ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

બોહેમિયા

Jan 4, 2001

બોહેમિયા : ચેકોસ્લોવેકિયામાં આવેલો પશ્ચિમી પ્રાદેશિક વિસ્તાર. વાસ્તવમાં પ્રાચીન મધ્ય યુરોપીય સામ્રાજ્ય શબ્દપ્રયોગ તેના સીમિત અર્થમાં માત્ર બોહેમિયા માટે તથા બહોળા અર્થમાં બોહેમિયા ઉપરાંત મોરેવિયા અને સિલેશિયાના વિસ્તારો માટે વપરાય છે. ભૌગોલિક સ્થાન : તે 49° 50´ ઉ. અ. અને 14° 00´ પૂ. રે.ની વચ્ચેનો આશરે 52,768 ચોકિમી. જેટલો વિસ્તાર…

વધુ વાંચો >

બૉહર, આગે નીલ્સ

Jan 4, 2001

બૉહર, આગે નીલ્સ (જ. 19 જૂન 1922, કૉપનહેગન) : 1975ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. પારમાણ્વિક નાભિમાં થતી સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચે સંબંધ મેળવી, તેની ઉપરથી પારમાણ્વિક નાભિના બંધારણ માટેના સિદ્ધાંત અંગેના તેમના સંશોધનકાર્ય માટે આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. નોબેલ પારિતોષિકવિજેતા જિન્સ બૉહરના તેઓ પુત્ર છે. લંડનના ‘સાયન્ટિફિક ઍન્ડ…

વધુ વાંચો >

બૉહર, નીલ્સ (હેન્રિક ડેવિડ)

Jan 4, 2001

બૉહર, નીલ્સ (હેન્રિક ડેવિડ) (જ. 7 ઑક્ટોબર 1885, કોપનહેગન; અ. 18 નવેમ્બર 1962, કોપનહેગન) : 1922ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના વિજેતા. પરમાણુના બંધારણ તથા તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સંશોધન માટે આ પારિતોષિક તેમને એનાયત થયું હતું. બૉહર શરીરવિજ્ઞાન(physiology)ના પ્રાધ્યાપકના પુત્ર હતા અને તેમનો ઉછેર એક શૈક્ષણિક કૌટુંબિક વાતાવરણમાં થયો હતો. શૈક્ષણિક…

વધુ વાંચો >

બૉહરનો સિદ્ધાંત

Jan 4, 2001

બૉહરનો સિદ્ધાંત : હાઇડ્રોજનના રેખિય વર્ણપટ(line spectrum)ને સમજાવવા માટે ડેનિશ ભૌતિકવિજ્ઞાની નીલ્સ બૉહરે 1913માં રજૂ કરેલો સિદ્ધાંત. આ માટે તેમણે પરમાણુની સંરચના અંગે વિકસાવેલું ચિત્ર ‘બૉહરના પ્રતિરૂપ’ (Bohr model) તરીકે જાણીતું છે. 1911માં અંગ્રેજ વિજ્ઞાની રૂધરફૉર્ડે પરમાણુનું જે પ્રતિરૂપ રજૂ કરેલું તેમાં પરમાણુના દળદાર નાભિક(nucleus)માં ધનવીજભાર અને તેની ફરતે ઋણવીજભારવાહી…

વધુ વાંચો >

બોહરિયમ (bohrium)

Jan 4, 2001

બોહરિયમ (bohrium) : આવર્તક કોષ્ટકમાંની અનુએક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Bh; પરમાણુક્રમાંક 107. DSI. ડર્મસ્ટેટ ખાતે શીત-સંગલન (cold fusion) પ્રક્રિયા દ્વારા આ તત્વ મેળવવામાં આવ્યું હતું. 1981માં આ તત્વ (107) માટે 209Bi-ની પાતળી પતરી (વરખ, foil) ઉપર આયનીકૃત 54Cr પરમાણુઓના પ્રવેગિત પુંજ(beam)નો મારો ચલાવીને તે મેળવવામાં આવેલું. અંદર આવતા…

વધુ વાંચો >

બોંગાઇગાંવ

Jan 4, 2001

બોંગાઇગાંવ : આસામ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 28´ ઉ. અ. અને 90° 34´ પૂ. રે. આજુબાજુનો 2,159 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાનનો પહાડી પ્રદેશ આવેલો છે. પૂર્વમાં બારપેટા જિલ્લો, દક્ષિણે ગોલપાડા તથા પશ્ચિમે ધુબરી અને કોકરાઝાર જિલ્લાઓ…

વધુ વાંચો >

બૌદ્ધગાન ઓ દોહા

Jan 4, 2001

બૌદ્ધગાન ઓ દોહા : જુઓ ચર્યાપદ(ઊડિયા)

વધુ વાંચો >

બૌદ્ધ દર્શન

Jan 4, 2001

બૌદ્ધ દર્શન : ભારતનું એક નાસ્તિક દર્શન. જૈન અને ચાર્વાક મતોની જેમ વેદોના પ્રામાણ્યનો અસ્વીકાર કરવાને લઈને બૌદ્ધ મત પણ નાસ્તિક મત ગણાયો છે અને તેથી એનો ષડ્દર્શનોની શ્રેણીમાં સ્વીકાર થયો નથી. બૌદ્ધ દર્શન વૈવિધ્યપૂર્ણ, ગંભીર અને વિસ્તૃત છે. બૌદ્ધ દાર્શનિક ચિંતનના મુખ્ય છ સંપ્રદાયો છે : થેરવાદ, વૈભાષિક દર્શન…

વધુ વાંચો >

બૌદ્ધ ધર્મ

Jan 4, 2001

બૌદ્ધ ધર્મ : પ્રાચીન ભારતમાં બુદ્ધ દ્વારા સ્થાપિત ધર્મ. શાક્ય વંશના કપિલવસ્તુમાં રાજધાની ધરાવતા રાજા શુદ્ધોદનના પુત્ર, યશોધરાના પતિ અને રાહુલના પિતા બુદ્ધે (મૂળ નામ સિદ્ધાર્થ અથવા સર્વાર્થસિદ્ધ) વૃદ્ધ, રોગી અને શબના આકસ્મિક દર્શનથી ગૃહત્યાગ કરી, બુદ્ધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ કરી જે ધર્મનો ઉપદેશ કર્યો તેનું નામ બૌદ્ધ ધર્મ. આમ…

વધુ વાંચો >

બૌદ્ધ-સંગીતિ

Jan 4, 2001

બૌદ્ધ-સંગીતિ : બૌદ્ધ મહાસ્થવિરો(થેરો)ની ચાર મહાસભાઓ. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી રાજગૃહ(આધુનિક રાજગિરિ)માં પ્રથમ સંગીતિ મળી જેમાં બુદ્ધના મુખ્ય શિષ્ય મહાકશ્યપ અધ્યક્ષ હતા. બુદ્ધે પોતાના ઉપદેશોને લિપિબદ્ધ કરાવ્યા નહોતા આથી આ મહાસભા સમક્ષ એમના ત્રણ મુખ્ય શિષ્યો – મહાપંડિત મહાકશ્યપ, સહુથી વયોવૃદ્ધ ઉપાલિ અને સૌથી પ્રિય શિષ્ય આનંદે બુદ્ધના ઉપદેશોનું સમૂહગાન…

વધુ વાંચો >