ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ (જ. 1872, વડનગર; અ. 1932, ભાવનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનાર કુશળ કલાકાર. બાલ્ય વયમાં જ પિતાનું અવસાન થયું. વ્યવસાયી રંગભૂમિ અંગે તાલીમ મેળવ્યા પછી વાઘજી આશારામ ઓઝાની ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’માં જોડાયા. વાઘજી આશારામ- રચિત‘ત્રિવિક્રમ’(1893)માં સૂરજબા તથા ‘ચંદ્રહાસ’(1894)માં વિષયાની ભૂમિકાથી તેમણે સ્ત્રી-પાઠ ભજવવાનો પ્રારંભ…

વધુ વાંચો >

ભોજક, જયશંકર ‘સુંદરી’

ભોજક, જયશંકર ‘સુંદરી’ (જ. 30 જાન્યુઆરી 1889, ઊંઢાઈ; અ. 22 જાન્યુઆરી 1975, વિસનગર) : જૂની ગુજરાતી રંગભૂમિમાં નારીપાત્ર ભજવતા વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક. માતાનું નામ કૃષ્ણા. વિસનગરના શ્રીમાળી ભોજકોમાં પ્રસિદ્ધ ગાયક ત્રિભોવનદાસ એમના દાદા હતા. નાની વયમાં દાદાની સાથે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને તેની ઘેરી અસર પડી. પછી નાટકનું ઘેલું…

વધુ વાંચો >

ભોજક, દલસુખરામ વસ્તારામ

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન…

વધુ વાંચો >

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’)

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’) (જ. વડનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર કુશળ રીતે રજૂ કરનારા અભિનેતા. અક્ષરજ્ઞાન અલ્પ. વિવિધ નાટ્યસંસ્થાઓમાં નાટ્યકળાની તાલીમ પ્રાપ્ત કર્યા પછી 1914માં પ્યારેલાલ વિઠ્ઠલદાસ મહેતાની સંસ્થા ‘શ્રી વિદ્યાવિનોદ નાટક સમાજ’માં જોડાયા. કવિ-ચિત્રકાર-સંગીતકાર ફૂલચંદ ઝવેરચંદ શાહરચિત ‘માલતીમાધવ’ નાટકમાં ‘માલતી’ની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવા બદલ નાટ્યજગતમાં તેઓ ‘માલતી’…

વધુ વાંચો >

ભોજક, રસિકલાલ ચીમનલાલ

ભોજક, રસિકલાલ ચીમનલાલ (જ. 29 ડિસેમ્બર 1926, ભાવનગર; અ. 17 સપ્ટેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સ્વરકાર. પિતા ભાવનગર રાજ્યના રેવન્યૂ કમિશનર અને સંગીતના ભારે શોખીન હતા. ભોજક તરીકે સંગીત સંસ્કારનો જ્ઞાતિગત વારસો રસિકલાલને સાંપડ્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ કિશોરાવસ્થાથી જ પ્રથમ સ્થાન મેળવતા…

વધુ વાંચો >

ભોજ-પરમાર

ભોજ-પરમાર (શાસનકાળ : 1000થી 1055) : માળવાના રાજા સિંધુરાજનો પુત્ર અને પરમાર વંશનો બહુશ્રુત વિદ્વાન કવિ તથા સર્વશ્રેષ્ઠ રાજા. તેના રાજ્યઅમલના ઈ. સ. 1020થી 1047 સુધીના શિલાલેખો મળે છે. તેનું રાજ્ય ચિતોડ, વાંસવાડા, ડુંગરપુર, ભિલસા, ખાનદેશ, કોંકણ અને ગોદાવરીના ઉપલા પ્રદેશો સુધી વિસ્તર્યું હતું. તેના અમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેના…

વધુ વાંચો >

ભોજપુર

ભોજપુર : મધ્યપ્રદેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલા રાયસેન જિલ્લાના ગોહરગંજ તાલુકાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ. તે ગોહરગંજથી ઉત્તરે 13 કિમી. અંતરે બેટવા નદી નજીક પૂર્વ તરફ આવેલું છે. આ ગામ તેના અદભુત કોતરણીવાળા, ભવ્ય શિવમંદિર અને એક વખતના વિશાળ બંધ માટે જાણીતું બનેલું છે. પરમાર વંશના રાજા ભોજે અગિયારમી સદીમાં આ…

વધુ વાંચો >

ભોજપુર (બિહાર)

ભોજપુર (બિહાર) : બિહાર રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 84° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2464.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજ્યનો સરન અને ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વમાં પટણા જિલ્લો, દક્ષિણમાં જહાનાબાદ અને રોહતાસ જિલ્લા તથા પશ્ચિમમાં બકસર જિલ્લા…

વધુ વાંચો >

ભોજ પ્રતિહાર (મિહિર)

ભોજ પ્રતિહાર (મિહિર) (ઈ. સ. 836–885) : પ્રતિહાર વંશનો પ્રતાપી રાજા. તેનો પિતા રામભદ્ર હતો. તેના અવસાન બાદ પ્રતિહાર સામ્રાજ્યનાં સત્તાનાં સૂત્રો ભોજને હસ્તક આવ્યાં. શરૂઆતમાં તે પાલ રાજવી દેવપાલ સામે ફાવ્યો નહિ, તેમજ રાષ્ટ્રકૂટો સામે પણ ખાસ સફળતા મળી જણાતી નથી. ત્રિપુરીના ચેદિઓએ પણ તેને પરાજિત કર્યો જણાય છે;…

વધુ વાંચો >

ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ

ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ : અમદાવાદની ગુજરાત વિદ્યાસભા દ્વારા સંચાલિત ઉચ્ચ કક્ષાના અધ્યયન-સંશોધન માટેની વિદ્યાસંસ્થા. ગુજરાતી ભાષા તથા સાહિત્યના વિકાસ અર્થે તેમજ ગુજરાતીમાં શિક્ષણના પ્રસાર માટે અમદાવાદમાં સન 1848માં સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સમય જતાં ગુજરાતની અગ્રગણ્ય વિદ્યાસંસ્થા બની. 1939માં એણે આચાર્ય આનંદશંકર ધ્રુવના માર્ગદર્શન નીચે ઉચ્ચ અભ્યાસ અને…

વધુ વાંચો >

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

Jan 1, 2001

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

Jan 1, 2001

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

Jan 1, 2001

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

Jan 1, 2001

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

Jan 1, 2001

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

Jan 1, 2001

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

Jan 1, 2001

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

Jan 1, 2001

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

Jan 1, 2001

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

Jan 1, 2001

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >