ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નેફિલિનાઇટ

Jan 21, 1998

નેફિલિનાઇટ : ફૅલ્સ્પેથૉઇડધારક ઑલિવિનમુક્ત આલ્કલી બેસાલ્ટ. મુખ્યત્વે નેફિલિન અને પાયરૉક્સિન(મોટેભાગે ટીટેનિફેરસ ઑગાઇટ)થી બનેલો બહિષ્કૃત કે ભૂમધ્યકૃત ખડક. સામાન્ય રીતે ઘેરા રંગના, સૂક્ષ્મ સ્ફટિકમય જ્વાળામુખી ઉત્પત્તિજન્ય બેસાલ્ટમાં, જ્યારે ફેલ્સ્પારનું પ્રમાણ ન હોય કે તદ્દન ગૌણ હોય જેથી ફેલ્સ્પેથૉઇડ પ્રધાન બની રહે અને ઑલિવિન ન હોય ત્યારે તેને નેફિલિનાઇટ કહેવાય. ઑગાઇટ અને…

વધુ વાંચો >

નેફેલિન (નેફેલાઇટ)

Jan 21, 1998

નેફેલિન (નેફેલાઇટ) : અસંતૃપ્ત ફેલ્સ્પેથૉઇડ ખનિજ. રાસા. બંધા : (Na. K)A1SiO4 અથવા Na2O.A12O3. 2SiO2. સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફ. સ્વરૂપ : સાદા હેક્ઝાગોનલ પ્રિઝમ સ્વરૂપોમાં મોટેભાગે મળે છે, ફલકો ખરબચડા હોઈ શકે. તેમ છતાં દળદાર, ઘનિષ્ઠ કે ખડકના ઘટક તરીકે કણસ્વરૂપોમાં પણ મળે. યુગ્મતા ફલકો પર હોય તો જોવા મળે.…

વધુ વાંચો >

નેફેલોમિતિ

Jan 21, 1998

નેફેલોમિતિ : વૈશ્લેષિક રસાયણમાં દ્રાવણનું ધૂંધળાપણું (cloudiness) અથવા આવિલતા (turbidity) માપવા માટે વપરાતી પ્રકાશમિતીય (photometric) પદ્ધતિ. દ્રાવણની આવિલતા તેમાં અવલંબિત બારીક કણોને લીધે હોય છે. જ્યારે આવા આવિલ દ્રાવણમાંથી પ્રકાશપુંજ (beam of light) પસાર કરવામાં આવે ત્યારે અવલંબનમાં રહેલા કણો દ્વારા પ્રકાશનું  વિખેરણ (scattering) અને અવશોષણ (absorption) થાય છે. આથી…

વધુ વાંચો >

નેબુખદનેસ્સર (નેબુકદનેઝર)

Jan 21, 1998

નેબુખદનેસ્સર (નેબુકદનેઝર) (જ. ઈ. સ. પૂ. 630; અ. ઈ. સ. પૂ. 562) : બૅબિલોનમાં થયેલ ખાલ્ડિયન પ્રજાનો પ્રતાપી રાજા. ખાલ્ડિયન સામ્રાજ્યના સ્થાપક નેબોપોલાસરના પુત્ર નેબકદ્રેઝરે ઈ. સ. પૂ. 605થી 562 સુધી રાજ્ય કર્યું. તેના સમયનો તે મહાન સેનાપતિ હતો. તેણે ફિનિશિયન નગરો, સીરિયા તથા પૅલેસ્ટાઇન પર વિજયો મેળવ્યા. તેણે ઇજિપ્તના…

વધુ વાંચો >

નેબ્રાસ્કા

Jan 21, 1998

નેબ્રાસ્કા : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્ય-ઉત્તર ભાગમાં મિસૂરી નદીની પશ્ચિમે આવેલું કૃષિપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 40°થી 43´ ઉ. અ. અને 95° 19´થી 104° 03´ પ. રે. વચ્ચે તે આવેલું છે. સિંચાઈ સુવિધા ધરાવતા આ રાજ્યનો મુખ્ય પાક મકાઈ (corn) હોવાથી તેનું લાડનું નામ ‘કૉર્નહસ્કર સ્ટેટ’ પડેલું છે. ‘નેબ્રાસ્કા’ નામ ઓટો…

વધુ વાંચો >

નેમાડે, ભાલચંદ્ર

Jan 21, 1998

નેમાડે, ભાલચંદ્ર (જ. 27 મે 1938, સાંગલી, તાલુકા રાવેર, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર તથા વર્ષ 2014ના બહુપ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ નેમાજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા બાદ પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ત્યાંની જ ડેક્કન કૉલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી, સમયાંતરે મુંબઈ…

વધુ વાંચો >

નેમાન, જેર્ઝી

Jan 21, 1998

નેમાન, જેર્ઝી (જ. 16 એપ્રિલ 1894, બેન્દરી, રશિયા; અ. 5 ઑગસ્ટ 1981, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ રશિયન આંકડાશાસ્ત્રી. 1923માં વૉર્સો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ગાણિતિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં તેમનું ગણનાપાત્ર પ્રદાન છે. આંકડાશાસ્ત્રીય આગણનનો સિદ્ધાંત (theory of estimation) અને પરિકલ્પનાની ચકાસણીના સિદ્ધાંત (hypothesis of testing) પર તેમણે સંશોધનકાર્ય કરેલું છે.…

વધુ વાંચો >

નેમિનાથ

Jan 21, 1998

નેમિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંકર. તેમનો સમય મહાભારતકાળ છે. મહાભારતનો કાળ ઈ. સ. પૂર્વે લગભગ 1000 વર્ષ મનાય છે. નેમિનાથની વંશપરંપરા આ પ્રમાણે બતાવવામાં આવી છે. શૌરીપુરના યાદવવંશી રાજા અન્ધકવૃષ્ણીના મોટા પુત્ર હતા સમુદ્રવિજય અને સમુદ્રવિજયના પુત્ર હતા નેમિનાથ. અન્ધકવૃષ્ણીના સૌથી નાના પુત્ર હતા વસુદેવ, અને વસુદેવના…

વધુ વાંચો >

નેમિનાથચરિત

Jan 21, 1998

નેમિનાથચરિત : હરિભદ્રસૂરિરચિત અપભ્રંશ મહાકાવ્ય. તેઓ વડગચ્છ-બૃહદગચ્છના જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય અને શ્રીચંદ્રસૂરિના શિષ્ય હતા. ગુજરાતના પ્રખ્યાત ચાલુક્યવંશના પ્રસિદ્ધ રાજા જયસિંહ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલની વિનંતીને માન્ય રાખી તેમણે આ રચના 1160માં ચાલુક્ય વંશની રાજધાની અણહિલવાડ પાટણમાં કુમારપાળના રાજ્યશાસન દરમિયાન કરી હતી. તેમણે ચોવીસ તીર્થંકરનાં ચરિત્રો લખેલાં છે, જેનું શ્લોકપ્રમાણ લગભગ બે…

વધુ વાંચો >

નેરુદા, પાબ્લો

Jan 21, 1998

નેરુદા, પાબ્લો (જ. 12 જુલાઈ 1904, ચિલી; અ. 23 સપ્ટેમ્બર, 1973) : દક્ષિણ અમેરિકાના સ્પૅનિશ કવિ. 1971ના વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા. મૂળ નામ રિકાર્દો એલિઝર નેફતાલિ રેયેસ ય બાસોઆલ્ટો. માતા રોઝા બાસોઆલ્ટો નેરુદાને ચારેક વર્ષના મૂકીને મૃત્યુ પામી. પિતા પુનર્લગ્ન કરી ચિલીની દક્ષિણે ટેમુકોમાં રહેવા ગયા. ત્યાંના ભેજવાળા…

વધુ વાંચો >