ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નારાયણ ચૂર્ણ
નારાયણ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. ચિત્રક, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, જીરું, હપુષા, ઘોડાવજ, અજમો, પીપરીમૂળ, વરિયાળી, તલવણી, બોડી અજમોદ, કચૂરો, ધાણા, વાવડિંગ, કલોંજી જીરું, દારૂડી, પુષ્કરમૂળ, સાજીખાર, જવખાર, સિંધવ, સંચળ, બીડલવણ, મીઠું, વડાગરું મીઠું અને કઠ – એ ઓગણત્રીસ ઔષધો એક એક ભાગ, ઇંદ્રવારુણીનાં મૂળ બે ભાગ, નસોતર…
વધુ વાંચો >નારાયણતીર્થ (નારાયણયતિ)
નારાયણતીર્થ (નારાયણયતિ) (1800 આસપાસ) : શંકરાચાર્યની પરંપરામાં થયેલા સંન્યાસી લેખક. તેઓ પરમહંસ પરિવ્રાજકાચાર્ય રામગોવિંદતીર્થ અને વાસુદેવતીર્થ એ બંને સંન્યાસી ગુરુઓના શિષ્ય હતા. શંકરાચાર્યની પરંપરામાં હોવાથી શાંકરવેદાન્તી અથવા કેવલાદ્વૈતવાદી હતા. નારાયણતીર્થનો સમય 1800ની આસપાસનો હતો. શંકરાચાર્યે રચેલી ‘દશશ્લોકી’ ઉપર મધુસૂદન સરસ્વતીએ શાંકર વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરતો ‘સિદ્ધાન્તતત્વબિંદુ’, નામનો ગ્રંથ લખ્યો…
વધુ વાંચો >નારાયણ તૈલ
નારાયણ તૈલ : આયુર્વેદિક ઔષધિ. અશ્વગંધા, બલામૂળ, બીલીનું મૂળ, કાળીપાટ, ઊભી ભોંરિંગણી, બેઠી ભોંરિંગણી, ગોખરુ, અતિબલા, લીમડાની છાલ, શ્યોનાકનું મૂળ, સાટોડીનાં મૂળ, પ્રસારિણીનું મૂળ તથા અરણીનું મૂળ – આ દરેક ઔષધ સરખા પ્રમાણમાં લઈ અધકચરું ખાંડીને સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લે છે. પછી…
વધુ વાંચો >નારાયણન વી. (ડૉ.)
નારાયણન વી. (ડૉ.) (જ. 14 મે, 1964, મેલાકટ્ટુવેલાઈ, કન્યાકુમારી, તમિળનાડુ): રૉકેટ વૈજ્ઞાનિક અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા(ISRO)ના નવા અધ્યક્ષ. 14 જાન્યુઆરી, 2024ના રોજ એસ. સોમનાથને સ્થાને ISROના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો અને સાથે સાથે ભારત સરકારના અંતરિક્ષ વિભાગના સચિવ પણ બન્યા. તેમનો કાર્યકાળ બે વર્ષ રહેશે. અગાઉ તેઓ વલિયામાલા સ્થિત…
વધુ વાંચો >નારાયણન્ કે. આર. (કોચેરિલ રમણ)
નારાયણન્, કે. આર. (કોચેરિલ રમણ) (જ. 27 ઑક્ટોબર, 1920, ઉઝહવ્વુર, કેરળ; અ. 9 નવેમ્બર, 2005 નવી દિલ્હી) : ભારતના તેરમા રાષ્ટ્રપ્રમુખ અને અનુભવી પ્રશાસક. પિતાનું નામ રમણ વૈદ્યન્. દલિત વર્ગમાંથી રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર તેઓ દેશના પ્રથમ નાગરિક છે. 1992-97 દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ અંગ્રેજી વિષય સાથે…
વધુ વાંચો >નારાયણ પંથ
નારાયણ પંથ : વિષ્ણુભક્તિમાં માનતો સંપ્રદાય. વૈષ્ણવ પરંપરામાં નારાયણીય નામસ્મરણ અને ધ્યાનની સાધનાને કારણે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સત્તરમા સૈકામાં સંત હરિદાસે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં ઈશ્વર તરીકે નારાયણનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેના પરથી તે નારાયણીય પંથ તરીકે ઓળખાય છે. નારાયણ સિવાય બીજા કોઈ દેવને આ…
વધુ વાંચો >નારાયણપાલ
નારાયણપાલ : ઈ. સ.ની 9મી સદીમાં થયેલ બંગાળના પાલ વંશનો રાજા. ઈ. સ.ની 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું રાજ્ય સ્થપાયું હતું. તેની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. એ પોતે બૌદ્ધ-ધર્મી હતો અને એના વંશજો પણ બૌદ્ધ ધર્મ પાળતા હતા. એણે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કર્યું. એના…
વધુ વાંચો >નારાયણમૂર્તિ, એન. આર.
નારાયણમૂર્તિ, એન. આર. (જ. 20 ઑક્ટોબર 1946, સિદ્દલઘાટ, જિલ્લો કોલાર, કર્ણાટક) : વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારતની ઇન્ફોસિસ ટૅકનૉલૉજી સૉફ્ટવેર કંપનીના સ્થાપક ચૅરમૅન. પિતા શાળાના શિક્ષક તથા માતા જમીનદાર પરિવારમાં જન્મેલાં. કુટુંબમાં બે પુત્રો તથા પાંચ પુત્રીઓ; જેમાં નારાયણમૂર્તિ પાંચમું સંતાન. પરિવારનું કદ મોટું, પિતાની માસિક આવક આશરે…
વધુ વાંચો >નારાયણ રેડ્ડી, સી.
નારાયણ રેડ્ડી, સી. (જ. 29 જુલાઈ, 1931, હનુમાજિપેઠ, જિ. કરીમનગર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન પંડિત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મેન્ટાલુ માનવડુ’ (‘બ્લેઝિઝ ઍન્ડ હ્યૂમન્સ’, 1970) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેના તેલુગુ-વિભાગમાં અધ્યાપક…
વધુ વાંચો >નારાયણ, વિનીત
નારાયણ, વિનીત (જ. 18 એપ્રિલ 1956, મોરાદાબાદ) : ભારતીય પત્રકાર. મુખ્ય તંત્રી, કાલચક્ર સમાચાર ટ્રસ્ટ. કાલચક્ર સમાચાર ટ્રસ્ટના નેજા હેઠળ ‘કાલચક્ર’ નામે અડધા કદનું (tabloid) હિન્દી પાક્ષિક તથા ‘તેજ’ નામે વીડિયો સામયિક પ્રગટ થાય છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જન્મેલા વિનીત નારાયણે ઉચ્ચ શિક્ષણ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં લીધું. 1974થી ’77ના અરસામાં…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >