ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

પટેરિયા, રમેશ

Jan 31, 1998

પટેરિયા, રમેશ (જ. 1938, જબલપુર અ. 1987) : આધુનિક કળાના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી તેઓ શિલ્પ વિષયમાં 1966માં સ્નાતક થયા તથા ત્યાંથી જ 1969માં ‘મકરાણા પથ્થરમાં કોતરકામ’ – એ વિષયમાં અનુસ્નાતક થયા. તેમણે દિલ્હીમાં 1969માં અને મુંબઈમાં 1969, ’70, ’71, ’73, ’75 અને ’76માં પોતાનાં…

વધુ વાંચો >

પટેલ, અમૃતા

Jan 31, 1998

પટેલ, અમૃતા (જ. 13 નવેમ્બર 1943, નવી દિલ્હી) : ભારતના ડેરીક્ષેત્રમાં ‘ઑપરેશન ફ્લડ’ નામથી જાણીતા બનેલા ડેરી વિકાસ-કાર્યક્રમને મૂર્તરૂપ આપનાર કર્મયોગિની તથા નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)નાં ચૅરપર્સન (2005). પિતા હીરુભાઈ (એચ. એમ. પટેલ) વરિષ્ઠ આઇ.સી.એસ. અધિકારી હોવા ઉપરાંત આઝાદી પછી કેન્દ્રના નાણાખાતામાં પ્રિન્સિપલ ફાઇનાન્સ સેક્રેટરી અને નિવૃત્તિ બાદ મોરારજી દેસાઈના…

વધુ વાંચો >

પટેલ, અહમદ

Jan 31, 1998

પટેલ, અહમદ (જ. 21 ઑગસ્ટ, 1949, પિરામણ, અંકલેશ્વર, ગુજરાત; અ. 25 નવેમ્બર, 2020, નવી દિલ્હી) :  આઠ વાર લોકસભાના સાંસદ, પીઢ રાજકારણી. ‘સોનિયા ગાંધીની જમણી અને ડાબી આંખ’ ગણાતા અહમદ પટેલનું પૂરું નામ અહમદભાઈ મુહમ્મદભાઈ પટેલ હતું. ગાંધી પરિવારના વફાદાર ગણાતા અહમદ પટેલ ઉર્ફે ‘એપી’ કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના…

વધુ વાંચો >

પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન)

Jan 31, 1998

પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન) (જ. 7 નવેમ્બર 1907, તરસાળી; અ. 2 જાન્યુઆરી 1988, વડોદરા) : ગુજરાતના એક આત્મધર્મી સંત. ‘દાદા ભગવાન’ તરીકે જાણીતા થયેલા આ સંતનું વતન ભાદરણ. માતાનું નામ ઝવેરબહેન. નાનપણથી જ અત્યંત વિચક્ષણ અને પરોપકારી હોવાથી સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતા. શાળામાં નાનામાં નાની રકમ અને સર્વમાં અવિભાજ્ય…

વધુ વાંચો >

પટેલ, આઈ. જી.

Jan 31, 1998

પટેલ, આઈ. જી. (જ. 11 નવેમ્બર 1924, સુણાવ; અ. 17 જુલાઈ 2005, ન્યૂયૉર્કસિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેન્દ્રીય નાણામંત્રાલયના ભૂતપૂર્વ સચિવ, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર તથા વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર. આખું નામ ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ. માતાનું નામ કાશીબહેન. વડોદરા કૉલેજમાંથી 1944માં મુંબઈ યુનિવર્સિટીની…

વધુ વાંચો >

પટેલ, આનંદીબહેન

Jan 31, 1998

પટેલ, આનંદીબહેન (જ. 21 નવેમ્બર 1941, ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો) : ગુજરાત રાજ્યનાં 15માં મુખ્યમંત્રી અને રાજ્યનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, તેમનો કાર્યકાળ 22 મે, 2014થી 7 ઑગસ્ટ, 2016નો રહ્યો. તેમણે એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યાર પછી એમ.ઍડ.ની પદવી પ્રાપ્ત કરી. ખેડૂત કુટુંબની કન્યા તરીકે અભ્યાસ માટે…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ

Jan 31, 1998

પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ (જ. 1 ઑગસ્ટ 1927, લાડોલ, ઉત્તર ગુજરાત) : ગુજરાતના ખ્યાતનામ કૃષિવિજ્ઞાનવિદ. મુંબઈ યુનિવર્સિટીમાંથી કૃષિ-સ્નાતક થયા બાદ તેઓ 1951માં ગુજરાત સરકારના કૃષિવિભાગમાં જોડાયા. દરમિયાન અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એક્સટેન્શન એજ્યુકેશન કાર્યક્રમ હેઠળ અનુસ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવી. ગુજરાતમાં તેમણે સતત 35 વર્ષ કૃષિક્ષેત્રે સેવાઓ આપી અને 1976થી 86 દરમિયાન…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ

Jan 31, 1998

પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ (જ. 30 સપ્ટેમ્બર 1934, ઊંઝા; અ. 26 ડિસેમ્બર 2010, અમદાવાદ) : સમાજસેવાક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. માતાનું નામ મેનાબહેન. ખેડૂત પરિવારમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ઊંઝા ખાતે. ત્યાંની માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો. ત્યારબાદ સમાજશાસ્ત્ર મુખ્ય વિષય સાથે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાત…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ

Jan 31, 1998

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ (જ. 2 નવેમ્બર 1924, પીજ, નડિયાદ; અ. 10 નવેમ્બર 1989, અમદાવાદ) : ગુજરાતી કેળવણીકાર તથા લેખક. પિતા જેઠાભાઈ દલાભાઈ પટેલ. માતા રૂપબા. લેઉવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ. એમ.એ. બી.ટી. પદવીઓ પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ પ્રશિક્ષણ લીધું. 1937માં આણંદની દા. ન. હાઈસ્કૂલમાં…

વધુ વાંચો >

પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ

Jan 31, 1998

પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ (જ. 5 માર્ચ 1932, વડોદરા; અ. 21 એપ્રિલ 2016, અમદાવાદ) : ગુજરાતનાં જાણીતાં સામાજિક કાર્યકર, કેન્દ્રીય મંત્રીમંડળનાં ભૂતપૂર્વ સભ્ય તથા રાજ્યસભાનાં સભ્ય. પિતા પ્રેમાનંદ વ્યવસાયે ડૉક્ટર. માતાનું નામ નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ વીસનગર તથા મહેસાણા ખાતે અને માધ્યમિક શિક્ષણ ટી. જે. હાઈસ્કૂલ, વડોદરામાં લીધું. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય…

વધુ વાંચો >