ખંડ ૧૨

પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા

પ્યાર જી પ્યાસ (1972)

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

પ્યારેસાહેબ

પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…

વધુ વાંચો >

પ્યાસા (1957)

પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…

વધુ વાંચો >

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્યુનીકા

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રકલ્પ-આયોજન (project planning)

પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો  છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…

વધુ વાંચો >

ફડકે, વિઠ્ઠલ લક્ષ્મણ

Feb 20, 1999

ફડકે, વિઠ્ઠલ લક્ષ્મણ (મામાસાહેબ) (જ. 2 ડિસેમ્બર 1887, જાંબુલપાડા, જિ. રત્નાગિરિ; અ. 29 જુલાઈ 1974, ગાંધીઆશ્રમ, ગોધરા) : અસ્પૃશ્યતાનિવારણ આદિ હરિજનસેવાનું રચનાત્મક કાર્ય કરનાર ગાંધીમાર્ગી સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રત્નાગિરિમાં લીધું. નાનપણથી અંગ્રેજી નહિ ભણવાના અને બ્રિટિશ સરકારની નોકરી…

વધુ વાંચો >

ફડકે, સુધીર

Feb 20, 1999

ફડકે, સુધીર (જ. 25 જુલાઈ 1919, કોલ્હાપુર) : જાણીતા મરાઠી ભાવગીતગાયક, સંગીતદિગ્દર્શક અને પાર્શ્વગાયક. પિતાનું નામ વિનાયકરાવ અને માતાનું નામ  સરસ્વતી. મૂળ નામ રામ, પરંતુ 1934માં યોજાયેલ સંગીતના એક કાર્યક્રમમાં સુધીર નામથી તેમની ઓળખાણ કરાવવામાં આવી ત્યારથી તે નામ પ્રચલિત બન્યું. ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર પંડિત વામનરાવ પાધ્યે પાસેથી સંગીતની…

વધુ વાંચો >

ફડચો (liquidation)

Feb 20, 1999

ફડચો (liquidation) : શૅરહોલ્ડરો અથવા સભાસદોની મર્યાદિત જવાબદારી હોવાના સૂચન રૂપે જેના નામ પછી ‘લિમિટેડ’ શબ્દ લખવો ફરજિયાત છે તેવા ધંધાકીય એકમનું કાયદાની વિધિ અનુસાર વિસર્જન કરવાનું કાર્ય. ધંધાકીય એકમ બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે; જેવાં કે સમયસર દેવાં ચૂકવવાની અશક્તિ, પોતાના ધંધાકીય એકમની પુનર્રચના, અન્ય એકમો સાથેનું…

વધુ વાંચો >

ફણસ

Feb 20, 1999

ફણસ : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Artocarpus heterophyllus Lam. syn. A. integrifolia Hook F. (સં. પનસ્; હિં फटहर; બં, કાઠાલ; મ. ગુ. ફણસ; અં. જૅકફ્રૂટ) છે. તે ભારતનું મૂલનિવાસી છે. તેનું પ્રકાંડ સીધું અને નળાકાર હોય છે અને લીસી અથવા થોડીક ખરબચડી લીલી કે…

વધુ વાંચો >

ફણસી

Feb 20, 1999

ફણસી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phaseolus vulgaris Linn. syn. P. nanus Linn.   હિં. बकला सजमा (बीज), મ. શ્રવનધેવડા; ગુ. ફણસી; અં. ફ્રેંચ બીન, ડ્વાર્ફ બીન, કિડની બીન, હેરીકોટ બીન) છે. તેનો પ્રાથમિક ઉદભવ દક્ષિણ મૅક્સિકો અને મધ્ય અમેરિકામાં થયો છે અને તેનો દ્વિતીયક…

વધુ વાંચો >

ફતાવા–એ–આલમગીરી

Feb 20, 1999

ફતાવા–એ–આલમગીરી : મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાનો સંગ્રહ. મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર(1658–1707)ના રાજ્યકાળ દરમિયાન તૈયાર થયેલો ઇસ્લામ ધર્મ-સંબંધી, મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાઓનો સંગ્રહ. અરબીમાં ‘ફતાવા’ શબ્દ બહુવચનમાં છે. એનું એકવચન ‘ફત્વા’ છે. કોઈ પણ ધાર્મિક પ્રશ્નની બાબતમાં મુસ્લિમ ધર્મગુરુ (મુફતી) કુરાન તથા હદીસને અનુસરીને જે ચુકાદા આપે તે ‘ફત્વા’ કહેવાય છે. આ એક…

વધુ વાંચો >

ફતેહપુર

Feb 20, 1999

ફતેહપુર : ઉત્તર પ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : ભૌ. સ્થાન : તે આશરે 25° 26´થી 26° 14´ ઉ. અ. અને 80° 13´થી 81° 21´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 100 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…

વધુ વાંચો >

ફતેહપુર સિક્રી

Feb 20, 1999

ફતેહપુર સિક્રી : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલું મુઘલ સમ્રાટ અકબરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 27° 06´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે. તે આગ્રાથી પશ્ચિમે 37 કિમી. દૂર તથા મથુરાથી દક્ષિણે રાજસ્થાન સરહદ નજીક ભરતપુરથી અગ્નિકોણમાં આવેલું છે. ત્યાં 1527માં બાબર અને રાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું.…

વધુ વાંચો >

ફતેહબાગ

Feb 20, 1999

ફતેહબાગ : સરખેજ નજીક જહાંગીરના સમયમાં ખાનખાનાને તૈયાર કરાવેલો પ્રખ્યાત બગીચો. જહાંગીર 5-1-1618થી એક માસ અને પાંચ દિવસ અમદાવાદમાં રહ્યો હતો ત્યારે તેણે આ બાગની બે વખત મુલાકાત લીધી હતી. શિયાળાના કારણે બગીચાનાં વૃક્ષોનાં પાંદડાં ખરી ગયાં હતાં, પણ ખાનખાનાનની પુત્રી બેગમ ખેરુન્નિસાએ બાદશાહ જહાંગીરની મુલાકાત પૂર્વે 400 કારીગરોને રોકીને…

વધુ વાંચો >

ફત્તેલાલ શેખ

Feb 20, 1999

ફત્તેલાલ શેખ (જ. 1897, કાગલ, કોલ્હાપુર; અ. 1964) : હિંદી-મરાઠી ફિલ્મોના દિગ્દર્શક. મૂળ નામ યાસીન મિસ્ત્રી. પ્રભાત ફિલ્મ કંપનીના પાંચ ભાગીદારો પૈકી એક ફત્તેલાલે બીજા એક ભાગીદાર વિષ્ણુપંત ગોવિંદ દામલે સાથે મળીને હિંદી-મરાઠી ચિત્રોનું દિગ્દર્શન કર્યું અને પ્રભાત દ્વારા નિર્મિત ચિત્રોનું કલાનિર્દેશન સંભાળ્યું. કાનડી મુસ્લિમ પરિવારમાં જન્મેલા ફત્તેલાલના પિતા સુથાર…

વધુ વાંચો >