ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
પદ્ય
પદ્ય : સાહિત્યિક અભિવ્યક્તિનો એક પ્રકાર. બીજો પ્રકાર તે ગદ્ય. કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં સંભવે; પરંતુ કાવ્યના રસાત્મક ભાવોને વહન કરવામાં ગદ્યની અપેક્ષાએ પદ્ય વિશેષ અનુકૂળ નીવડે છે. પદ્યનો ઉદ્દેશ કાવ્યગત ભાવને લાલિત્ય કે કલારૂપ બક્ષવાનો છે અને પ્રાચીન કાળથી પદ્ય એ હેતુસર કાવ્યરૂપમાં પ્રયોજાતું રહ્યું છે. વાણી સ્વયં…
વધુ વાંચો >પદ્યનાટક
પદ્યનાટક : જુઓ, નાટક
વધુ વાંચો >પદ્યવાર્તા
પદ્યવાર્તા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. મધ્યકાળ દરમિયાન વિશેષખેડાણ પામેલાં લોકપ્રિય સાહિત્યસ્વરૂપોમાં આખ્યાન, રાસ અને પદ્યવાર્તાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્વરૂપોમાં વસ્તુ અને નિરૂપણરીતિને કારણે પદ્યવાર્તા રાસ અને આખ્યાનથી અલગ તરી આવે છે. સામાન્ય રીતે આખ્યાન જેવા કાવ્યપ્રકારમાં વસ્તુ રામાયણ, મહાભારત કે પુરાણાદિ પર અવલંબિત રહેતું, જ્યારે પદ્યવાર્તાઓનું વસ્તુ ઇતિહાસ-પુરાણ પર…
વધુ વાંચો >પનામા (દેશ)
પનામા (દેશ) મધ્ય અમેરિકામાં આવેલો, પશ્ચિમથી પૂર્વ તરફના (ળ જેવા) વળાંકવાળો, સાંકડી ભૂમિપટ્ટીવાળો, નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 7°.00° ઉ. અ.થી 9°.50´ ઉ. અ. અને 77° પ. રે.થી 87° પ. રે.. નહેર, નહેર-વિસ્તાર તથા અખાત. વાસ્તવમાં આ દેશ બે મહાસાગરોને અલગ પાડતી સંયોગીભૂમિ (isthumus) રચે છે. તેની ઉત્તરે ઍટલાન્ટિક…
વધુ વાંચો >પનીર
પનીર : જુઓ, દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરીઉદ્યોગ
વધુ વાંચો >પનોતી
પનોતી : જ્યોતિષશાસ્ત્ર મુજબ ખરાબ ગ્રહદશા. પનોતીનો મૂળ સિદ્ધાંત શનિ-ચંદ્રના રાશિપ્રવેશ અને પરિભ્રમણ ઉપર રહેલો છે. જાતકની જન્મરાશિથી શનિ જ્યારે 12મી રાશિમાં આવે ત્યારે તે રાશિના જાતકના જીવનમાં મોટી ‘પનોતી’ બેઠી એમ કહેવાય છે. આ મોટી પનોતીનો સામાન્ય સમય સાડાસાત વર્ષનો ગણવામાં આવે છે. તેના ત્રણ તબક્કા પાડવામાં આવે છે.…
વધુ વાંચો >પન્નગચંપો
પન્નગચંપો : વનસ્પતિઓના એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજીબરેસી (આર્દ્રકાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia zerumbet. (Pers.) Burtt & R. M. Smith syn. A. speciosa (Wendl.) K. Schum. A. natans Rosc. (ગુ., બં. પન્નગચંપા; ત. સીતારુથાઈ; પશ્ચિમ ભારત ચંપા, નાગદમણી; દિલ્હી-ઇલાયચી) છે. વિતરણ : પન્નગચંપો ચીન, જાપાન, ઇન્ડો-ચાઇના, કંબોડિયા,…
વધુ વાંચો >પન્ના
પન્ના : મધ્યપ્રદેશ રાજ્યના સાગરવિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 45´ ઉ. અ. – 79 45´ પૂ. રે. અને 25 10´ ઉ. અ.– 80 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્યના બાંદા જિલ્લાની સીમા,…
વધુ વાંચો >પન્નું (emarald)
પન્નું (emarald) : બેરિલ(3Beo. A12O3. 6SiO2)નો આછા લીલા રંગવાળો, પારદર્શક, તેજસ્વી રત્નપ્રકાર. લીલો રંગ તેમાં રહેલી ક્રોમિયમની માત્રાને કારણે હોય છે. આ રત્ન પીળા કે વાદળી રંગની ઝાંયવાળાં પણ મળે છે. વાદળી ઝાંયવાળું પન્નું પીળા રંગની ઝાંયવાળા પન્નું કરતાં વધુ કીમતી ગણાય છે. પન્નાના મોટાભાગના સ્ફટિકો સૂક્ષ્મ પ્રભંગ (fracture) ધરાવે…
વધુ વાંચો >પપનસ
પપનસ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના રુટેસી (નારંગ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus grandis (Linn) Osbeck. syn. C. decumana Linn; C. maxima (Burm f.) Merrill (સં. મધુકર્કટી, શતવેધી, કરુણ, મલ્લિકા પુષ્પ; હિં. બતાવી નીંબૂ, મહાનીંબૂ, કન્નાનીંબૂ, ચકોતરા, સદાફલ; બં. વાતવિ લેબુ, મિષ્ટ લેબુ, જમ્બુરા લેબુ, ચકોતરા, મહાનીબુ, મ. પનીસ, પપનસ,…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >