશિક્ષણ વિજ્ઞાન તથા ટેક્નૉલોજીના ક્ષેત્રના અધિકારી જનોને આપે છે, અને તે રીતે એ ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

ભાભા, હોમી જહાંગીર

Jan 13, 2001

ભાભા, હોમી જહાંગીર (જ. 30 ઑક્ટોબર 1909, મુંબઈ; અ. 24 જાન્યુઆરી 1966, મૉં બ્લાં, આલ્પ્સ, યુરોપ) : ભારતના ન્યૂક્લિયર કાર્યક્રમના આયોજક અને અમલકર્તા. તેઓ ધનવાન પારસી કુટુંબમાં જન્મ્યા હતા અને જમશેદજી તાતાના નજીકના સગા હતા. શરૂઆતનું શિક્ષણ તેમણે કથીડ્રલ અને જૉન કૅનન હાઈસ્કૂલમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજ તથા…

વધુ વાંચો >

ભામહ

Jan 13, 2001

ભામહ (ઈ.સ. 600ની આસપાસ) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જાણીતા આલંકારિક આચાર્ય. તેઓ અલંકારવાદી વિચારધારાના પ્રવર્તક હતા. તેમના જીવન વિશે ઝાઝી માહિતી મળતી નથી. અનુગામી આલંકારિક આચાર્યોની જેમ તેઓ કાશ્મીરના વતની હોવાનું વિદ્વાનો માને છે. ‘કાવ્યાલંકાર’ નામના તેમના જાણીતા ગ્રંથના અંતિમ શ્લોકમાં જણાવ્યા મુજબ, તેઓ રક્રિલ ગોમિન્ના પુત્ર હતા. ‘રક્રિલ’ નામ અને…

વધુ વાંચો >

ભામિનીભૂષણ

Jan 13, 2001

ભામિનીભૂષણ [અલંકાર, 1, 2, 3, 4, 5 (1886, 1889, 1891, 1892, 1895)] : ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ના આદ્યસંસ્થાપક શ્રીમન્નૃસિંહાચાર્યે રચેલા 5 અલંકારો. તેમાં તેમણે સ્ત્રીજાગૃતિ, નારી-પ્રતિષ્ઠા અને વિધવાઓના પ્રશ્નોને સ્પર્શી કુમારિકા, યુવતીઓ અને પુત્રીઓને સુબોધનો ઉપદેશ કર્યો છે. તદુપરાંત તેમાં જીવ, ઈશ્વર, મૃત્યુ, પુનર્જન્મ વગેરે ગૂઢ વિષયોને પણ સરળ અને…

વધુ વાંચો >

ભાયાણી, હરિવલ્લભ ચૂનીલાલ

Jan 13, 2001

ભાયાણી, હરિવલ્લભ ચૂનીલાલ (જ. 26 મે 1917, મહુવા, સૌરાષ્ટ્ર; અ. 11 નવેમ્બર 2000, મુંબઈ) : પ્રસિદ્ધ ભાષાવિજ્ઞાની, સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. 1934માં મૅટ્રિક. 1939માં સંસ્કૃત વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. 1941માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે, ભારતીય વિદ્યા ભવન-મુંબઈમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ. તેઓ 1951માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ, કવિ…

વધુ વાંચો >

ભારત

Jan 14, 2001

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ)

Jan 15, 2001

ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ) : બનારસ હિંદુ યુનિવર્સિટીના વિશાળ વિદ્યા-સંકુલમાં આવેલું મ્યુઝિયમ. તેમાં શિલ્પો, ચિત્રકૃતિઓ તથા વસ્ત્રોનો અસાધારણ સંગ્રહ છે. રાય કૃષ્ણદાસ જેવી એકલ વ્યક્તિના ખાનગી સંગ્રહમાંથી આ મ્યુઝિયમનો ઉદભવ થયો. 1950માં તે યુનિવર્સિટીને સોંપાયા પછી બીજા કેટલાક લોકોએ કલાકૃતિઓ આપીને તેની સમૃદ્ધિ વધારી. શિલ્પકૃતિઓના 3 વિભાગો છે :…

વધુ વાંચો >

ભારતચંદ્ર

Jan 15, 2001

ભારતચંદ્ર (જ. 1712, અ. 1760) : પ્રાગ્-આધુનિક બંગાળી સાહિત્યના કવિ. દક્ષિણ રાઢ પ્રદેશમાં બ્રાહ્મણ જમીનદારને ત્યાં જન્મ. પિતાની જાગીર (વર્ધમાન જિલ્લો) 1740માં જપ્ત થઈ અને તેઓ અપીલ કરે તે પહેલાં તેમના પર આરોપ મૂકી તેમને જેલમાં નાંખ્યા. ત્યાંથી નાસી છૂટીને તેઓ વૃંદાવન તરફ જતા હતા ત્યારે સગાએ ઓળખી લેતાં તેઓ…

વધુ વાંચો >

ભારત-ચીન યુદ્ધ

Jan 15, 2001

ભારત-ચીન યુદ્ધ : 1962માં ભારતના ઉત્તર-પૂર્વથી ચીન દ્ધારા ભારત પર કરવામાં આવેલ આક્રમણમાંથી સર્જાયેલ યુદ્ધ. ચીન ભારતનો શક્તિશાળી ને સામ્યવાદી પડોશી દેશ છે. તેણે 1962માં ઉત્તર-પૂર્વ સરહદેથી ભારત પર આક્રમણ કર્યું હતું. તે સમયે ભારતની ચીન સાથે જોડાયેલી ઉત્તર-પૂર્વીય સરહદો હિમાલયની બરફ-આચ્છાદિત ગિરિમાળાઓને કારણે દુર્જેય માનવામાં આવી હતી. આ બંને…

વધુ વાંચો >

ભારતના ભૂસ્તરીય એકમો

Jan 15, 2001

ભારતના ભૂસ્તરીય એકમો : દ્વીપકલ્પ, બાહ્ય દ્વીપકલ્પ અને સિંધુગંગાનાં મેદાનો. ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર અને ભૌગોલિક સંદર્ભમાં જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર આ ત્રણ સ્પષ્ટ વિભાગોનો બનેલો છે. આ ત્રણ ભૂસ્તરીય એકમોનું પ્રાદેશિક વિતરણ નીચે મુજબ છે : (1) દ્વીપકલ્પીય વિસ્તાર : શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચસપાટ પ્રદેશ,…

વધુ વાંચો >