ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નાલંદા

Jan 12, 1998

નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની…

વધુ વાંચો >

નાવડા ટોલી

Jan 12, 1998

નાવડા ટોલી : પ્રાચીન વસાહતોના ટિંબા. મધ્યપ્રદેશના ઇંદોર શહેરથી દક્ષિણે આશરે 70 કિમી. દૂર નર્મદા નદીના બંને કાંઠે માહેશ્વર અને નાવડા ટોલી નામની પ્રાચીન વસાહતોના ટિંબા આવેલા છે. નાવડા ટોલી નામ માટે ભિન્ન ભિન્ન ઉચ્ચારો મુજબ અર્થ થાય છે, પણ નદીમાં નાવ ચલાવનાર ટોલીનું ગામ નાવડા ટોલી હોય તે યથાર્થ…

વધુ વાંચો >

નાવ-દુરસ્તી (ship repairs)

Jan 12, 1998

નાવ-દુરસ્તી (ship repairs) : બધા પ્રકારની નૌકાઓની જાળવણી તથા સમયાંતરે દુરસ્તી કરવાનું કાર્ય. નૌકાઓનો બહારની બાજુનો ઘણો ભાગ સતત પાણીમાં રહે છે. લોખંડની નૌકાઓને પાણીમાં ક્ષારણ (corrosion) થતાં કાટ લાગે. એથી લોખંડની પ્લેટોની જાડાઈ ઘટે અને નૌકા નબળી પડે. ઘણા પ્રકારના સૂક્ષ્મ સામુદ્રિક જીવો (marine organisms) લોખંડની પ્લેટો પર સખત…

વધુ વાંચો >

નાવભંજન (ship breaking)

Jan 12, 1998

નાવભંજન (ship breaking) : ઉપયોગ માટે તદ્દન નકામી અથવા આર્થિક રીતે ન પોસાય તેવી નૌકાઓ/જહાજોને વ્યવસ્થિત રીતે ભાંગવાનું કાર્ય. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આવી નૌકાઓ/જહાજોના ફરી ઉપયોગમાં લઈ શકાય તેટલા ભાગોની પુન:પ્રાપ્તિ કરવાનો અને બાકીના ભંગારનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાનો હોય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં આ પ્રવૃત્તિ…

વધુ વાંચો >

નાવરિયા ગીત

Jan 12, 1998

નાવરિયા ગીત : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આસામના બરપેટા પ્રદેશમાં નાવમાં યાત્રા કરવા જતી વખતે જે ગીતો ગવાય છે તે નાવરિયા ગીતો કહેવાય છે. ‘નાવ’ પરથી ‘નાવરિયા’ શબ્દ આવ્યો છે. બંગાળીનાં ભાટિયાલી ગીતોના જેવો જ આ ગીતપ્રકાર છે. એ ગીતોનો વિષય છે નાવડું લઈને દૂરદૂર જનારો સોદાગર અને એના ઘરમાં…

વધુ વાંચો >

નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ

Jan 12, 1998

નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ (જ. 5 જાન્યુઆરી 1906, રાંદેર, સૂરત; અ. 2000) : ગુજરાતના શ્રેષ્ઠ દોડવીર. વતન સૂરત પાસે રાંદેર. પોતાના વતન રાંદેરની શાળામાં અભ્યાસ કર્યો અને તે પછી ચિત્રકળાનો અભ્યાસ કલાભવન, વડોદરામાં કરીને ધંધાદારી રંગભૂમિમાં પડદા ચીતરનાર તરીકે જોડાયા. અહીં તેમણે સ્ટેજ મેકઅપની કળા તથા તબલાવાદનની કળા  હસ્તગત કરી. સ્વાભિવ્યક્તિના…

વધુ વાંચો >

નાવિક, ઠાકોરભાઈ ડાહ્યાભાઈ

Jan 12, 1998

નાવિક, ઠાકોરભાઈ ડાહ્યાભાઈ (જ. 6 જાન્યુઆરી, 1945) : ગુજરાતી તરણવીર. ઝીણાભાઈ નાવિક પછી સૌથી વધારે તરણસિદ્ધિ પ્રાપ્ત કરનાર ઠાકોરભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતની તરણકુશળ નાવિક જ્ઞાતિમાં થયો હતો. નાની વયે જ તરણમાં કૌશલ્ય હાંસલ કરીને કપરી તરણસ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યા. સૂરતમાં રહી સાગરતરણનાં સાહસોમાં રસ લેવા લાગ્યા. પરિણામે સંખ્યાબંધ તરણસ્પર્ધાઓમાં ભાગ…

વધુ વાંચો >

નાશિક

Jan 12, 1998

નાશિક : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓ પૈકીનો એક, તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહત્ત્વનું શહેર. આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં દખ્ખણના મેદાની વિસ્તારમાં સહ્યાદ્રિ પર્વતમાળાના પૂર્વ ઢોળાવ પર 19° 36´ થી 20° 52´ ઉ. અ. અને 73° 16´ થી 74° 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 15,539…

વધુ વાંચો >

નાશિકના ઘાટ

Jan 12, 1998

નાશિકના ઘાટ : પેશવાઈ સ્થાપત્ય તથા સંસ્કૃતિના લાક્ષણિક નમૂનારૂપ ઐતિહાસિક ઘાટ. ભારતનાં પ્રમુખ પાંચ તીર્થોમાં મહત્વનું સ્થાન ભોગવતું નાશિક પશ્ચિમ કાશી તરીકે જાણીતું છે. ઈ. સ. 1747માં પેશવાઓએ નાશિક મુઘલો પાસેથી પાછું મેળવ્યું તે પછી નાશિકની મહત્તા ઘણી વધી. તે સમય દરમિયાન મરાઠાઓએ નાશિકમાં ઘણાં મંદિરો બાંધ્યાં અને ગોદાવરીના પૂર્વ…

વધુ વાંચો >

નાસદીય સૂક્ત

Jan 12, 1998

નાસદીય સૂક્ત : જગતસાહિત્યના પ્રાચીનતમ સંસ્કૃત ગ્રંથ ઋગ્વેદના 10મા મંડળના 129મા સૂક્તને ‘નાસદીય સૂક્ત’ એવા નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તેનો આરંભ ‘નાસદ્’ એ શબ્દથી થાય છે. આ સૂક્ત ત્રિષ્ટુપ્ છંદમાં રચાયેલી સાત ઋચાઓ કે મંત્રોનું બનેલું છે. તેમાં પરમાત્મા કે પ્રજાપતિ દેવ છે. તેના પ્રથમ મંત્રમાં સૃષ્ટિસર્જન પહેલાં…

વધુ વાંચો >