ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle)
પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle) : ઇલેક્ટ્રૉન જેવી સૂક્ષ્મ પ્રણાલીની કણ-પ્રકૃતિ અથવા તરંગ-પ્રકૃતિનું વર્ણન કરતો સિદ્ધાંત. નીલ બ્હોરના મત મુજબ ઇલેક્ટ્રૉન-પ્રણાલીની કણ અને તરંગ-પ્રકૃતિના ખ્યાલ એકબીજાને પૂરક છે. જે પ્રયોગ વડે ઇલેક્ટ્રૉનની કણ-પ્રકૃતિનું વર્ણન કરી શકાય છે તેના વડે તરંગ-પ્રકૃતિનું વર્ણન કરી શકાતું નથી અને તેથી ઊલટું પણ સાચું છે. પ્રયોગની…
વધુ વાંચો >પૂરકો (fillers)
પૂરકો (fillers) : રંગ, કાગળ, પ્લાસ્ટિક, રબર અથવા પ્રત્યાસ્થલકો (elastomers) જેવા ઘન, અર્ધઘન કે પ્રવાહી પદાર્થોના ગુણધર્મો સુધારવા તથા ખર્ચ ઘટાડવા માટે વપરાતા અક્રિય (inert), ઊંચું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા અને બારીક ભૂકારૂપ પદાર્થો. પૂરક એ નીપજનો મુખ્ય કે ગૌણ ઘટક હોઈ શકે. ઔષધો, સૌંદર્યપ્રસાધનો અને પ્રક્ષાલકો (detergents) જેવા પદાર્થોનો સ્થૂળ…
વધુ વાંચો >પૂરણસિંહ
પૂરણસિંહ (જ. 17 ફેબ્રુઆરી, 1881, અબોટાબાદ, હાલનું પાકિસ્તાન અ. 31 માર્ચ, 1931 દહેરાદૂન) : પંજાબી લેખક. એમનું માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ લાહોરમાં. એ જાપાનના પ્રવાસે ગયા ત્યાં બૌદ્ધ ધર્મનો એમની પર એટલો પ્રભાવ પડ્યો કે એમણે તેનો અંગીકાર કર્યો; એટલું જ નહિ, પણ એ બૌદ્ધભિક્ષુ બની ગયા. પછી સ્વામી રામતીર્થના સંપર્કમાં…
વધુ વાંચો >પૂરનિયંત્રણ
પૂરનિયંત્રણ : પૂરથી થતી જાનહાનિ તથા માલમિલકતોનું થતું નુકસાન અટકાવવા અમલમાં મુકાતી કાર્યવહી. નદીનો પ્રવાહ તેના કાંઠાની માઝા વટાવી ઉપર થઈને વહે ત્યારે તેને પૂર કહે છે. એ પૂરનાં પાણી નદીકાંઠાનાં ગામો, ખેતરો, તથા કારખાનાંઓ વગેરેમાં ભરાઈ જાય છે. ઓચિંતા પૂરથી માલમિલકત, રસ્તાઓ, ખેતરોમાંનો ઊભો પાક, સંદેશાવ્યવહાર, રેલવે વગેરેને નુકસાન…
વધુ વાંચો >પૂરપ્રવાહ-પ્રસ્તર (torrential bedding)
પૂરપ્રવાહ–પ્રસ્તર (torrential bedding) : સ્તરરચના અથવા પ્રસ્તરીકરણનો એક લાક્ષણિક પ્રકાર. રણ જેવા શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં થોડા સમયગાળા માટે પડી જતા વરસાદના, સૂસવાતા ક્રિયાશીલ પવનોના તેમજ જ્યાં સૂકાં ભેજવાળાં થાળાં(playa)ની નિક્ષેપક્રિયાના સંજોગો હોય ત્યાં પૂરપ્રવાહ-પ્રસ્તરરચનાની શક્યતા રહે છે. નદીજન્ય સંજોગો હેઠળ પણ પૂર આવે ત્યારે સ્થૂળ પરિમાણવાળા દ્રવ્યનો બોજ આગળ…
વધુ વાંચો >પૂરુ-નાનુરુ
પૂરુ–નાનુરુ (ઈ. સ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી શતાબ્દી સુધી) : તમિળ ગ્રંથ. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વિભાજિત છે : અહમ્ અને પુરમ્. અહમમાં વ્યક્તિગત જીવનનું અને પુરમ્ સાહિત્યમાં સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે. ‘પૂરુ-નાનુરુ’ પુરમ્ સાહિત્યનો ગ્રંથ છે. એ ગ્રંથમાં 400 પદો છે, જે ચારણો તથા…
વધુ વાંચો >પૂરુ વંશ
પૂરુ વંશ : પુરાણકાળનો પ્રસિદ્ધ ભારતીય રાજવંશ. પ્રાચીન કાળના પ્રતિષ્ઠાન(વત્સદેશ)ના રાજા. મનુ વૈવસ્વતની પુત્રી ઇલાએ બુધ સાથે લગ્ન કર્યું, તેમાંથી ઐલ વંશ ઉદભવ્યો. એ વંશમાં નહુષ-પુત્ર યયાતિ નામે પ્રતાપી રાજા થયા. અસુરરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા દ્વારા યયાતિને દ્રુહ્યુ, અનુ અને પુરુ નામે ત્રણ પુત્ર થયા. પ્રતિષ્ઠાન(વત્સદેશ)નું પૈતૃક રાજ્ય એના કનિષ્ઠ…
વધુ વાંચો >પૂર્ણ આંતરિક પરાવર્તન (total internal reflection)
પૂર્ણ આંતરિક પરાવર્તન (total internal reflection) : પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ(optically denser medium)માંથી, પ્રકાશીય પાતળા (rarer) માધ્યમ પ્રતિ જઈ રહ્યું હોય ત્યારે અમુક નિયત આપાત-કોણ કરતાં વધુ કોણે આપાત થતાં ઉદભવતી ઘટના. તે વખતે પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને પાતળા માધ્યમમાંથી બહાર આવવાને બદલે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને તે…
વધુ વાંચો >પૂર્ણકુંભ
પૂર્ણકુંભ : ફૂલ-પત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનો પ્રતીક. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલ-પત્તાં જીવનનાં નાનાં વિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે, એ જ રીતે વિરાટ વિશ્વ પૂર્ણકુંભ છે. ઋગ્વેદમાં જેને પૂર્ણ કે ભદ્રકલશ કહેલ છે તે…
વધુ વાંચો >પૂર્ણરૂપતા (holohedrism)
પૂર્ણરૂપતા (holohedrism) : સ્ફટિકવર્ગની સમમિતિની જે કક્ષામાં અક્ષને બંને છેડે પૂરેપૂરી સમસંખ્યામાં સ્ફટિક-સ્વરૂપો ગોઠવાયેલાં મળે તે ઘટના. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિક-સ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમમિતિ-અક્ષને બંને છેડે એકસરખાં…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર, અજિત અનંતરાવ
પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >